નવસારી કુંકણા (કુનબી) સમાજનો ૨૩ મો વાર્ષિક સામાન્ય સભા યોજાઈ: કોઇપણ સમાજની સેવા ભગવાનની સેવા બરાબર છે: મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ મંગુભાઇ પટેલ

નવસારી કુંકણા (કુનબી) સમાજનો ૨૩ મો વાર્ષિક સામાન્ય સભા યોજાઈ: કોઇપણ સમાજની સેવા ભગવાનની સેવા બરાબર છે: મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ મંગુભાઇ પટેલ

નવસારી કાલિયાવાડી ખાતે આવેલી કુંકણા (કુન્બી) જ્ઞાતિપંચના સુખી ભવન ખાતે કુંકણા સમાજનો ૨૩ માં વાર્ષિક સામાન્ય સભા મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ મંગુભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ અવસરે નવસારી ધારાસભ્ય  રાકેશભાઇ દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ ઉપસ્થિત રહયાં હતાં.

 

આ પ્રસંગે મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ મંગુભાઇ પટેલે કુંકણા સમાજનો ૨૩ માં વાર્ષિક સમારોહ અવસરે સમાજને સંગઠિત કરનાર તમામનો ઋણ સ્વીકાર કર્યો હતો. સમાજમાં સામાજીક કુરિવાજો, વ્યસનની બદીઓ દૂર કરી આદર્શ સમાજનું ઘડતર કરી, કુંકણા સમાજને અન્ય સમાજની હરોળમાં લઇ જવા સંકલ્પબધ્ધ થવા અનુરોધ કર્યો હતો.

સમાજનો કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ન રહેવો જોઇએ. કોઇપણ સમાજની સેવા ભગવાનની સેવા બરાબર છે તેમ જણાવી કુંકણા જ્ઞાતિપંચના આગેવાનોને સમાજમાં સૌને સાથે રાખી મજબૂત સંગઠન બનાવવા જણાવ્યું હતું. રાજયપાલશ્રીએ શિક્ષણ પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે, પ્રગતિની પારાશીશી શિક્ષણ છે.

વાર્ષિક સમારોહમાં કુંકણા સમાજના પ્રમુખ શ્રી રમેશભાઇ દેશમુખ, સુરત કુંકણા સમાજના પ્રમુખ શ્રી બિપિનભાઇ તેમજ સમસ્ત જ્ઞાતિપંચના પ્રમુખ શ્રી નાનુભાઇ પટેલે કુંકણા સમાજને અન્ય સમાજની હરોળમાં લઇ જવા, સમાજમાંથી કુરિવાજો દૂર કરવા, શિક્ષણને પ્રાધાન્ય આપવું, સમાજને સંગઠિત કરવા જેવા સમાજોપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

વાર્ષિક સમારોહમાં જુ.કે.જી. લઇ ઉચ્ચતર શિક્ષણ મેળવેલા તેમજ પરીક્ષામાં પ્રથમ, દ્વિતિય અને તૃતીયક્રમે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને રાજયપાલશ્રી તથા મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતાં. આ કાર્યક્રમમાં બાળકોએ બેટી બચાવો- બેટી પઢાવો, પાણી બચાવો, પર્યાવરણ બચાવો જેવી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.

આ પ્રસંગે નવસારીના અગ્રણી માધુભાઈ કથીરીયા, પ્રેમચંદભાઇ લાલવાણી, હરીશ મંગલાણી,કરસનભાઇ ટીલવા,પિયુષભાઇ પટેલ, શ્રીમતી નર્મદાબેન પટેલ, નીલાબેન દેશમુખ,દિપેશ પટેલ, ભુમિકાબેન કુન્બી, પ્રકાશભાઇ દેશમુખ, અશોકભાઈ ચોટલીયા, કુંકણા સમાજના સુરત, વલસાડ,ચીખલી, બીલીમોરા ના અગ્રણીઓ, જ્ઞાતિપંચના હોદે્દારો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *