નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જીવન ઝાંખીનું પ્રદર્શન યોજાયું

નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જીવન ઝાંખીનું પ્રદર્શન યોજાયું

ડો.આર.બાલાસુબ્રમણ્યમ દ્વારા લખાયેલ પુસ્તક “Power Within : The Leadership Legacy of Narendra Modi” જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના લાંબા જાહેર જીવન દરમ્યાન વહીવટી કુશળતાનું વિશ્લેષણ છે આ પુસ્તક આધારિત પરિસંવાદ કાર્યક્રમ નું આયોજન નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભૂરાભાઈ શાહ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું, કાર્યક્રમ માં મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને નવસારીના પ્રભારી જનકભાઈ બગદાણા વાળા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં સૌપ્રથમ દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીવન ઝાંખી કરાવતી પ્રદર્શનની ખુલ્લી મુકવામાં આવી હતી જેને હાજર લોકોએ નિહાળી હતી. ત્યારબાદ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જાહેર જીવનવહીવટી કુશળતા ના વિસ્તરણ સાથેનું સુંદર વક્તવ્ય ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને નવસારીના પ્રભારી જનકભાઈ બગદાણા દ્વારા આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી શીતલબેન સોની નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાભાઈ શાહ,નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ, સદસ્યતા અભિયાનના દક્ષિણ ગુજરાતના સહ ઇન્ચાર્જ જગદીશભાઈ પારેખ, નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ મીનલબેન દેસાઈ, નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અશ્વિનભાઈ પટેલ, જીગ્નેશભાઈ નાયક,નવસારી વિજલપોર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પરેશભાઈ કાસુન્દ્રા સહિતના મહાનુભાવો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *