નવસારીમાં એસીબીએ ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઈ અને પોલીસ કર્મચારી લાંચ લેતા પકડયા: નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં 40 હજાર લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ રંગે હાથે ઝડપાયો

નવસારીમાં એસીબીએ ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઈ અને પોલીસ કર્મચારી લાંચ લેતા પકડયા: નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં 40 હજાર લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ રંગે હાથે ઝડપાયો

નવસારી ગ્રામ્ય પોલીસ મથકના જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં  ભ્રષ્ટાચારનો કેસ પ્રકાશમાં આવ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ જીઆઈડીસી પોલીસ સ્ટેશન ઈ.ચા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અમૃતભાઈ મગનભાઈ વસાવા અને પોલીસ કર્મચારી ચિરાગકુમાર સુરેશભાઈ રાઠોડને લાંચ લેતા ઝડપ્યા છે.

https://youtube.com/shorts/X-iUNGzHedQ?si=y4AvmSImNxbSSGFu

આ કેસમાં ફરિયાદી વિરુદ્ધ પ્રોહિબિશનનો કેસ નોંધાયો હતો અને તેમણે કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી લીધા હતા. જામીન મુજબ અટકની કાર્યવાહી કરી મુક્ત કરવા પીએસઆઈ અમૃત વસાવાએ રૂ. 40,000ની લાંચની માગણી કરી હતી અને લાંચની રકમ ચિરાગ રાઠોડને આપવાનું જણાવ્યું હતું.

ફરિયાદીએ લાંચ આપવાનો ઈનકાર કરી એસીબીનો સંપર્ક કર્યો હતો. આગોતરા જામીન મેળવનાર આરોપીને અટક જામીન પર મુક્ત કરવા માંગેલ રકમ લેતા એસીબીના છટકા દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ ચિરાગ રાઠોડ લાંચની રકમ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા. પીએસઆઈ અમૃત વસાવા ઘટનાસ્થળે હાજર ન હતા.

આ કાર્યવાહી એસીબી સુરત એકમના પીઆઈ કે.આર. સક્સેના અને મદદનીશ નિયામક આર.આર. ચૌધરીના સુપરવિઝનમાં થઈ હતી. બંને આરોપીઓએ એકબીજાની મદદગારીથી ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *