ધોરણ 10 વિદ્યાર્થીઓની આતુરતાનો અંત: 25મી મેના રોજ પરિણામ આવશે

ધોરણ 10 વિદ્યાર્થીઓની આતુરતાનો અંત: 25મી મેના રોજ પરિણામ આવશે

ગુજરાત શિક્ષણ બોર્ડમાં ધોરણ-10 અને 12ની બોર્ડની એક્ઝામ બાદ પણ પરિણામની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.ગુજરાત બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. બોર્ડની એસએસસીની પરીક્ષાના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ધોરણ 10નું પરિણામ 25 મેના રોજ સવારના વિદ્યાર્થીઓ ગુરૂવારે આઠ કલાકથી ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ gseb.org પર પરીક્ષાર્થીનો નંબર નાંખીને આ પરિણામ જોઇ શકાશે.

વોટ્સએપ નંબર પર આ રીતે જોઇ શકાશે

માર્ચ 2023મા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ વોટ્સએપ નંબર પરથી જોવાયુ હતુ. આ સાથે શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર પણ પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત વોટ્સએપ નંબર 63573 00971 ઉપર વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવ્યુ હતુ. આ જ રીતે હવે ધોરણ 10ના વિદ્યાર્થીઓ પણ વોટ્સએપ પર પોતાનું પરિણામ મેળવી શકશે.Whatsapp પર પરિણામોનો પહેલો પ્રયોગ સફળ રહ્યો હતો.જેથી આ પરિણામમાં પણ whatsapp પદ્ધતીનો ઉપયોગ કરાશે. એટલે કે જેઓ પરિણામ લેવા જવા માટે કેન્દ્ર પર જવા માટે સક્ષમ નથી અથવા તો ભીડભાડ વગર શાંતિથી પરિણામ લેવા કેન્દ્ર પર જવા માંગે છે તેઓ પ્રાથમિક પરિણામ તો તાત્કાલિક તો whatsapp દ્વારા જાણી શકશે.

પાસ થવા માટે 33% માર્ક્સ જરૂરી

ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષા 2023 માર્ચ 14થી 28 દરમિયાન લેવામાં આવી હતી. ભૂતકાળના પરિણામના GSEB મેના બીજા સપ્તાહ સુધીમાં પરિણામ જાહેર થતા હતા. ગુજરાત શિક્ષણ બોર્ડની GSEB 10મી બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીએ દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% માર્ક્સ મેળવવા જરૂરી છે.

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *