આજે ભાજપનો 46મો સ્થાપના દિવસ નવસારી ખાતે કરાઈ,7થી 12 એપ્રિલ સુધી યોજાશે વિશેષ કાર્યક્રમો યોજાશે

આજે ભાજપનો 46મો સ્થાપના દિવસ નવસારી ખાતે કરાઈ,7થી 12 એપ્રિલ સુધી યોજાશે વિશેષ કાર્યક્રમો યોજાશે

6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટી માટે એક ઐતિહાસિક અને ગૌરવભર્યો દિવસ છે.આજના દિવસે વર્ષ 1980માં જનસંઘમાંથી અલગ પડીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સ્થાપના કરવામાં આવી હતી. આજે ભાજપના સ્થાપનાને 45 વર્ષ પૂર્ણ થયા છે. આજના દિવસે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

ફાઈલ ફોટો

ભાજપ હાલમાં કેન્દ્રમાં સતત ત્રીજી વાર શાસન કરી રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ આ ત્રીજી કાર્યકાળ છે. પાર્ટીની સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં વિવિધ ઉજવણી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ગુજરાત ભાજપે પોતાના કાર્યકર્તાઓને આ અવસરે વિશેષ કાર્યક્રમો આયોજિત કરવાની સૂચના આપી છે.

પાર્ટી તરફથી જાહેર કરાયેલ કાર્યક્રમોની રૂપરેખા મુજબ તારીખ 7થી 9 એપ્રિલ સુધી ભાજપના સક્રિય સભ્યોના સંમેલન યોજાશે. ત્યારબાદ તારીખ 10થી 12 એપ્રિલ દરમિયાન “ગાંવ-બસ્તી ચાલો” અભિયાન અંતર્ગત ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જનસંપર્ક કરવામાં આવશે.

નવસારી જિલ્લામાં પણ આ ઉજવણી ઉત્સાહભેર થઇ રહી છે. નવસારી કમલમ ખાતે ભાજપના જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહના હસ્તે ધ્વજ વંદના કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નવસારી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલ અને અન્ય જિલ્લાની આગેવાની સભ્યોએ હાજરી આપી હતી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને એકબીજાને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *