નવસારીના સાગરા રેલ્વે ફાટક પાસે અકસ્માતમાં સંસ્કાર ભારતી શાળાની મહિલા આચાર્યનું અવસાન

નવસારીના સાગરા રેલ્વે ફાટક પાસે અકસ્માતમાં સંસ્કાર ભારતી શાળાની મહિલા આચાર્યનું અવસાન

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા સાગરા ગામ પાસે ગુરુવારના રોજ એક દુઃખદ ઘટનામાં એક મહિલા આચાર્યનું મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ, બાંદ્રા-સુરત ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આ મહિલા આવી જતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું.

મૃતકની ઓળખ નવસારીની જાણીતી શૈક્ષણિક સંસ્થા સંસ્કાર ભારતી શાળાની આચાર્ય ફાલ્ગુની દેસાઈ તરીકે થઇ છે. ફાલ્ગુનીબેન રોજની જેમ તેમના ઘરેથી બહાર નીકળી હતી ત્યારે સાગરા રેલ્વે ફાટક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટે આવી ગઈ હોવાનું પ્રાથમિક તારણ છે.

https://youtu.be/_Wb_OUguqdg?si=PaZbkhCqzsx3HvEp

ઘટનાની જાણ મરોલી રેલ્વે સ્ટેશનના માસ્તરને થતા, રેલ્વે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે મૃતદેહનો કબજો મેળવી આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી દીધો હતો. આ ઘટનાને લઈ સ્થાનિકોમાં તથા શાળા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ફાલ્ગુનીબેનની મૌતથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

મરોલી પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે તથા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ફાલ્ગુનીબેન દેસાઈ શૈક્ષણિક ક્ષેત્રે પોતાનું મહત્વનું યોગદાન આપી રહી હતી અને તેમના નિધનથી ન માત્ર શાળા પરિવારે નહિં પરંતુ સમગ્ર નગરે એક આચાર્ય ગુમાવ્યો છે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *