આવતી કાલે નવીન બસનું લોકાર્પણ:રાજ્ય સરકાર ચોથા તબક્કામાં નવસારી ખાતે 125 બસનું લોકાર્પણ થશે,  નવસારીના સાંસદ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવી અને લીલી ઝંડી બતાવશે

આવતી કાલે નવીન બસનું લોકાર્પણ:રાજ્ય સરકાર ચોથા તબક્કામાં નવસારી ખાતે 125 બસનું લોકાર્પણ થશે, નવસારીના સાંસદ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને લીલી ઝંડી બતાવશે

ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા પેસેન્જરોની સેવામાં અત્યાધુનિક બસોનું નિર્માણ કરાવ્યું છે જેમાં કુલ 900 બસોનું  લોકાર્પણ રાજ્યના અલગ અલગ વિભાગીય સેન્ટર પરથી કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આવતીકાલે નવસારી બસ ડેપોથી  નવસારી ના સાંસદ સી આર પટેલ અને ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી 125 બસને લોકાર્પિત કરશે.

રાજ્યમાં જૂની જર્જરીત થઈ ગયેલી બસોની અનેક વખત ફરિયાદો વધતા રાજ્ય સરકારે મોટી સંખ્યામાં નવી બસો આધુનિક સુવિધા યુક્ત બનાવડાવી છે જેમાં 150 ગાંધીનગર,70 પાલનપુર,150 જામનગર પેસેન્જરો માટે અપાઈ છે. અને  હવે ચોથા તબક્કામાં 125 જેટલી બસો નવસારીમાં લોકાર્પિત થવા જઈ રહી છે.રાજ્યના ગૃહ રાજ્ય અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ  સંઘવી અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે લીલી ઝંડી બતાવી બસ પોતાના ગંતવ્ય સ્થળ માટે ઉપડશે.

લોકર્પિત થનાર 125 બસ પૈકી 70 મીની બસ, 35 2X2,20 સ્લીપર બસ પેસેન્જર ને સગવડ અને આરામદાયક સુવિધા સાથે સેવા આપશે.વલસાડ ના ઈંચા.વિભાગીય નિયામક વી.એચ.શર્મા એ માહિતી આપતા જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત ના વિભાગીય સેન્ટર નવસારી ખાતે આવતીકાલે 125 જેટલી બસો લોકાર્પીત થનાર છે જેમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *