સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત :નવસારીના લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે યોગ શિબિર યોજાઈ

સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત :નવસારીના લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે યોગ શિબિર યોજાઈ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારી શહેરના લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આજરોજ પ્રાચિન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા”ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને મનાવતા તરફ દોરવાના ઉમદા હેતુથી IDY કાઉન્ટ ડાઉનના ભાગરૂપે એક કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ હતી.આ યોગ શિબિરમાં નવસારીના શહેરીજનો સ્વાસ્થ્ય, સુખાકારી, યોગ પ્રત્યે જાગૃતિ આવે તેવા આશયથી મોટી સંખ્યામાં ભાગ લિધો હતો.

યોગ શિબિરમાં યોગ સેવક શીશપાલજી તથા “ગુજરાત રાજ્ય યોગ બોર્ડ “ના સભ્યો દ્વારા યોગ અને પ્રાણાયમની તાલીમ આપવામાં આવી હતી. નિયમિત વ્યાયામ કરવો, તણાવનું સંચાલન કરવા ધ્યાન અથવા યોગ કરવાથી ઉંમરની સાથે કામકાજના ભારણના કારણે તથા માનસિક તેમજ અનેક મહત્વના વિષય ઉપર પણ ચર્ચા કરી તમામને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ગુજરાત રાજ્ય બોર્ડના ચેરમેન શીશપાલજીએ વ્યસ્ત જીવનશૈલી વચ્ચે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃકતા લાવી શકાય તે માટે સૌ કોઈને નિયમિત યોગ કરવાની હિમાયત કરી હતી તથા હાયપર ટેન્શન, મેદસ્વિતા તેમજ વિવિધ પ્રકારના આહારમાંથી મળતા તત્વો વિશે ચર્ચા કરી સ્ફૂર્તિમય જીવન તરફ પ્રયાણ કરવા બાબતે સૌ કોઈને પ્રોત્સાહિત કર્યા હતા.

યોગ શિબિરમાં આવેલા એન પટેલેએ જણાવ્યું કે શિબિરમાં શીખવેલા આસનોથી તેમના જીવનમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. આ શિબિરમાં સહભાગીબની ખુબ આનંદ અનુભવે છું તથા મનની શાંતિ અને સમગ્રપણે તંદુરસ્તીનો અનુભવ થાય છે આ ઉપરાંત સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત જેવા અભિયાન હેઠળ નાગરિકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે તેની સરાહના કરી હતી.

આ શિબિરમાં નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકોર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ ચાવડા અને નવસારીના મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો.

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *