અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા નાયક ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી તેજસ્વી છાત્રોને આધુનિક લેપટોપ અર્પણ કરાયા

અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા નાયક ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી તેજસ્વી છાત્રોને આધુનિક લેપટોપ અર્પણ કરાયા

 

 

નવસારીના અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ ખાતે અત્યંત તેજસ્વી અને અત્યંત જરૂરિયાતમંદ ધોરણ-૧૨ માં ઉત્તિર્ણ થયેલ ૧૨ વિદ્યાર્થીઓને પ્રથમ તબક્કે નાયક ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ (પદ્મવિભુષિણ અનિલભાઈ નાયક) ના સૌજન્યથી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના ઉપક્રમે અતિ આધુનિક લેપટોપ અર્પણ કરવાનો સાદગીભર્યો કાર્યક્રમ અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ, નવસારી ખાતે પ્રમુખ જીગ્નેશ આર. દેસાઈ તથા મંત્રી હાર્દિક નાયક અને ઉપપ્રમુખ રવિન મહાદેવ દેસાઇની ત્રિવેણી ઉપસ્થિતિમાં યોજાયો હતો.

 

આરંભે શ્રીમતિ અરુંધતિ જીજ્ઞેશ દેસાઈ દ્વારા પ્રાસંગિક પ્રસ્તાવના અને સંચાલન થયું હતું. અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના પ્રમુખ જીજ્ઞેશભાઈ આર. દેસાઈએ જણાવ્યું હતું ૯૫ % પર્સનટાઇલ થી વધુ ગુણ મેળવનાર ૧૨ છાત્રાઓને નવસારી પ્રદેશમાંથી પ્રથમવાર નતમસ્તકે કાયમી ધોરણે લેપટોપ અર્પણ કરવાનો આ સમારોહ એક શૈક્ષણિક યજ્ઞ છે.

પ્રમુખ જીજ્ઞેશ દેસાઇ તથા મંત્રી હાર્દિક નાયકે આર્કિટેક્ટ અને યુવા કાર્યકર રવિન મહાદેવ દેસાઈ આ પ્રસંગ માટે મધ્યસ્થી બન્યા એ આનંદ દાયક બાબત છે અને નવસારીની સંસ્કાર ભારતી હાઇસ્કુલ, નવસારી હાઈસ્કુલ, સરદાર પટેલ હાઇસ્કુલ જલાલપોર, સરદાર શારદા મંદિર વિજલપોર, શ્રીમતી ડી.આઈ. કાપડિયા કન્યા વિદ્યાલય ગણદેવી, એલ.ડી. હાઈસ્કુલ સચિન મળી કુલ બાર જરૂરીયાતમંદ અને તેજસ્વી છાત્રાઓ ભવિષ્યમાં સી.એ. બની શકે, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાં ઉમદા સનદી અધિકારી બની શકે કે બેન્કર બની શકે તેના પીઠબળ માટેનો આ સાદગીભર્યો પ્રસંગ છે.

આ ઉપરાંત બીજા અને ત્રીજા તબક્કામાં પણ આ કાર્યક્રમની શૃંખલા આગળ પણ લઇ જવાના પ્રયાસો અમે કરી રહ્યા છે એમ જણાવી નાયક ચેરીટેબલ ટ્રસ્ટના પિતા-પુત્ર બેલડી અનિલભાઈ નાયક તથા જીજ્ઞેશભાઈ નાયકનો ઋણ સ્વીકાર કર્યો હતો.લેપટોપ મેળવનાર તેજસ્વી છાત્રાઓએ ભાવવિભોર બનવા સાથે લેપટોપ જેવી સુખદ ભેટ મળી એ માટે અહોભાવ દાખવ્યો હતો.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *