નવસારીના સાગરા રેલ્વે ફાટક પાસે અકસ્માતમાં સંસ્કાર ભારતી શાળાની મહિલા આચાર્યનું અવસાન

નવસારીના સાગરા રેલ્વે ફાટક પાસે અકસ્માતમાં સંસ્કાર ભારતી શાળાની મહિલા આચાર્યનું અવસાન

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા સાગરા ગામ પાસે ગુરુવારના રોજ એક દુઃખદ ઘટનામાં એક મહિલા આચાર્યનું મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ, બાંદ્રા-સુરત ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આ મહિલા આવી જતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું.

મૃતકની ઓળખ નવસારીની જાણીતી શૈક્ષણિક સંસ્થા સંસ્કાર ભારતી શાળાની આચાર્ય ફાલ્ગુની દેસાઈ તરીકે થઇ છે. ફાલ્ગુનીબેન રોજની જેમ તેમના ઘરેથી બહાર નીકળી હતી ત્યારે સાગરા રેલ્વે ફાટક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટે આવી ગઈ હોવાનું પ્રાથમિક તારણ છે.

https://youtu.be/_Wb_OUguqdg?si=PaZbkhCqzsx3HvEp

ઘટનાની જાણ મરોલી રેલ્વે સ્ટેશનના માસ્તરને થતા, રેલ્વે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે મૃતદેહનો કબજો મેળવી આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી દીધો હતો. આ ઘટનાને લઈ સ્થાનિકોમાં તથા શાળા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ફાલ્ગુનીબેનની મૌતથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

મરોલી પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે તથા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ફાલ્ગુનીબેન દેસાઈ શૈક્ષણિક ક્ષેત્રે પોતાનું મહત્વનું યોગદાન આપી રહી હતી અને તેમના નિધનથી ન માત્ર શાળા પરિવારે નહિં પરંતુ સમગ્ર નગરે એક આચાર્ય ગુમાવ્યો છે.

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *