નવસારીના સાગરા રેલ્વે ફાટક પાસે અકસ્માતમાં સંસ્કાર ભારતી શાળાની મહિલા આચાર્યનું અવસાન

નવસારીના સાગરા રેલ્વે ફાટક પાસે અકસ્માતમાં સંસ્કાર ભારતી શાળાની મહિલા આચાર્યનું અવસાન

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા સાગરા ગામ પાસે ગુરુવારના રોજ એક દુઃખદ ઘટનામાં એક મહિલા આચાર્યનું મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ, બાંદ્રા-સુરત ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આ મહિલા આવી જતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું.

મૃતકની ઓળખ નવસારીની જાણીતી શૈક્ષણિક સંસ્થા સંસ્કાર ભારતી શાળાની આચાર્ય ફાલ્ગુની દેસાઈ તરીકે થઇ છે. ફાલ્ગુનીબેન રોજની જેમ તેમના ઘરેથી બહાર નીકળી હતી ત્યારે સાગરા રેલ્વે ફાટક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટે આવી ગઈ હોવાનું પ્રાથમિક તારણ છે.

https://youtu.be/_Wb_OUguqdg?si=PaZbkhCqzsx3HvEp

ઘટનાની જાણ મરોલી રેલ્વે સ્ટેશનના માસ્તરને થતા, રેલ્વે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે મૃતદેહનો કબજો મેળવી આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી દીધો હતો. આ ઘટનાને લઈ સ્થાનિકોમાં તથા શાળા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ફાલ્ગુનીબેનની મૌતથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

મરોલી પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે તથા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ફાલ્ગુનીબેન દેસાઈ શૈક્ષણિક ક્ષેત્રે પોતાનું મહત્વનું યોગદાન આપી રહી હતી અને તેમના નિધનથી ન માત્ર શાળા પરિવારે નહિં પરંતુ સમગ્ર નગરે એક આચાર્ય ગુમાવ્યો છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *