નવસારીમાં ડાક વિભાગની જ્ઞાન પ્રસાર માટે નવી મેઈલ પોસ્ટ યોજના -“જ્ઞાન પોસ્ટ” શરૂ કરવામાં આવી

નવસારીમાં ડાક વિભાગની જ્ઞાન પ્રસાર માટે નવી મેઈલ પોસ્ટ યોજના -“જ્ઞાન પોસ્ટ” શરૂ કરવામાં આવી

ભારત સરકારના સંચાર મંત્રાલય હેઠળના ડાક વિભાગે ૨૯. એપ્રિલ ૨૦૨૫ નાં રોજ જાહેર કરેલી “જ્ઞાન પોસ્ટ” નામની નવીન મેઈલ સુવિધા તારીખ 1 મે 2025થી દરેક પોસ્ટ ઓફિસમાં શરૂ કરવામાં આવી છે.

“જ્ઞાન પોસ્ટ” સુવિધાનો મુખ્ય હેતુ દેશભરમાં જ્ઞાન-આધારિત સામગ્રીનું સસ્તું અને સરળ પરિવહન વધારવાનો છે. આ સુવિધાથી શૈક્ષણિક અને ધાર્મિક પુસ્તકો કિફાયતી ભાવે દેશમાં ગમે ત્યાં મોકલી શકાશે. શિક્ષણ, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને સામાજિક જોડાણને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ આ ઉત્પાદન, માન્ય શૈક્ષણિક બોર્ડો અને યુનિવર્સિટીઓ દ્વારા નિર્દિષ્ટ પુસ્તકો, અભ્યાસ સામગ્રી,તેમજ સામાજિક,સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વના સાહિત્યને કીફાયતી દરે મોકલવાની સુવિધા પૂરી પાડે છે. આ સામગ્રી સરફેસ મોડ દ્વારા મોકલવામાં આવે છે,જેનો ખર્ચ-અસરકારક છે,અને તેને સરળ નિરીક્ષણ માટે ખુલ્લા પરબિડીયામાં અથવા કવર વિના,300 ગ્રામથી 5 કિલોગ્રામના વજન અને નિર્ધારિત પરિમાણો (જેમ કે, નોન-રોલ ફોર્મમાં મહત્તમ 600x300x300 મીમી) સાથે મોકલવું આવશ્યક છે. જ્ઞાન પોસ્ટ મોકલવા માટેના પ્રસ્તાવિત દર નીચે મુજબા રહેશે.

આ સેવા દેશની તમામ વિભાગીય ડાકઘરોમાં ઉપલબ્ધ છે. આ સુવિધા ઓનલાઇન ટ્રેક-એન્ડ-ટ્રેસ સુવિધા, બુકિંગ વખતે પ્રમાણભૂત રસીદ સાથે મોકલવાનો પુરાવો,અને વિનંતી પર પ્રાપ્તકર્તાની સહી સાથે ડિલિવરીનો પુરાવો જેવી મજબૂત વિશેષતાઓ પ્રદાન કરે છે. ઓનલાઇન ટ્રેક-એન્ડ-ટ્રેસ ની સુવિધાથી તમારું પુસ્તક ક્યાં પહોંચ્યું તેની જાણ પુસ્તક મોકલનારને થઇ શકે છે. મોકલનાર ડિલિવરી પહેલાં સામગ્રી પાછી મંગાવવી અથવા સરનામું બદલવાના વિકલ્પનો લાભ પણ લઈ શકે છે, જે શરતો અને લાગુ ફીને આધીન છે. જ્યારે રજિસ્ટ્રેશન, ડિલિવરીનો પુરાવો અને વીમો જેવી વધારાની સેવાની સુરક્ષા પણ પૂરી પાડે છે. વ્યાપારી પ્રકાશનો, જાહેરાતો અથવા સામયિકોને ને જ્ઞાન પોસ્ટ દ્વારા મોકલી શકાશે નહિ.

ભારતીય ટપાલ વિભાગના વિશાળ અને વિશ્વસનીય નેટવર્કનો લાભ ઉઠાવીને, જ્ઞાન પોસ્ટ વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રકાશકો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઉમેદવારોને શૈક્ષણિક સંસાધનોની સસ્તી પહોંચ પૂરી પાડે છે તેમજ સાહિત્ય દ્વારા ભારતની સાંસ્કૃતિક અને ધાર્મિક વિરાસતને મજબૂત કરે છે. તેથી જાહેર જનતા ને ઉપરોક્ત સેવાનો લાભ લેવા નજીક ની પોસ્ટ ઓફીસ માં સપર્ક કરવા માટે આગ્રહ કરવામાં આવે છે. વધુ માહિતી માટે, ભારતીય ટપાલ વિભાગની સત્તાવાર વેબસાઇટ www.indiapost.gov.in પર જઈને સેવાની વિગત મેળવી શકો છો.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *