નવસારીના વેડછા ગામના ખેડૂતની વાડીમાં રૂદ્રાક્ષ, સુખડ, ગુગળ, સિંદૂર, કૈલાસપતિ જેવા વૃક્ષો પણ છે!:વેડછાના ખેડૂત જીતુભાઈની મુલાકાત અનોખી છે 

નવસારીના વેડછા ગામના ખેડૂતની વાડીમાં રૂદ્રાક્ષ, સુખડ, ગુગળ, સિંદૂર, કૈલાસપતિ જેવા વૃક્ષો પણ છે!:વેડછાના ખેડૂત જીતુભાઈની મુલાકાત અનોખી છે 

જગતનો તાત સામાન્ય પોતાના વિસ્તારમાં સ્થાનિક પાકો લેતા હોય છે. દક્ષિણ ગુજરાત તેમાં પણ ખાસ કરીને નવસારી જિલ્લો એટલે બાગાયત પાકોનો વિસ્તાર તેમાં પણ સામાન્ય રીતે  જલાલપોર તાલુકામાં ખેડૂતો ધ્વારા પોતાની જમીનમાં ઉનાળું ભાત,શેરડી, શાકભાજી કે વાડીમાં આંબા,ચીકુ કરતા હોય છે.

ચીકુ,શેરડી,ભાત તો બધા જ અને કૃષિ વિજ્ઞાને દેશ અને દુનિયાને હંમેશા કંઈક નોખું- અનોખું આપ્યું છે. આપણા દેશમાં એલોપથી, આયુર્વેદ કે હોમિયોપેથી ઉપચાર કરાવતા હોય છે.તેની સાથે સાથે ઘણાં એવા પણ લોકો છે. જેઓ ઔષધિઅય વનસ્પતિ અને વૃક્ષોથી જ ઉપચાર કરવામાં આવે માને છે.

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વેડછા ગામના જીતેન્દ્ર રમણભાઈ દેસાઈ પોતાની વાડીઓમાં જુદી જુદી જાતની આંબાની કલમો જેવીકે કેસર,હાફુસ,દશેરી,બેંગલોરી દાડમીયો જેવી અનેક જાતની ની કેરીઓ પણ તેમની વાડીઓમાં છે. તેમજ તેમની વાડીમાં સોપારી ઝાડ પણ છે.  ચીકુ- શેરડી, ભાત તો બધા જ ખેડૂતો કરે પણ આરોગ્યપ્રદ વનસ્પતિ વૃક્ષો ઉગાડી સારી એવી આવક સાથે લોક ઉપયોગી કાર્યો પણ કરી રહ્યા છે.

 

સમગ્ર દેશ અને દુનિયામાં આદિકાળથી શિવજીના રુદ્રાક્ષનો મહિમા છે અને દ.ગુજરાતનાં નવસારીના વેડછા ગામે જીતુભાઈ દેસાઈની વાડીમાં ર રૂદ્રાક્ષના વૃક્ષો છે જેના ઉપર અનેક રૂદ્રાક્ષના ફળો આવે છે. આ ફળોમાંથી એકમુખી લઈ છ મુખી રૂદ્રાક્ષના નીકળે છે.એમની વાડી જોવી લ્હાવો સમાન છે.

રુદ્રાક્ષ વુક્ષ તથા તેના ફળો

આ વાડીમાં સીસમના વૃક્ષો,સિંધુરના ર વૃક્ષો, ગુગળનું વૃક્ષ,એપલ બોર,સફેદ તથા લીલા રંગ જાબુ,સંતરા તથા મોસબીનું ઝાડ પણ ઉગાડ્યા છે. ઓલ સ્પાઈસીસ છોડ તેમજ અન્ય વુક્ષો તેમજ આયુર્વેદિક છોડ તથા વુક્ષો વાવેતર પણ કર્યા છે.

ઓલ સ્પાઈસીસ નો છોડ

 

એમની વાડી ની વાત કરીએ તો આ જમીન રાજા રજવાડાંઓ સમય સચીન નવાબ સ્ટેટ આ જમીન વખતે આવતી હતી. અંદાજે 250 વર્ષ અગાઉ જેતે સમયે એક ગંગામાતા- જળદેવી મંદિર હતું. ત્યારે પણ આ મંદિર કોઈપણ નુકસાન ન પહોંચાડયુ હતું અને આઝાદી બાદ આ સરદાર પટેલ રજવાડાંઓ એક કર્યા ત્યારે પણ આ મંદિર હતું.

જળદેવી/ગંગામાતા પૌરાણિક મંદિર

જીતુભાઈના વડવાઓ આ જમીન ખરીદી હતી. તેમના પિતા આ મંદિર રખરખાવ તેમજ પુજન અર્ચન કરતા હાલમાં અતિ પૌરાણિક ગંગામાતા- જળદેવી મંદિર પણ આવેલા હાલમાં પણ જીતુભાઈ જીર્ણોદ્ધાર તેમજ નિયમિત પણે દરરોજ પૂજન તથા અર્ચન કરાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂત આગેવાન એવા જીતુભાઈ રમણભાઈ દેસાઈ ઔષધિય વનસ્પતિઓનો ઉપચાર અને વૈદુ પણ જાણે છે. વંધ્યત્વનિવારણ (શિશુ જન્મ) સમસ્યા, માસિક સ્ત્રાવની સમસ્યા, અશકિત, કેન્સર માટેની ઔષધિય, અસ્થિભંગ અને હાંડકાના પ્રશ્નો, જલોદર (જલંધર), પ્રસુતાના પ્રશ્નો વિગેરે માટે પણ દેશી ઉપચારમાં એમને કુદરતી સુઝબુઝ અને વિશાળ અનુભવ છે. શરીરથી થાકેલા અને મનથી થાકેલા માટે ભાંગ્યાના ભેરૂ જેવું વેડછાના આ જીતુભાઈ દેસાઈ સેવાયજ્ઞ કરી રહ્યા છે.

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *