રાનકુવા હાઇસ્કુલ ખાતે નવસારી જિલ્લાની પ્રથમ બી.આઈ.એસ. સ્ટાન્ડર્ડ ક્લબ આજથી કાર્યરત થઈ :વિદ્યાર્થીઓને માતબર ઇનામો મળ્યા

રાનકુવા હાઇસ્કુલ ખાતે નવસારી જિલ્લાની પ્રથમ બી.આઈ.એસ. સ્ટાન્ડર્ડ ક્લબ આજથી કાર્યરત થઈ :વિદ્યાર્થીઓને માતબર ઇનામો મળ્યા

બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ની સ્થાપના BIS એક્ટ, 1986 હેઠળ માલના માનકીકરણ, માર્કિંગ અને ગુણવત્તા પ્રમાણપત્રની પ્રવૃત્તિઓના સુમેળભર્યા વિકાસ માટે અને તેની સાથે જોડાયેલી અથવા આકસ્મિક બાબતો માટે કરવામાં આવી હતી.નવી શિક્ષણનીતિના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓ પ્રોડક્ટની ગુણવત્તાના માપદંડોથી માહિતગર બને એ દિશામાં ભારત સરકાર દ્રારા સ્ટાન્ડર્ડ ક્લબની રચના કરવાનું નક્કી કર્યું છે જે અંતર્ગત સુરત ખાતે દક્ષિણ ઝોનની શાળાના શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી.

શ્રી બી.એલ. પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવાના વિજ્ઞાન શિક્ષક નિકુંજભાઈ પટેલે સુરત ખાતે તાલીમ લીધી હતી.નવસારી જિલ્લામાં રાનકુવા હાઇસ્કુલે સૌ પ્રથમ સ્ટાન્ડર્ડ ક્લબ કાર્યરત કરી સ્ટાન્ડર્ડ રાઈટીંગ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં ભારત સરકારના બી.આઈ.એસ. ડીપાર્ટમેન્ટના અધિકારી અમ્રિતા કોસ્ટાની ઉપસ્થિતમાં આ સ્પર્ધા યોજાઈ.

 

આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ દ્રારા પીવાના પાણી માટેના માપદંડ કયા હોય શકે તે બી.આઈ.એસ. અંતર્ગત સ્વપ્રયત્ને તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં ૧૦૦ વિદ્યાર્થીઓ ભાગીદાર બન્યા જેમાં કુલ રૂપિયા ૨૫૦૦ ના ઇનામો આપવામાં આવ્યા પ્રથમ ઇનામ રૂ. ૧૦૦૦ દ્રિતીય ઇનામ, રૂ. ૭૫૦ ત્રીજું ઇનામ રૂ. ૫૦૦ અને ચોથું ઇનામ, રૂ. ૨૫૦ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આદિવાસી વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓ દ્રારા થયેલી કામગીરીથી બી.આઈ.એસ. ડીપાર્ટમેન્ટના અધિકારી ખુબ જ પ્રભાવિત થયા હતા.

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *