આજે ભાજપનો 46મો સ્થાપના દિવસ નવસારી ખાતે કરાઈ,7થી 12 એપ્રિલ સુધી યોજાશે વિશેષ કાર્યક્રમો યોજાશે
- Local News
- April 6, 2025
- No Comment
6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટી માટે એક ઐતિહાસિક અને ગૌરવભર્યો દિવસ છે.આજના દિવસે વર્ષ 1980માં જનસંઘમાંથી અલગ પડીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સ્થાપના કરવામાં આવી હતી. આજે ભાજપના સ્થાપનાને 45 વર્ષ પૂર્ણ થયા છે. આજના દિવસે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

ભાજપ હાલમાં કેન્દ્રમાં સતત ત્રીજી વાર શાસન કરી રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ આ ત્રીજી કાર્યકાળ છે. પાર્ટીની સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં વિવિધ ઉજવણી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ગુજરાત ભાજપે પોતાના કાર્યકર્તાઓને આ અવસરે વિશેષ કાર્યક્રમો આયોજિત કરવાની સૂચના આપી છે.
પાર્ટી તરફથી જાહેર કરાયેલ કાર્યક્રમોની રૂપરેખા મુજબ તારીખ 7થી 9 એપ્રિલ સુધી ભાજપના સક્રિય સભ્યોના સંમેલન યોજાશે. ત્યારબાદ તારીખ 10થી 12 એપ્રિલ દરમિયાન “ગાંવ-બસ્તી ચાલો” અભિયાન અંતર્ગત ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જનસંપર્ક કરવામાં આવશે.
નવસારી જિલ્લામાં પણ આ ઉજવણી ઉત્સાહભેર થઇ રહી છે. નવસારી કમલમ ખાતે ભાજપના જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહના હસ્તે ધ્વજ વંદના કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નવસારી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલ અને અન્ય જિલ્લાની આગેવાની સભ્યોએ હાજરી આપી હતી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને એકબીજાને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
