નવસારીમાં નિવાસી અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા એવા રિટાયર્ડ આઈએએસ અધિકારી જે.બી. પટેલનું દુઃખદ અવસાન થયું

નવસારીમાં નિવાસી અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા એવા રિટાયર્ડ આઈએએસ અધિકારી જે.બી. પટેલનું દુઃખદ અવસાન થયું

ગુજરાતના રિટાયર્ડ આઈએએસ અધિકારી જયંતિભાઈ ભીખાભાઈ પટેલ (જે.બી. પટેલ)નું આજ રોજ દુઃખદ અવસાન થયું છે. તેઓએ ભારતીય વહીવટી સેવામાં ગુજરાત કેડર અંતર્ગત 2008ની બેચના અધિકારી અને વર્ષ 2021માં પસંદગી ગ્રેડમાં બઢતી પ્રાપ્ત કરી હતી.

જે.બી. પટેલે નવસારી જિલ્લામાં વર્ષ 2001થી સાડા ચાર વર્ષ સુધી નિવાસી અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવેલી હતી. તેઓ મોરબીના કલેક્ટર તરીકે તેમજ રાજ્ય સરકારના વહીવટીતંત્રમાં વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી ચૂક્યા હતા.

થોડા દિવસો પૂર્વે તેઓ ચાલવા નીકળ્યા હતા તે દરમિયાન તેઓ પડી જતા માથા પર ગંભીર ઈજા થઈ હતી. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેઓની 10 દિવસથી હોસ્પિટલ સારવાર ચાલી રહી હતી. જ્યાં આજે તેમનું અવસાન થયું છે.

અંતિમ યાત્રા આજે સાંજે 05:00 કલાકે તેમના નિવાસસ્થાન ઓપેરા બંગલો,ઉમરીગર સ્કૂલ પાસે, ઉમરાથી રામનાથ ઘેલા સ્મશાન ભૂમિ, ઉમરા,સુરત ખાતે નીકળશે.

સર્વકાલીન ન્યૂઝ પરિવાર તેમના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના અને પરિવારજનો માટે આ દુઃખદ ઘડીઓમાં સહન કરવાની તાકાત આપે એજ પ્રાર્થના

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શેરબજારમાં હોળીની ઉજવણીમાં ઘટાડો જોવા મળ્યો, મધ્ય પૂર્વના તણાવને કારણે સેન્સેક્સ 1,539 પોઈન્ટ ઘટ્યો અને નિફ્ટી પણ તૂટી પડ્યો

શેરબજારમાં હોળીની ઉજવણીમાં ઘટાડો જોવા મળ્યો, મધ્ય પૂર્વના તણાવને…

ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓએ સમગ્ર મધ્ય પૂર્વને સંપૂર્ણ યુદ્ધમાં ધકેલી દીધું છે. મોટા હુમલાઓએ રોકાણકારોને ચિંતામાં મૂકી દીધા છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *