નવસારી કુંકણા (કુનબી) સમાજનો ૨૩ મો વાર્ષિક સામાન્ય સભા યોજાઈ: કોઇપણ સમાજની સેવા ભગવાનની સેવા બરાબર છે: મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ મંગુભાઇ પટેલ

નવસારી કુંકણા (કુનબી) સમાજનો ૨૩ મો વાર્ષિક સામાન્ય સભા યોજાઈ: કોઇપણ સમાજની સેવા ભગવાનની સેવા બરાબર છે: મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ મંગુભાઇ પટેલ

નવસારી કાલિયાવાડી ખાતે આવેલી કુંકણા (કુન્બી) જ્ઞાતિપંચના સુખી ભવન ખાતે કુંકણા સમાજનો ૨૩ માં વાર્ષિક સામાન્ય સભા મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ મંગુભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ અવસરે નવસારી ધારાસભ્ય  રાકેશભાઇ દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ ઉપસ્થિત રહયાં હતાં.

 

આ પ્રસંગે મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ મંગુભાઇ પટેલે કુંકણા સમાજનો ૨૩ માં વાર્ષિક સમારોહ અવસરે સમાજને સંગઠિત કરનાર તમામનો ઋણ સ્વીકાર કર્યો હતો. સમાજમાં સામાજીક કુરિવાજો, વ્યસનની બદીઓ દૂર કરી આદર્શ સમાજનું ઘડતર કરી, કુંકણા સમાજને અન્ય સમાજની હરોળમાં લઇ જવા સંકલ્પબધ્ધ થવા અનુરોધ કર્યો હતો.

સમાજનો કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ન રહેવો જોઇએ. કોઇપણ સમાજની સેવા ભગવાનની સેવા બરાબર છે તેમ જણાવી કુંકણા જ્ઞાતિપંચના આગેવાનોને સમાજમાં સૌને સાથે રાખી મજબૂત સંગઠન બનાવવા જણાવ્યું હતું. રાજયપાલશ્રીએ શિક્ષણ પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે, પ્રગતિની પારાશીશી શિક્ષણ છે.

વાર્ષિક સમારોહમાં કુંકણા સમાજના પ્રમુખ શ્રી રમેશભાઇ દેશમુખ, સુરત કુંકણા સમાજના પ્રમુખ શ્રી બિપિનભાઇ તેમજ સમસ્ત જ્ઞાતિપંચના પ્રમુખ શ્રી નાનુભાઇ પટેલે કુંકણા સમાજને અન્ય સમાજની હરોળમાં લઇ જવા, સમાજમાંથી કુરિવાજો દૂર કરવા, શિક્ષણને પ્રાધાન્ય આપવું, સમાજને સંગઠિત કરવા જેવા સમાજોપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

વાર્ષિક સમારોહમાં જુ.કે.જી. લઇ ઉચ્ચતર શિક્ષણ મેળવેલા તેમજ પરીક્ષામાં પ્રથમ, દ્વિતિય અને તૃતીયક્રમે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને રાજયપાલશ્રી તથા મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતાં. આ કાર્યક્રમમાં બાળકોએ બેટી બચાવો- બેટી પઢાવો, પાણી બચાવો, પર્યાવરણ બચાવો જેવી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.

આ પ્રસંગે નવસારીના અગ્રણી માધુભાઈ કથીરીયા, પ્રેમચંદભાઇ લાલવાણી, હરીશ મંગલાણી,કરસનભાઇ ટીલવા,પિયુષભાઇ પટેલ, શ્રીમતી નર્મદાબેન પટેલ, નીલાબેન દેશમુખ,દિપેશ પટેલ, ભુમિકાબેન કુન્બી, પ્રકાશભાઇ દેશમુખ, અશોકભાઈ ચોટલીયા, કુંકણા સમાજના સુરત, વલસાડ,ચીખલી, બીલીમોરા ના અગ્રણીઓ, જ્ઞાતિપંચના હોદે્દારો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *