ખેડૂતો માટે સારા સમાચાર:ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, કૃષિ વીજ જોડાણો બાદ ફિક્સ કનેક્શન ચાર્જમાંથી મુક્તિ અપાઈ
- Local News
- April 7, 2023
- No Comment
ગુજરાત રાજ્ય સરકાર ધ્વારા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે ખેડૂતોને વિજ જોડાણ બાદ ફિક્સ કનેક્શન ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે. એટલે કે કૃષિ વીજ જોડાણોને લઈ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

ફિક્સ ચાર્જની રકમમાંથી મુક્તિ અપાઈ
ખેડૂતોને વીજજોડાણ લોડ વધારાની અરજી બાદ વસૂલાતી ફિક્સ ચાર્જની રકમમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત સ્વૈચ્છિક જાહેરાત યોજનાની સમય મર્યાદામાં પણ વધારો કરાયો છે. સરકારના આ નિર્ણય બાદ હવેથી ગુજરાતના ખેડૂતોએ લોડ વધારાની અરજી બાદ માત્ર ડિપોઝિટ જ ચૂકવવાની રહેશે.
કિસાન સંઘની રજૂઆત બાદ સરકારનો નિર્ણય
મળતી જાણકારી મુજબ, ખેડૂતોને હવે વધારાના વીજ લોડ પર દંડમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમજ લોડ વધારાની અરજી બાદ ખેડૂતોને માત્ર ડિપોઝિટ ચુકવવાની રહેશે. ખેડૂતોને સ્થળ પર નાંણા ભરી લોડ વધારી અપાશે અને લોડ વધારવા બાબતનો ચાર્જ વીજ કંપની ભોગવશે. આપને જણાવી દઈએ કે, કિસાન સંઘ દ્વારા આ મામલે સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે કિસાન સંઘની રજૂઆત બાદ રાજ્ય સરકાર આ નિર્ણય લીધો છે.

રાજ્ય સરકાર નિર્ણય બાદ ખેડૂતોને લાભ
રાજ્ય સરકાર ધ્વારા વિજ જોડાણ ફિક્સ કનેક્શન ચાર્જ માંથી મુક્ત અપતા રાજ્ય હજારો ખેડૂતોને ખેતી તેમજ વાડીમાં પાણી પીવડાવવામાં સરળતા રહેશે. સાથે વિજ લોડ વઘધટ કારણે બોર,કુવામાં ઈલેક્ટ્રીક મોટર બળી જવાની ધટના તેમજ નહેર આધારિત ખેડૂત નહેર આધારિત ખેતી કરનાર ખેડૂત પણ વિજ જોડાણ કરવા પગલે તેમજ વરસાદ આધારિત ખેતી કરનાર પણ આ નિર્ણય માટો લાભ થશે