અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા રંગે ચંગે આનંદ ઉમંગે શરદપૂનમની ઉજવણી થઈ

અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા રંગે ચંગે આનંદ ઉમંગે શરદપૂનમની ઉજવણી થઈ

અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના પ્રમુખ જીગ્નેશ દેસાઈ જણાવે છે કે આ શરદ પૂનમ ગમતા નો કરીએ ગુલાલ નો પ્રસંગ છે.અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા શરદ પૂર્ણિમા ઉત્સવ પ્રસંગે ઘેરૈયા નૃત્ય અને જાણીતા સંગીતકાર ભજનિક મહેશભાઈ પટેલ તીઘરા ગામ અને વૃંદના સથવારે ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો.

આરંભે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, નગરપાલિકા પ્રમુખ મીનલબેન દેસાઈ, નિરાલી હોસ્પિટલ ના ડો. સંજય દેસાઈ ,બૃહદ અનાવિલ સમાજના પ્રમુખ મુકેશ નાયક તથા ટ્રસ્ટી દેવુભાઈ મહેતા, કાછિયાવાડી ના સંજય ભવનભાઈ પટેલ ,ટ્રાન્ઝિસ્ટ ડેવલોપર્સના માલવ ધ્રુવ, રોટરી હોસ્પિટલના યોગેશ નાયક લલીતભાઈ પંડ્યા, તથા ડો. ડી કે જોશી વિગેરેના સથવારે દીપ પ્રાગટ્ય થયું હતું.


આ પ્રસંગે જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિનોદભાઈ જી .દેસાઈ ,મહેશભાઈ બાલુભાઈ પટેલ વિગેરેનું અભિવાદન જીગ્નેશ દેસાઈ ઉપપ્રમુખ રવિન દેસાઈ, મંત્રી હાર્દિક નાયક, પ્રકાશભાઈ દેસાઈ વિગેરે દ્વારા થયું હતું.
ધારાસભ્ય રાકેશ દેસાઈએ અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કાર્યકરો ની પીઠ થાબડતા જણાવ્યું હતું કે સમાજના સર્વાંગી વિકાસ માટે અનેક કાર્યક્રમો આ મંચ દ્વારા થઈ રહ્યા છે.સૌને સાથે લઈને ચાલવાની લાગણી ના વિવિધ પુષ્પોથી સુગંધિત આ સંસ્થા છે.


આ પ્રસંગે બે ભગીરથ કાર્યક્રમો હૃદય બચાવો અને સર્વાંગીક સાંસ્કૃતિક કાર્યક્રમ સંસ્કૃતિના બેનર હેઠળ આનંદ મેળો વિગેરે યોજાશે એમ જાહેરાત જીગ્નેશ દેસાઈએ કરી હતી.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *