અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા નાયક ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી તેજસ્વી છાત્રોને આધુનિક લેપટોપ અર્પણ કરાયા

અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા નાયક ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી તેજસ્વી છાત્રોને આધુનિક લેપટોપ અર્પણ કરાયા

 

 

નવસારીના અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ ખાતે અત્યંત તેજસ્વી અને અત્યંત જરૂરિયાતમંદ ધોરણ-૧૨ માં ઉત્તિર્ણ થયેલ ૧૨ વિદ્યાર્થીઓને પ્રથમ તબક્કે નાયક ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ (પદ્મવિભુષિણ અનિલભાઈ નાયક) ના સૌજન્યથી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના ઉપક્રમે અતિ આધુનિક લેપટોપ અર્પણ કરવાનો સાદગીભર્યો કાર્યક્રમ અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ, નવસારી ખાતે પ્રમુખ જીગ્નેશ આર. દેસાઈ તથા મંત્રી હાર્દિક નાયક અને ઉપપ્રમુખ રવિન મહાદેવ દેસાઇની ત્રિવેણી ઉપસ્થિતિમાં યોજાયો હતો.

 

આરંભે શ્રીમતિ અરુંધતિ જીજ્ઞેશ દેસાઈ દ્વારા પ્રાસંગિક પ્રસ્તાવના અને સંચાલન થયું હતું. અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના પ્રમુખ જીજ્ઞેશભાઈ આર. દેસાઈએ જણાવ્યું હતું ૯૫ % પર્સનટાઇલ થી વધુ ગુણ મેળવનાર ૧૨ છાત્રાઓને નવસારી પ્રદેશમાંથી પ્રથમવાર નતમસ્તકે કાયમી ધોરણે લેપટોપ અર્પણ કરવાનો આ સમારોહ એક શૈક્ષણિક યજ્ઞ છે.

પ્રમુખ જીજ્ઞેશ દેસાઇ તથા મંત્રી હાર્દિક નાયકે આર્કિટેક્ટ અને યુવા કાર્યકર રવિન મહાદેવ દેસાઈ આ પ્રસંગ માટે મધ્યસ્થી બન્યા એ આનંદ દાયક બાબત છે અને નવસારીની સંસ્કાર ભારતી હાઇસ્કુલ, નવસારી હાઈસ્કુલ, સરદાર પટેલ હાઇસ્કુલ જલાલપોર, સરદાર શારદા મંદિર વિજલપોર, શ્રીમતી ડી.આઈ. કાપડિયા કન્યા વિદ્યાલય ગણદેવી, એલ.ડી. હાઈસ્કુલ સચિન મળી કુલ બાર જરૂરીયાતમંદ અને તેજસ્વી છાત્રાઓ ભવિષ્યમાં સી.એ. બની શકે, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાં ઉમદા સનદી અધિકારી બની શકે કે બેન્કર બની શકે તેના પીઠબળ માટેનો આ સાદગીભર્યો પ્રસંગ છે.

આ ઉપરાંત બીજા અને ત્રીજા તબક્કામાં પણ આ કાર્યક્રમની શૃંખલા આગળ પણ લઇ જવાના પ્રયાસો અમે કરી રહ્યા છે એમ જણાવી નાયક ચેરીટેબલ ટ્રસ્ટના પિતા-પુત્ર બેલડી અનિલભાઈ નાયક તથા જીજ્ઞેશભાઈ નાયકનો ઋણ સ્વીકાર કર્યો હતો.લેપટોપ મેળવનાર તેજસ્વી છાત્રાઓએ ભાવવિભોર બનવા સાથે લેપટોપ જેવી સુખદ ભેટ મળી એ માટે અહોભાવ દાખવ્યો હતો.

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *