નવસારીના:કરાડી ગામમાં ગેરકાયદે ઝીંગા તળાવો તોડવા એનજીટીના આદેશ આધારે મોટી કાર્યવાહી જુઓ વિડિઓ

નવસારીના:કરાડી ગામમાં ગેરકાયદે ઝીંગા તળાવો તોડવા એનજીટીના આદેશ આધારે મોટી કાર્યવાહી જુઓ વિડિઓ

જલાલપોર કરાડી ગામમાં ગેરકાયદે ઝીંગા કરાડી ગામમા 4 એકરના તળાવો તોડવાનું શરૂ: 15 જેસીબી કામે લાગ્યા

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં આજે વહેલી સવારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના આદેશ અનુસાર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. પૂર્ણા નદીના કિનારે બનેલા ગેરકાયદે ઝીંગા તળાવોને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

https://youtu.be/6CZbGktc9oQ?si=EzzpJU2ntaph3UID

આ ગેરકાયદેસર તળાવોના માલિકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી.પરંતુ ત્રણ સુનાવણી દરમિયાન તેઓ કોઇપણ પ્રકારનો માન્ય પુરાવાઓ રજૂ કરી શક્યા ન હતા.વહીવટી તંત્રે કુલ ચાર એકરમાં ફેલાયેલા તળાવોને તોડી પાડવાની કાર્યવાહી આરંભી છે.

આ તળાવો દૂર કરવાની કામગિરીમાં કુલ 15 JCB મશીનો તૈનાત કરવામાં આવ્યા છે અને ઘટનાસ્થળે અનિચ્છનીય પરિસ્થિતિના ટાળવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્થળ પર જલાલપોર મામલતદાર મૃણાલ ઇસરાણી, જલાલપોર પોલીસ ઇન્સપેક્ટર, પોલીસ સબ-ઇન્સપેક્ટર તથા અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ  હાજર રહ્યા છે.

જલાલપોર મામલતદાર મૃણાલ ઇસરાણીએ જણાવ્યું હતું કે જમીન મહેસુલ કાયદાની કલમ 61 અંતર્ગત માપણીના આધારે દબાણ પ્રસ્થાપિત થયું હતું. જેથી યોગ્ય કાયદાકીય પ્રક્રિયા બાદ આ તળાવો તોડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.આ કામગીરી સંપૂર્ણપણે કાયદેસર અને શાંતિપૂર્ણ રીતે ચાલુ છે, જેમાં તાલુકા વિકાસ અધિકારી સહિતનો સ્ટાફ પણ હાજર છે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *