નવસારીનું ગૌરવ: 170 કિ.મી.ની ભારતની સૌથી કઠિન સાયકલ રેસમાં નવસારીના પરસી સુરતી સિલ્વર મેડલ સાથે શહેરનું ગૌરવ વધાર્યું

નવસારીનું ગૌરવ: 170 કિ.મી.ની ભારતની સૌથી કઠિન સાયકલ રેસમાં નવસારીના પરસી સુરતી સિલ્વર મેડલ સાથે શહેરનું ગૌરવ વધાર્યું

  • Sports
  • January 9, 2026
  • No Comment

નવસારીના સ્ટેલોન જીમના માલિક અને ઉત્સાહી સાયકલિસ્ટ પરસી સુરતી એ સમગ્ર ભારત સ્તરે નવસારીનું નામ રોશન કર્યું છે. તારીખ 4 જાન્યુઆરી 2026, રવિવારના રોજ મહેસાણા સાયકલિંગ ક્લબ દ્વારા આયોજિત મહેસાણા થી આબુ ગુરુ શિખર (170 કિ.મી.)ની કઠિન સાયકલ રેસમાં પરસી સુરતીએ શાનદાર પ્રદર્શન કરતા સિલ્વર મેડલ મેળવી ભારતભરમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સાથે તેમને રોકડ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ટુર્નામેન્ટમાં દેશભરના અનુભવી અને વ્યાવસાયિક સાયકલિસ્ટો ભાગ લે છે. મહેસાણા થી આબુ ગુરુ શિખર સાયકલ રેસને ભારતની સૌથી કઠિન સાયકલ રેસોમાંથી એક માનવામાં આવે છે. રેસ દરમિયાન પ્રથમ 130 કિલોમીટર ફ્લેટ રોડ પર સાયકલિંગ બાદ આબુનું લગભગ 40 કિલોમીટર લાંબું કઠિન ચઢાણ (ક્લાઈમ્બિંગ) પાર કરવું પડે છે.

આબુનું ગુરુ શિખર અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે, જેની ઊંચાઈ 1722 મીટર (આશરે 5650 ફૂટ) દરિયાઈ સપાટીથી ઉપર આવેલી છે. આવી વિકટ પરિસ્થિતિમાં સિલ્વર મેડલ જીતવું નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે.આ સફળતા પાછળ પરસી સુરતીની સખત મહેનત મુખ્ય કારણ રહી છે. તેમણે છેલ્લા બે મહિનાથી રોજના 100 થી 150 તેમજ ક્યારેક 200 કિલોમીટર સુધીની સતત પ્રેક્ટિસ કરી હતી. સાથે જ તેઓ સપ્તાહમાં ત્રણ વખત નવસારી થી આહવા-સાપુતારા રૂટ પર જઈ કઠોર અભ્યાસ કરતા હતા.

પરસી સુરતીને આ સફરમાં નવસારીના સાયકલિસ્ટ વીરાફ પીઠાવાલા,હરિશ ટંડેલ, તેમજ ડો.અજય મોદી,ડો.દેવાંગ વૈધ અને ડો.પિયુષ વૈધનો મહત્વપૂર્ણ સહકાર અને માર્ગદર્શન મળ્યું હતું.ઉપરાંત સાયક્લોપીડિયા સાયકલ શોપના માંથરચ જાગીરદાર દ્વારા સાયકલની તમામ સર્વિસની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે બોમી જાગીરદારએ માર્ગદર્શક તરીકે સતત પ્રોત્સાહન આપ્યું હતું.

આ સિદ્ધિ બદલ નવસારી સાયકલિંગ એસોસિયેશનના સભ્યો, રમતપ્રેમીઓ તથા શહેરીજનોએ પરસી સુરતીને શુભેચ્છાઓ પાઠવી અભિનંદન વ્યક્ત કર્યા છે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *