નવસારીના ભેંસતખાડા વિસ્તારની ગેરકાયદેસર પુલ અંગે સ્થાનિકોની આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી માંગ કરી

નવસારીના ભેંસતખાડા વિસ્તારની ગેરકાયદેસર પુલ અંગે સ્થાનિકોની આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી માંગ કરી

નવસારી શહેરના ભેંસતખાડાથી વિરાવળ જતી ખાડી/કાંસ ઉપર ગેરકાયદેસર બનાવવામાં આવેલા પુલને લઈને સ્થાનિક લોકોએ તાત્કાલિક કાર્યવાહી માટે નવસારી અધિક કલેકટર,નવસારી પ્રાંત અધિકારી, નવસારી મ્યુનિસિપલ કમિશ્નર આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા અંગે રજૂઆત કરી છે.

https://youtu.be/A0pRqwmuZPc?si=OQyv_jDvQ_ip8g8F

ભેંસતખાડા વિસ્તારમાં ધરાવતી ખાડી/કાંસ તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી સાફ કરી અને ઉંડી કરવામાં આવ્યું છે જેથી વરસાદી પાણી સરળતાથી નિકાસ થઈ શકે.ઝાડી ઝાંખરા દૂર કરતા અહીંના રહેવાસીઓએ જણાવ્યા અનુસાર અહિં એક નાનકડો પુલ ખાનગી માલિક દ્વારા ગેરકાયદેસર બનાવવામાં આવ્યો છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ પુલ વર્ષોથી ચોમાસા દરમ્યાન પુરની ગંભીર પરિસ્થિતિ સર્જવાનું મુખ્ય કારણ છે. અગાઉની સફાઈમાં ઝાડી-ઝંખારને કારણે આ પુલ પ્રજાના ધ્યાનમાં આવી શક્યો નહોતો. પરંતુ ખાડીની તાજેતરની સફાઈ દરમિયાન આ પુલ સ્પષ્ટ રીતે નજરે પડ્યો છે.

સ્થાનિકોએ કરી આવી માંગ

1. સરકારી તંત્ર દ્વારા આ પુલ અંગે તાત્કાલિક તપાસ કરવામાં આવે.
2. જો પુલ ગેરકાયદેસર હોવાનું સાબિત થાય, તો તાત્કાલિક તેને હટાવી ખાડીને પુનઃપહોળી કરવામાં આવે.
3. ચોમાસામાં વારંવાર પૂર જેવી પરિસ્થિતિ અટકાવવાની સુનિશ્ચિતતા કરવામાં આવે.

સ્થાનિક લોકો એ આ બાબતે કલેક્ટરને લેખિતમાં અરજી આપી, તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે.

આરોગ્ય અને સુરક્ષા પર અસર:
આ પુલના કારણે ખાડીમાં પાણી જમાવ થાય છે અને તે જમાવ ધરાવતી પુરની પરિસ્થિતિને ગંભીર બનાવે છે. આ અંગે તાત્કાલિક કાર્યવાહી પ્રજાના જીવન અને મિલકતના રક્ષણ માટે અનિવાર્ય છે.

પ્રજાજનોએ તંત્રને આ બાબતે તાકીદે કાર્યવાહી કરવા અને વિસ્તારના પર્યાવરણ તથા સુરક્ષાના હિતમાં યોગ્ય પગલાં ભરવા વિનંતી કરી છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *