નવસારીમાં એસીબીએ ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઈ અને પોલીસ કર્મચારી લાંચ લેતા પકડયા: નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં 40 હજાર લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ રંગે હાથે ઝડપાયો

નવસારીમાં એસીબીએ ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઈ અને પોલીસ કર્મચારી લાંચ લેતા પકડયા: નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં 40 હજાર લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ રંગે હાથે ઝડપાયો

નવસારી ગ્રામ્ય પોલીસ મથકના જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં  ભ્રષ્ટાચારનો કેસ પ્રકાશમાં આવ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ જીઆઈડીસી પોલીસ સ્ટેશન ઈ.ચા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અમૃતભાઈ મગનભાઈ વસાવા અને પોલીસ કર્મચારી ચિરાગકુમાર સુરેશભાઈ રાઠોડને લાંચ લેતા ઝડપ્યા છે.

https://youtube.com/shorts/X-iUNGzHedQ?si=y4AvmSImNxbSSGFu

આ કેસમાં ફરિયાદી વિરુદ્ધ પ્રોહિબિશનનો કેસ નોંધાયો હતો અને તેમણે કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી લીધા હતા. જામીન મુજબ અટકની કાર્યવાહી કરી મુક્ત કરવા પીએસઆઈ અમૃત વસાવાએ રૂ. 40,000ની લાંચની માગણી કરી હતી અને લાંચની રકમ ચિરાગ રાઠોડને આપવાનું જણાવ્યું હતું.

ફરિયાદીએ લાંચ આપવાનો ઈનકાર કરી એસીબીનો સંપર્ક કર્યો હતો. આગોતરા જામીન મેળવનાર આરોપીને અટક જામીન પર મુક્ત કરવા માંગેલ રકમ લેતા એસીબીના છટકા દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ ચિરાગ રાઠોડ લાંચની રકમ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા. પીએસઆઈ અમૃત વસાવા ઘટનાસ્થળે હાજર ન હતા.

આ કાર્યવાહી એસીબી સુરત એકમના પીઆઈ કે.આર. સક્સેના અને મદદનીશ નિયામક આર.આર. ચૌધરીના સુપરવિઝનમાં થઈ હતી. બંને આરોપીઓએ એકબીજાની મદદગારીથી ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું છે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *