નવસારી જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા ગાયત્રીબેન તલાટીની ફરી એકવાર નિયુક્તિ થઈ 

નવસારી જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા ગાયત્રીબેન તલાટીની ફરી એકવાર નિયુક્તિ થઈ 

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગાયત્રીબેન તલાટી ફરી એકવાર નવસારી જિલ્લા યોગ કો ઓર્ડીનેટર તરીકે નિયુક્તિ પામ્યા છે. સરકારના ધારા ધોરણ મુજબ નક્કી કરવામાં આવેલી એજન્સી એ.બી. એન્ટરપ્રાઇઝ, મહેસાણા દ્વારા ઈન્ટરવ્યુની પ્રક્રિયા રાખવામાં આવી હતી. જેમાં ગાયત્રીબેન તલાટી જેઓ યોગક્ષેત્રમાં ૧૭ વર્ષથી વધુ સમયથી સેવા આપી રહ્યા છે અને યોગમાં એમ.એસસી ની ડિગ્રી ધરાવે છે. તેઓ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા નવસારી, શહેર અને તાલુકા વિસ્તારની જવાબદારી સંભાળતા હતા. લગભગ બે લાખથી વધુ લોકોને યોગ સાથે જોડ્યા હતા. તેમણે ૨૦૦ થી વધુ યોગના કાર્યક્રમો નવસારી જિલ્લામાં કરાવ્યા છે. ૫૦૦ યોગ ટ્રેનરો તૈયાર કર્યા અને ૧૦૦ થી વધુ નિઃશુલ્ક યોગ વર્ગ નવસારી જિલ્લામા શરૂ કર્યા છે.

યોગ આ ઉત્કૃષ્ટ કામગીરી અને યોગ ક્ષેત્રનો અનુભવના આધારે એબી એન્ટરપ્રાઇઝ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ફરી નવસારી જિલ્લાની જવાબદારી ગાયત્રીબેન તલાટીને સોંપવામાં આવી છે. તાજેતરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એમ્પીરીયન હોટેલ, ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેઓને નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા.ગાયત્રીબેનને સંપૂર્ણ યોગ પરિવાર દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *