નવસારી ભક્તાશ્રમ શાળા ખાતે જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન થયું

નવસારી ભક્તાશ્રમ શાળા ખાતે જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન થયું

કમિશનર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તથા નવસારી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના સયુંકત ઉપક્રમે ભક્તાશ્રમ શાળાના ખાતે જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા,બાળનાટ્ય અને નૃત્ય નાટિકા તથા રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પર્ધાની પ્રારંભમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી  હિરેનભાઈ પટોડીયાએ બાળ પ્રતિભાને નિખારવા આ પ્રકારની સ્પર્ધાની અગત્યતા સમજાવી ઉપસ્થિત મહેમાનો, નિર્ણાયકો,માર્ગદર્શક શિક્ષકો તથા સ્પર્ધકોને આવકાર્યા હતા. મુખ્ય વક્તા ડો. ધર્મેશ કાપડિયા એ જણાવ્યું હતું કે, શિક્ષણનું ધ્યેય સંવેદનશીલ વ્યક્તિત્વનાં ઘડતરનું છે. સાહિત્ય, સંગીત, નૃત્ય નાટ્ય જેવી કલા દ્વારા બાળકમાં સંવેદના લાગણીનું સીંચન કરી શકાય છે. આ પ્રકારની સ્પર્ધા બાળકના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. જિલ્લા રમત વિકાસ અધિકારી અલ્પેશ પટેલે સૌ સ્પર્ધકોને શુભેચ્છા આપી હતી અને ખેલદિલીથી સ્પર્ધાનું ભાગ લેવા પ્રેરિત કર્યા હતા.

આ બાળપ્રતિભા શોધ સ્પર્ધામાં સમગ્ર નવસારી જિલ્લામાંથી રાસ-ગરબા, સમૂહગીત, ભજન, લોકગીત, લગ્નગીત, વકતૃત્વ, નિબંધ, બાળનાટ્ય, લોકનૃત્ય, ચિત્ર, સર્જનાત્મક વગેરે સ્પર્ધાઓ પૈકી કુલ ૫૫૦ જેટલા સ્પર્ધકોએ ઉમળકાભેર ભાગ લઇ સ્પર્ધાને વધાવી હતી. વિજેતાઓ પ્રદેશ કક્ષા અને રાજ્ય કક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

નવસારી જિલ્લાના કુલ ૫૫૦ જેટલા સ્પર્ધકોએ ઉમળકાભેર સ્પર્ધામાં ભાગ લીધો

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *