તા ૧૭ સપ્ટેમ્બર થી ૩૧ ઓક્ટોબર દરમિયાન ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારના નાગરિકોને જરૂરી તમામ પ્રાથમિક સેવાઓ-સુવિધાઓ એક જ સ્થળે સુલભ થશે

તા ૧૭ સપ્ટેમ્બર થી ૩૧ ઓક્ટોબર દરમિયાન ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારના નાગરિકોને જરૂરી તમામ પ્રાથમિક સેવાઓ-સુવિધાઓ એક જ સ્થળે સુલભ થશે

નવસારી જિલ્લામાં યોજનાર સેવા સેતુ કાર્યક્રમ સંદર્ભે કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્ય્ક્ષસ્થાને બેઠક યોજાઈ: રાજય સરકાર દ્વારા દસમાં તબક્કાના સેવાસેતુનું સુદ્રઢ આયોજન

રાજયના મુખ્યમંત્રી એ જ્યાં માનવી ત્યાં સુવિધાનું પ્રેરણા સૂત્ર આપ્યું છે તેને સાકાર કરવા અને લોકો કચેરીઓમાં આવે તેના બદલે વહીવટી તંત્ર, સેવાઓ અને યોજનાઓને લોકો સુધી લઈ જઈને લાભ આપવાના અભિગમ સાથે નવસારી શહેર-જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમના દસમાં તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં તા ૧૭ સપ્ટેમ્બર થી ૩૧ ઓક્ટોબર દરમિયાન સેવા સેતુ કાર્યક્રમ યોજવાનું રાજય સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું છે. આ સંદર્ભે નવસારી જિલ્લામાં આયોજન થનાર સેવા સેતુ કાર્યક્રમ માટે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષતા હેઠળ કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

કલેકટર ક્ષિપ્રા આગ્રેએ બેઠકમાં તમામા અધિકારી ઓને કાર્યક્રમ સંદર્ભે માર્ગદર્શન તથા જિલ્લામાં યોજાનાર સેવાસેતુ કાર્યક્રમમાં વધુમાં વધુ નાગરિકોને લાભ લઈ શકે તે બાબતે જરૂરી સૂચનો કર્યા હતા.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, નિવાસી અધિક કલેકટર કેતન જોષી,નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકોર તથા અન્ય પ્રાંત અધિકારીઓ તથા જિલ્લાના અન્ય અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *