નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જીવન ઝાંખીનું પ્રદર્શન યોજાયું

નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જીવન ઝાંખીનું પ્રદર્શન યોજાયું

ડો.આર.બાલાસુબ્રમણ્યમ દ્વારા લખાયેલ પુસ્તક “Power Within : The Leadership Legacy of Narendra Modi” જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના લાંબા જાહેર જીવન દરમ્યાન વહીવટી કુશળતાનું વિશ્લેષણ છે આ પુસ્તક આધારિત પરિસંવાદ કાર્યક્રમ નું આયોજન નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભૂરાભાઈ શાહ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું, કાર્યક્રમ માં મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને નવસારીના પ્રભારી જનકભાઈ બગદાણા વાળા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં સૌપ્રથમ દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીવન ઝાંખી કરાવતી પ્રદર્શનની ખુલ્લી મુકવામાં આવી હતી જેને હાજર લોકોએ નિહાળી હતી. ત્યારબાદ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જાહેર જીવનવહીવટી કુશળતા ના વિસ્તરણ સાથેનું સુંદર વક્તવ્ય ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને નવસારીના પ્રભારી જનકભાઈ બગદાણા દ્વારા આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી શીતલબેન સોની નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાભાઈ શાહ,નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ, સદસ્યતા અભિયાનના દક્ષિણ ગુજરાતના સહ ઇન્ચાર્જ જગદીશભાઈ પારેખ, નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ મીનલબેન દેસાઈ, નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અશ્વિનભાઈ પટેલ, જીગ્નેશભાઈ નાયક,નવસારી વિજલપોર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પરેશભાઈ કાસુન્દ્રા સહિતના મહાનુભાવો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *