ચીખલી ગ્રામ પંચાયત હસ્તક ભાડા પટ્ટાની ૧૩ દુકાનો સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઈ

ચીખલી ગ્રામ પંચાયત હસ્તક ભાડા પટ્ટાની ૧૩ દુકાનો સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઈ

માર્ચ માસ એટલે નાણાંકીય વર્ષ પૂર્ણ થવાની તૈયારીમાં છે. રાજ્ય તમામ મહાનગરપાલિકા,નગરપાલિકા કે ગ્રામ પંચાયત ધ્વારા બાકી વેરા વસુલાત કે બાકી લેણા બાબતે આકરા મિજાજમાં જોવા મળી રહી છે.

રાજ્યની તમામ શહેરી વિસ્તારમાં આવેલી નગરપાલિકાઓ પણ કડક વસૂલાત કરી રહી છે.ત્યારે ગ્રામ પંચાયતો ધ્વારા પણ બાકી વેરા કે લેણા વસુલાત માટે પોતાના હસ્તગત દુકાનો કે પ્રાઈવેટ મિલકત ઉપર સિલ મારવાની કાર્યવાહી જોવા મળી રહી છે.

નવસારી જિલ્લામાં ચીખલી તાલુકામાં ચીખલી ગ્રામ પંચાયત ધ્વારા ૧૭ દુકાનોના બાકી નીકળતા ચાલુ વર્ષ તથા પાછલા વર્ષ બાકી ભાડાઓ બાબતે લેણદારોએ કોઈપણ પ્રકાર પ્રતિભાવ ન આપતા આજરોજ સીલ મારવાની કામગીરી પંચાયત અધિકારીઓ તથા કર્મચારીઓ ધ્વારા હાથ ધરવામાં આવી છે.જેમાં ૧૩ જેટલી દુકાનો સીલ મારવામાં આવી છે.

ગ્રામ પંચાયત હસ્તગત આવેલી ૧૭ દુકાનોના ગતવર્ષ ૫,૫૩,૮૫૪ અને આ વર્ષ ના ૧૧૯૬૨ મળી કુલે ૫,૬૫,૮૧૫ લાખ ભાડું બાકી હોય દુકાનોના સીલ કરવામાં આવ્યું હતું.લેણા બાબતે ગત ૧૨/૧૧/૨૧ એ નોટિસ આપવામાં આવી હતી પણ તમામ દુકાનદારો પાસેથી વસુલાત થઈ નહતી જેથી ગ્રામપંચાયત દ્વારા દુકાનદારો વિરુદ્ધ સિલ મારવાની કામગીરી કરવામાં આવી છે.

 

 

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *