ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલ એ કાર્યકરોમાં બુથ સશક્તિકરણ ના પ્રાણ ફૂંકયા

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલ એ કાર્યકરોમાં બુથ સશક્તિકરણ ના પ્રાણ ફૂંકયા

નવસારી ખાતે આવેલા બી. આર.ફાર્મમાં બુથ સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ચૂંટાયેલી પાંખ ,હોદેદારો,બુથ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ સાહેબ આવકાર પ્રવચન કરી સૌને આવકાર્ય હતા ત્યારબાદ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ એ કાર્યકરોને સંબોધતા પેજ સમિતિના આ ચક્રવ્યુને વધુ મજબૂત જેમાં ચૂંટાયેલી પાંખ સહિત સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.

ભાજપ પાર્ટી ને કોર્પોરેટ કંપનીની જેમ ડિસિપ્લિન અને સંગઠનની શક્તિથી ચાલે છે. જેમાં સી.આર.પાટીલ એ આગામી લોકસભામાં હરીફ ઉમેદવારની ડિપોઝિટ અને જંગી બહુમતીથી લીડ લાવવાનો સંકલ્પ લીધો છે પેજ સમિતિના આ ચક્રવ્યુને વધુ મજબૂત બનાવવા માટે સી. આર. પાટીલે કાર્યકરો રોડ મેપ આપ્યો હતો.

આગામી 2024 માં લોકસભાની ચૂંટણીમાં જંગીબહુમતીથી જીત અને લીડ મેળવવા માટે સી.આર.પાટીલે ને બુથ સશક્તિકરણ અભિયાનની શરૂઆત કરી છે. જેમાં પોતાના સંસદીય મતવિસ્તારમાં આવતા નવસારીમાં સંમેલન યોજિને કાર્યકરોને મતદાર સુધી કંઈ રીતે પહોચવું મતદાન કરાવવું તેની માહિતી આપી હતી.

સી.આર. પાટીલ એ ISO સર્ટીફીકેટ ધરાવતી તેમની ઓફિસ કઈ રીતે કામ કરે છે તેની પણ માહિતી પ્રેઝન્ટેશન થકી આપી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014 થી લઈને અત્યાર સુધી સંગઠન ક્ષેત્રે કરેલી નોંધપાત્ર કામગીરી તેમજ ભારત દેશને વિશ્વના દેશો હરણફાળ ભરતા વિકસિત દેશ તરીકે જોતા થયા હોવાનો શ્રેય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો હતો.સી આર પાટીલજીએ તમામ કાર્યકરોને ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વીટર સહિતના એકાઉન્ટ ખોલી જન જન સુધી પહોંચવાની હાકલ પણ કરી હતી.

મતદારો સુધી કેવી રીતે પહોંચાય અને તેમને બુથ સુધી કઈ રીતે લાવવા તે માટે પેજ સમિતિ એક અભેદ શસ્ત્ર હોવાની માહિતી સી આર પાટીલએ આપી હતી. તેમજ પેજ સમિતિને લઈને નબળું પર્ફોમન્સ ધારાવતા સભ્યોનો ઉઘડો સ્ટેજ પરથી જ લેવામાં આવ્યો હતો. સી.આર પાટીલ કેટલી પેજ સમિતિ લોકોમાં કેટલી બારીકાઈથી લોકોના કામ કરે છે.

આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ, ગુજરાત વિધાનસભાના ઉપ દંડક કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાભાઈ શાહ, વલસાડના સાંસદ ડોક્ટર કે સી પટેલ ,ધારાસભ્ય આર સી પટેલ, નરેશભાઈ પટેલ અને રાકેશભાઈ દેસાઈ પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને નવસારીના પ્રભારી ઉષાબેન પટેલ ,ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી શીતલબેન સોની ,નવસારી જિલ્લા પ્રભારી રણજીતભાઈ ચીમના ,સહિતના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *