નવસારીમાં નિવાસી અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા એવા રિટાયર્ડ આઈએએસ અધિકારી જે.બી. પટેલનું દુઃખદ અવસાન થયું

નવસારીમાં નિવાસી અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા એવા રિટાયર્ડ આઈએએસ અધિકારી જે.બી. પટેલનું દુઃખદ અવસાન થયું

ગુજરાતના રિટાયર્ડ આઈએએસ અધિકારી જયંતિભાઈ ભીખાભાઈ પટેલ (જે.બી. પટેલ)નું આજ રોજ દુઃખદ અવસાન થયું છે. તેઓએ ભારતીય વહીવટી સેવામાં ગુજરાત કેડર અંતર્ગત 2008ની બેચના અધિકારી અને વર્ષ 2021માં પસંદગી ગ્રેડમાં બઢતી પ્રાપ્ત કરી હતી.

જે.બી. પટેલે નવસારી જિલ્લામાં વર્ષ 2001થી સાડા ચાર વર્ષ સુધી નિવાસી અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવેલી હતી. તેઓ મોરબીના કલેક્ટર તરીકે તેમજ રાજ્ય સરકારના વહીવટીતંત્રમાં વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી ચૂક્યા હતા.

થોડા દિવસો પૂર્વે તેઓ ચાલવા નીકળ્યા હતા તે દરમિયાન તેઓ પડી જતા માથા પર ગંભીર ઈજા થઈ હતી. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેઓની 10 દિવસથી હોસ્પિટલ સારવાર ચાલી રહી હતી. જ્યાં આજે તેમનું અવસાન થયું છે.

અંતિમ યાત્રા આજે સાંજે 05:00 કલાકે તેમના નિવાસસ્થાન ઓપેરા બંગલો,ઉમરીગર સ્કૂલ પાસે, ઉમરાથી રામનાથ ઘેલા સ્મશાન ભૂમિ, ઉમરા,સુરત ખાતે નીકળશે.

સર્વકાલીન ન્યૂઝ પરિવાર તેમના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના અને પરિવારજનો માટે આ દુઃખદ ઘડીઓમાં સહન કરવાની તાકાત આપે એજ પ્રાર્થના

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *