ભારતમાં જનજીવન પૂર્વવત થતા ગુજરાત રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય:હવે તમામ કર્મચારીઓ-અધિકારીઓ રજા લઈ શકશે,અનિવાર્ય સંજોગોમાં ફરજ પર હાજર રહેવું ફરજિયાત

ભારતમાં જનજીવન પૂર્વવત થતા ગુજરાત રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય:હવે તમામ કર્મચારીઓ-અધિકારીઓ રજા લઈ શકશે,અનિવાર્ય સંજોગોમાં ફરજ પર હાજર રહેવું ફરજિયાત

ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધની સ્થિતિને કારણે રાજ્ય સરકારે સાવચેતીના પગલાં રૂપે તમામ શાખાઓના કર્મચારી અને અધિકારીઓની રજાઓ રદ કરી દીધી હતી. રાજ્ય સરકારના આ નિર્ણયથી બોર્ડ-નિગમો, કોર્પોરેશનો તથા પંચાયત સહિતના વિવિધ વિભાગોના કર્મચારીઓને ફરજ પર હાજર રહેવું ફરજિયાત બનાવાયું હતું.

10 મેએ બંને દેશો વચ્ચે સીઝફાયર જાહેર થતાં પરિસ્થિતિ સામાન્ય બનતી જણાય રહી છે. જેના પગલે રાજ્ય સરકારે ફરી એકવાર કર્મચારીઓ-અધિકારીઓને રજા મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે.

હાલ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે અનિવાર્ય સંજોગોમાં આ કર્મચારીઓને તાત્કાલિક ફરજ પર હાજર રહેવું પડશે. ઉપરાંત રજાની સમયગાળામાં કર્મચારી તથા અધિકારીઓએ ફોન અને ઇમેલ મારફતે સતત ઉપલબ્ધ રહેવું અનિવાર્ય રહેશે.ઉલ્લેખનીય છે કે રાજ્યસેવા, પંચાયત સેવા સહિત કુલ મળીને અંદાજે 4.78 લાખ કર્મચારીઓ રાજ્ય સરકારે નિયુક્ત કર્યા છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *