વિજલપુરમાં ધુળેટી રમવાની આડમાં આધેડે કિશોરી સાથે શારીરિક અડપલાં કરતા પોસ્કો હેઠળ ગુનો નોંધાયો

વિજલપુરમાં ધુળેટી રમવાની આડમાં આધેડે કિશોરી સાથે શારીરિક અડપલાં કરતા પોસ્કો હેઠળ ગુનો નોંધાયો

ધુળેટીના તહેવાર નાના હોય મોટા લોકો એકબીજાને રંગ લગાવી ભાઈચારા તેમજ સંબધોને વધુ મજબૂત બનાવવા માટેનો સંદેશો આપતો હોય છે.પરંતુ નવસારી શહેરના વિજલપોર ખાતે એક આધેડે ધુળેટીના દિવસે કિશોરી તેની બહેનપણીઓ સાથે ધુળેટી રમી હતી. આધેડે ત્યારે તેને રંગ લગાવવાના નામે શારીરિક અડલપા કરતા પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસ દ્વારા આરોપી વિષ્ણુ પ્રતાપસિંહ રાજપૂતે ની અટક કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નવસારીશહેરના વિજલપોર ખાતે આવેલ રામનગરમાં પરપ્રાંતિય વસ્તી રહે છે જેમાં મોટાભાગે ઉત્તર ભારતીય પરિવારો માં ધૂળેટીનું એક ખાસ મહત્વ છે સાથે જેવી રીતે યુપી,બિહાર રાજ્યમાં ધુળેટી નો તહેવાર રંગે ચંગે ઉજવાય છે તેવી જ રીતે વિજલપોરના રામનગર ખાતે વસેલા ઉત્તર ભારતીય પરિવારોમાં પણ ધુળેટી ના તહેવાર ઉજવવામાં આવે છે.

ગઈકાલે ધૂળેટી દરમિયાન 41 વર્ષીય વિષ્ણુ પ્રતાપસિંહ રાજપૂતે પોતાની દીકરીની ઉંમરની 14 વર્ષીય કિશોરી કે જે અન્ય સ્ત્રીઓ તેમજ બહેનપણીઓ સાથે ધુળેટી રમી રહી હતી. ત્યારે રંગ લગાવીને આરોપી દ્વારા તેની લાજ લેવાનો પ્રયત્ન કર્યો હતો. કિશોરીને ખેંચીને છાતીના ભાગે અડપલા કરતા કિશોરી હપ્તાઈ ગઈ હતી અને સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરતા આધેડ વિરુદ્ધ વિજલપોર પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી. વિજલપુર પોલીસ દ્વારા ગણતરીના કલાકમાં આધેડ ની ધરપકડ કરી છે. પોસ્કો હેઠળ કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે આરોપી વિષ્ણુ પ્રતાપસિંહ રાજપૂતેનું મેડિકલ ટેસ્ટ કરી કોર્ટ સમક્ષ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *