નવસારીના:કરાડી ગામમાં ગેરકાયદે ઝીંગા તળાવો તોડવા એનજીટીના આદેશ આધારે મોટી કાર્યવાહી જુઓ વિડિઓ

નવસારીના:કરાડી ગામમાં ગેરકાયદે ઝીંગા તળાવો તોડવા એનજીટીના આદેશ આધારે મોટી કાર્યવાહી જુઓ વિડિઓ

જલાલપોર કરાડી ગામમાં ગેરકાયદે ઝીંગા કરાડી ગામમા 4 એકરના તળાવો તોડવાનું શરૂ: 15 જેસીબી કામે લાગ્યા

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં આજે વહેલી સવારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના આદેશ અનુસાર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. પૂર્ણા નદીના કિનારે બનેલા ગેરકાયદે ઝીંગા તળાવોને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

https://youtu.be/6CZbGktc9oQ?si=EzzpJU2ntaph3UID

આ ગેરકાયદેસર તળાવોના માલિકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી.પરંતુ ત્રણ સુનાવણી દરમિયાન તેઓ કોઇપણ પ્રકારનો માન્ય પુરાવાઓ રજૂ કરી શક્યા ન હતા.વહીવટી તંત્રે કુલ ચાર એકરમાં ફેલાયેલા તળાવોને તોડી પાડવાની કાર્યવાહી આરંભી છે.

આ તળાવો દૂર કરવાની કામગિરીમાં કુલ 15 JCB મશીનો તૈનાત કરવામાં આવ્યા છે અને ઘટનાસ્થળે અનિચ્છનીય પરિસ્થિતિના ટાળવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્થળ પર જલાલપોર મામલતદાર મૃણાલ ઇસરાણી, જલાલપોર પોલીસ ઇન્સપેક્ટર, પોલીસ સબ-ઇન્સપેક્ટર તથા અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ  હાજર રહ્યા છે.

જલાલપોર મામલતદાર મૃણાલ ઇસરાણીએ જણાવ્યું હતું કે જમીન મહેસુલ કાયદાની કલમ 61 અંતર્ગત માપણીના આધારે દબાણ પ્રસ્થાપિત થયું હતું. જેથી યોગ્ય કાયદાકીય પ્રક્રિયા બાદ આ તળાવો તોડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.આ કામગીરી સંપૂર્ણપણે કાયદેસર અને શાંતિપૂર્ણ રીતે ચાલુ છે, જેમાં તાલુકા વિકાસ અધિકારી સહિતનો સ્ટાફ પણ હાજર છે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *