નવસારી જિલ્લામાં ઓગષ્ટ માસમાં ‘સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૩ ’ અંતર્ગત ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્રો, ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ સર્વેની કામગીરી કરાશે

નવસારી જિલ્લામાં ઓગષ્ટ માસમાં ‘સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૩ ’ અંતર્ગત ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્રો, ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ સર્વેની કામગીરી કરાશે

ભારત સરકારના પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન–ગ્રામીણ યોજના અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્ય સહિત નવસારી જિલ્લાના પ્રત્યેક ગામોમાં સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૩ ની કામગીરી હાથ ધરાનાર છે. ખુલ્લામાં શૌચક્રિયા મુકત સ્થિતિને ટકાવી રાખવાની કામગીરી સહિત ઘન અને પ્રવાહી કચરાના નિકાલ અંગેના વ્યવસ્થાપનને સુનિશ્વિત કરવાની સાથે સાર્વત્રિક રીતે ગામ સ્વચ્છ બને અને ઓડીએફ પ્લસનો દરજ્જો મેળવે તે સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૩” કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. જે અન્વયે નવસારી જિલ્લામાં સર્વેની કામગીરી ૨૫ ઓગસ્ટ ૨૦૨૩ સુધી ભારત સરકાર દ્વારા નિયુક્ત કરેલી એજન્સી મારફતે ગ્રામીણ વિસ્તારમાં સર્વેક્ષણની કામગીરી હાથ ધરાશે.

નવસારી જિલ્લાના તમામ ગામોમાં સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત ગ્રામ્યકક્ષાએ લોકોમાં સ્વચ્છતા પ્રત્યેની ભાવના કેળવવાના ઉમદા આશય સાથે ગ્રામ પંચાયત, શાળા, આંગણવાડી કેન્દ્રો સહિતના સ્થળોએ ભીંતચિત્રો દ્વારા સ્વચ્છ સર્વેક્ષણનું બહોળા પાયે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જેમાં દરેક સ્થળે ઘન-પ્રવાહી કચરા વ્યવસ્થાપન, મળ-કાદવનું વ્યવસ્થાપન, સ્વચ્છતા અંગેની જાગૃતિ, ઓ.ડી.એફ. પ્લસ ગામ અંગે સમુદાયમાં જાગૃતિ માટેના કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.

ગ્રામજનો પટાંગણ-શેરી સ્વચ્છ રાખે, સાર્વજનિક સ્થળોની સ્વચ્છતા જળવાય, સ્વચ્છતાના આ જનઆંદોલનમાં સૌ સહભાગી બને અને સર્વેક્ષણ ટીમને પુરતો સહયોગ આપી ગામને નંબર -૧ બનાવવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નવસારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *