નવસારીના:કરાડી ગામમાં ગેરકાયદે ઝીંગા તળાવો તોડવા એનજીટીના આદેશ આધારે મોટી કાર્યવાહી જુઓ વિડિઓ
- Local News
- May 3, 2025
- No Comment
જલાલપોર કરાડી ગામમાં ગેરકાયદે ઝીંગા કરાડી ગામમા 4 એકરના તળાવો તોડવાનું શરૂ: 15 જેસીબી કામે લાગ્યા
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં આજે વહેલી સવારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના આદેશ અનુસાર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. પૂર્ણા નદીના કિનારે બનેલા ગેરકાયદે ઝીંગા તળાવોને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
https://youtu.be/6CZbGktc9oQ?si=EzzpJU2ntaph3UID
આ ગેરકાયદેસર તળાવોના માલિકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી.પરંતુ ત્રણ સુનાવણી દરમિયાન તેઓ કોઇપણ પ્રકારનો માન્ય પુરાવાઓ રજૂ કરી શક્યા ન હતા.વહીવટી તંત્રે કુલ ચાર એકરમાં ફેલાયેલા તળાવોને તોડી પાડવાની કાર્યવાહી આરંભી છે.

આ તળાવો દૂર કરવાની કામગિરીમાં કુલ 15 JCB મશીનો તૈનાત કરવામાં આવ્યા છે અને ઘટનાસ્થળે અનિચ્છનીય પરિસ્થિતિના ટાળવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્થળ પર જલાલપોર મામલતદાર મૃણાલ ઇસરાણી, જલાલપોર પોલીસ ઇન્સપેક્ટર, પોલીસ સબ-ઇન્સપેક્ટર તથા અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા છે.
જલાલપોર મામલતદાર મૃણાલ ઇસરાણીએ જણાવ્યું હતું કે જમીન મહેસુલ કાયદાની કલમ 61 અંતર્ગત માપણીના આધારે દબાણ પ્રસ્થાપિત થયું હતું. જેથી યોગ્ય કાયદાકીય પ્રક્રિયા બાદ આ તળાવો તોડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.આ કામગીરી સંપૂર્ણપણે કાયદેસર અને શાંતિપૂર્ણ રીતે ચાલુ છે, જેમાં તાલુકા વિકાસ અધિકારી સહિતનો સ્ટાફ પણ હાજર છે.