નવસારી-કાલિયાવાડી ખાડી પર પહેલો કાળા પુલનું નામ સર જે.જે. બ્રિજ છે! નવસારીના ઇતિહાસમાં આ પુલ ત્રીજી વાર બંધાઇ રહ્યો છે

નવસારી-કાલિયાવાડી ખાડી પર પહેલો કાળા પુલનું નામ સર જે.જે. બ્રિજ છે! નવસારીના ઇતિહાસમાં આ પુલ ત્રીજી વાર બંધાઇ રહ્યો છે

કેળવણી,આરોગ્ય અને સર્વાંગી સેવા માટે નવસારીમાં આવી ને વસેલા પારસીઓએ અનેક સખાવતો દાયકાઓથી-સૈકાઓથી વખતો વખત કરી છે. નવસારી કલેક્ટર ઓફિસ નજીક અને શિવાની રેસિડેન્સી તથા શંખેશ્વર કોમ્પલેક્ષ નજીક નવસારી શહેર કાલિયાવાડી જવા મુખ્ય રાજમાર્ગ પર પહેલો પુલ અંદાજે ૧૦૦ થી ૧૨૫ વર્ષ પહેલાં બાંધવામાં આવ્યો હતો.

દુનિયાભરમાં સખાવત માટે જગપ્રસિધ્ધ સર્ જમશેદજી જીજીભોય અને શેઠ રૂસ્તમજી જમશેદજી જીજીભોયે નવસારીમાં નાની હોસ્પિટલ-દવાખાનું બને એ માટે હાલમાં કાલિયવાડી નાકે ચાલતી આયુર્વેદ હોસ્પિટલનું સંકુલ તે જમાનામાં સદી પહેલાં રૂા.૭૫,૦૦૦/- ના ખર્ચે સાકાર કરી તેનું નામકરણ ‘“વિક્ટોરિયા ચેરીટેબલ ડિસ્પેન્સરી’ આપ્યું હતું.

ફાઈલ ફોટો

આ હોસ્પિટલમાં તે જમાનામાં અત્યંત લોકપ્રિય ડોક્ટર રૂસ્તમજી હાથીરામ અને ડો.જમશેદજી બહેરામજી એ તબીબી સેવા આપી હતી.આ હોસ્પિલટ પર આવવા-જવા કલેક્ટર ઓફિસની બાજુમાં જે ખાડી છે તેના પર સર જમશેદજીના પત્ની આવાંબાઈએ રૂા.૧૮,૩૭૬/- અને સરકારશ્રીની ગ્રાંટ રૂા.૨,૭૫૫,- સાથે કુલ રૂા.૨૨,૫૪૨/- ના ખર્ચ અંદાજે ૧૧૫ વર્ષ પહેલાં સર.જે.જે. બ્રિજ નામ સાથે લોકાર્પણ થયું હોવાનું જાણવા મળેલ છે.

ત્યારબાદ વસ્તી વધારો, વધુ વાહન-વ્યવહાર અને અંદાજે સને-૨૦૧૧-૨૦૧૨ ની સાલમાં નિર્ભળ બાંધકામ સાથે નવો પુલ બન્યો હતો, પરંતુ તે પણ નબળો પડતા હાલના શાસનકર્તાઓ દ્વારા ત્રીજી વાર પુલનું નિર્માણ થયું છે. આ બ્રિજ ભલે નવલો બને પણ તેનું નામ “સર જે.જે. બીજ” જળવાવ જાળવી સખાવતી પારસીઓની વંદના કરવી રહી.

હાલની બિરસા મુંડા સર્કલની બાજુમાં આવેલ જુની વિક્ટોરીયા હોસ્પિટલ સર જે.જે. પરિવારની સખાવત છે. જ્યાં હાલ આયુર્વેદ હોસ્પિટલ ચાલે છે ત્યાંની મુલાકાત લેતા પણ સખાવતી દાતા એવા સર્ જમશેદજી પરિવારનો કોઈ જ નામોલ્લેખ જોવા મળતો નથી. ત્યારે વર્તમાન તંત્ર, લોક પ્રતિનિધિઓ અને શાસકો પારસીઓની આ સખાવતને કાયમી રાખે તેવી લોકલાગણી છે.

(સહયોગ શ્રી કેરસી દેબુ)

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

1 Comments

  • Very good information
    Salute to Parsi community

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *