નવસારીમાં ડાક વિભાગની જ્ઞાન પ્રસાર માટે નવી મેઈલ પોસ્ટ યોજના -“જ્ઞાન પોસ્ટ” શરૂ કરવામાં આવી

નવસારીમાં ડાક વિભાગની જ્ઞાન પ્રસાર માટે નવી મેઈલ પોસ્ટ યોજના -“જ્ઞાન પોસ્ટ” શરૂ કરવામાં આવી

ભારત સરકારના સંચાર મંત્રાલય હેઠળના ડાક વિભાગે ૨૯. એપ્રિલ ૨૦૨૫ નાં રોજ જાહેર કરેલી “જ્ઞાન પોસ્ટ” નામની નવીન મેઈલ સુવિધા તારીખ 1 મે 2025થી દરેક પોસ્ટ ઓફિસમાં શરૂ કરવામાં આવી છે.

“જ્ઞાન પોસ્ટ” સુવિધાનો મુખ્ય હેતુ દેશભરમાં જ્ઞાન-આધારિત સામગ્રીનું સસ્તું અને સરળ પરિવહન વધારવાનો છે. આ સુવિધાથી શૈક્ષણિક અને ધાર્મિક પુસ્તકો કિફાયતી ભાવે દેશમાં ગમે ત્યાં મોકલી શકાશે. શિક્ષણ, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને સામાજિક જોડાણને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ આ ઉત્પાદન, માન્ય શૈક્ષણિક બોર્ડો અને યુનિવર્સિટીઓ દ્વારા નિર્દિષ્ટ પુસ્તકો, અભ્યાસ સામગ્રી,તેમજ સામાજિક,સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વના સાહિત્યને કીફાયતી દરે મોકલવાની સુવિધા પૂરી પાડે છે. આ સામગ્રી સરફેસ મોડ દ્વારા મોકલવામાં આવે છે,જેનો ખર્ચ-અસરકારક છે,અને તેને સરળ નિરીક્ષણ માટે ખુલ્લા પરબિડીયામાં અથવા કવર વિના,300 ગ્રામથી 5 કિલોગ્રામના વજન અને નિર્ધારિત પરિમાણો (જેમ કે, નોન-રોલ ફોર્મમાં મહત્તમ 600x300x300 મીમી) સાથે મોકલવું આવશ્યક છે. જ્ઞાન પોસ્ટ મોકલવા માટેના પ્રસ્તાવિત દર નીચે મુજબા રહેશે.

આ સેવા દેશની તમામ વિભાગીય ડાકઘરોમાં ઉપલબ્ધ છે. આ સુવિધા ઓનલાઇન ટ્રેક-એન્ડ-ટ્રેસ સુવિધા, બુકિંગ વખતે પ્રમાણભૂત રસીદ સાથે મોકલવાનો પુરાવો,અને વિનંતી પર પ્રાપ્તકર્તાની સહી સાથે ડિલિવરીનો પુરાવો જેવી મજબૂત વિશેષતાઓ પ્રદાન કરે છે. ઓનલાઇન ટ્રેક-એન્ડ-ટ્રેસ ની સુવિધાથી તમારું પુસ્તક ક્યાં પહોંચ્યું તેની જાણ પુસ્તક મોકલનારને થઇ શકે છે. મોકલનાર ડિલિવરી પહેલાં સામગ્રી પાછી મંગાવવી અથવા સરનામું બદલવાના વિકલ્પનો લાભ પણ લઈ શકે છે, જે શરતો અને લાગુ ફીને આધીન છે. જ્યારે રજિસ્ટ્રેશન, ડિલિવરીનો પુરાવો અને વીમો જેવી વધારાની સેવાની સુરક્ષા પણ પૂરી પાડે છે. વ્યાપારી પ્રકાશનો, જાહેરાતો અથવા સામયિકોને ને જ્ઞાન પોસ્ટ દ્વારા મોકલી શકાશે નહિ.

ભારતીય ટપાલ વિભાગના વિશાળ અને વિશ્વસનીય નેટવર્કનો લાભ ઉઠાવીને, જ્ઞાન પોસ્ટ વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રકાશકો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઉમેદવારોને શૈક્ષણિક સંસાધનોની સસ્તી પહોંચ પૂરી પાડે છે તેમજ સાહિત્ય દ્વારા ભારતની સાંસ્કૃતિક અને ધાર્મિક વિરાસતને મજબૂત કરે છે. તેથી જાહેર જનતા ને ઉપરોક્ત સેવાનો લાભ લેવા નજીક ની પોસ્ટ ઓફીસ માં સપર્ક કરવા માટે આગ્રહ કરવામાં આવે છે. વધુ માહિતી માટે, ભારતીય ટપાલ વિભાગની સત્તાવાર વેબસાઇટ www.indiapost.gov.in પર જઈને સેવાની વિગત મેળવી શકો છો.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *