વિજલપુરમાં ધુળેટી રમવાની આડમાં આધેડે કિશોરી સાથે શારીરિક અડપલાં કરતા પોસ્કો હેઠળ ગુનો નોંધાયો

વિજલપુરમાં ધુળેટી રમવાની આડમાં આધેડે કિશોરી સાથે શારીરિક અડપલાં કરતા પોસ્કો હેઠળ ગુનો નોંધાયો

ધુળેટીના તહેવાર નાના હોય મોટા લોકો એકબીજાને રંગ લગાવી ભાઈચારા તેમજ સંબધોને વધુ મજબૂત બનાવવા માટેનો સંદેશો આપતો હોય છે.પરંતુ નવસારી શહેરના વિજલપોર ખાતે એક આધેડે ધુળેટીના દિવસે કિશોરી તેની બહેનપણીઓ સાથે ધુળેટી રમી હતી. આધેડે ત્યારે તેને રંગ લગાવવાના નામે શારીરિક અડલપા કરતા પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસ દ્વારા આરોપી વિષ્ણુ પ્રતાપસિંહ રાજપૂતે ની અટક કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નવસારીશહેરના વિજલપોર ખાતે આવેલ રામનગરમાં પરપ્રાંતિય વસ્તી રહે છે જેમાં મોટાભાગે ઉત્તર ભારતીય પરિવારો માં ધૂળેટીનું એક ખાસ મહત્વ છે સાથે જેવી રીતે યુપી,બિહાર રાજ્યમાં ધુળેટી નો તહેવાર રંગે ચંગે ઉજવાય છે તેવી જ રીતે વિજલપોરના રામનગર ખાતે વસેલા ઉત્તર ભારતીય પરિવારોમાં પણ ધુળેટી ના તહેવાર ઉજવવામાં આવે છે.

ગઈકાલે ધૂળેટી દરમિયાન 41 વર્ષીય વિષ્ણુ પ્રતાપસિંહ રાજપૂતે પોતાની દીકરીની ઉંમરની 14 વર્ષીય કિશોરી કે જે અન્ય સ્ત્રીઓ તેમજ બહેનપણીઓ સાથે ધુળેટી રમી રહી હતી. ત્યારે રંગ લગાવીને આરોપી દ્વારા તેની લાજ લેવાનો પ્રયત્ન કર્યો હતો. કિશોરીને ખેંચીને છાતીના ભાગે અડપલા કરતા કિશોરી હપ્તાઈ ગઈ હતી અને સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરતા આધેડ વિરુદ્ધ વિજલપોર પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી. વિજલપુર પોલીસ દ્વારા ગણતરીના કલાકમાં આધેડ ની ધરપકડ કરી છે. પોસ્કો હેઠળ કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે આરોપી વિષ્ણુ પ્રતાપસિંહ રાજપૂતેનું મેડિકલ ટેસ્ટ કરી કોર્ટ સમક્ષ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *