ઉતરાયણ પર્વ દરમિયાન અબોલા પક્ષીઓની સુરક્ષા સંદેશ સાથે નવસારીમાં ‘કરુણા અભિયાન ૨૦૨૬’ અંતર્ગત કાર્યશાળા યોજાઈ

ઉતરાયણ પર્વ દરમિયાન અબોલા પક્ષીઓની સુરક્ષા સંદેશ સાથે નવસારીમાં ‘કરુણા અભિયાન ૨૦૨૬’ અંતર્ગત કાર્યશાળા યોજાઈ

નવસારી શહેરમાં આજ રોજ મહાનગરપાલિકા ટાઉનહોલ ખાતે નવસારી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કરુણા અભિયાન ૨૦૨૬ અંતર્ગત એક મહત્વપૂર્ણ માર્ગદર્શક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યશાળામાં ઉતરાયણ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને સુરક્ષિત રીતે કેવી રીતે બચાવવા, રેસ્ક્યુ સમયે કઈ સાવચેતી રાખવી, શું કરવું અને શું ન કરવું તેમજ ઘાયલ પક્ષીઓને આપવાની પ્રાથમિક સારવાર અંગે વેટનરી કોલેજ નવસારીના ડો. સૌરભ પરમારે વિસ્તૃત અને વ્યવહારૂ માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે ઘાયલ પક્ષીઓ માટે વન વિભાગ દ્વારા ઉપલબ્ધ તાત્કાલિક સંપર્ક વ્યવસ્થા, હેલ્પલાઇન નંબરો તથા સારવાર કેન્દ્રોના સરનામાની માહિતી પણ ઉપસ્થિતોને આપવામાં આવી હતી.

આ અવસર પર નાયબ વન સંરક્ષક નવસારી ઉર્વશી આઈ. પ્રજાપતિ તથા મદદનીશ વન સંરક્ષક કેયુર પટેલ દ્વારા કરુણા અભિયાન સંદર્ભે વિગતવાર માહિતી આપી હતી તથા વનવિભાગ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અંગે કૃષિ યુનિવર્સિટી નવસારીના એસોસિયેટ પ્રોફેસર ડો. જયેશ જેંદેએ માર્ગદર્શન આપ્યું હતું, જેથી નાગરિકો કાયદાની સમજ સાથે જવાબદારીપૂર્વક અને માનવતાભાવથી પક્ષીઓની મદદ કરી શકે છે

કાર્યશાળામાં નવસારી જિલ્લાના વિવિધ કોલેજો, શાળાઓ, એનજીઓ,સ્વયંસેવકો તેમજ જાગૃત નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કરુણા અભિયાન ૨૦૨૬ તારીખ ૧૦ જાન્યુઆરી ૨૦૨૬થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ સુધી અમલમાં રહેશે અને આ સમયગાળા દરમિયાન ઘાયલ પક્ષીઓની સુરક્ષા અને સારવાર માટે વિશેષ વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવશે.

વન વિભાગે નાગરિકોને અપીલ કરી હતી કે કોઈ પણ ઘાયલ પક્ષી જોવા મળે તો તરત જ ટોલ ફ્રી નંબરો ૧૯૨૬ અને ૧૯૬૨ પર સંપર્ક કરવો, તેમજ ૮૩૨૦૦૦૨૦૦૦ પર ‘Hi’ ટેક્સ્ટ અથવા મિસ્ડ કોલ આપી નજીકના સારવાર કેન્દ્રની માહિતી મેળવી શકાશે. ઉતરાયણના તહેવાર દરમિયાન માનવતા અને કરુણાભાવ સાથે પક્ષીઓની સુરક્ષા માટે સૌ નાગરિકો સહયોગ આપે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *