આજે ભાજપનો 46મો સ્થાપના દિવસ નવસારી ખાતે કરાઈ,7થી 12 એપ્રિલ સુધી યોજાશે વિશેષ કાર્યક્રમો યોજાશે

આજે ભાજપનો 46મો સ્થાપના દિવસ નવસારી ખાતે કરાઈ,7થી 12 એપ્રિલ સુધી યોજાશે વિશેષ કાર્યક્રમો યોજાશે

6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટી માટે એક ઐતિહાસિક અને ગૌરવભર્યો દિવસ છે.આજના દિવસે વર્ષ 1980માં જનસંઘમાંથી અલગ પડીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સ્થાપના કરવામાં આવી હતી. આજે ભાજપના સ્થાપનાને 45 વર્ષ પૂર્ણ થયા છે. આજના દિવસે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

ફાઈલ ફોટો

ભાજપ હાલમાં કેન્દ્રમાં સતત ત્રીજી વાર શાસન કરી રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ આ ત્રીજી કાર્યકાળ છે. પાર્ટીની સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં વિવિધ ઉજવણી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ગુજરાત ભાજપે પોતાના કાર્યકર્તાઓને આ અવસરે વિશેષ કાર્યક્રમો આયોજિત કરવાની સૂચના આપી છે.

પાર્ટી તરફથી જાહેર કરાયેલ કાર્યક્રમોની રૂપરેખા મુજબ તારીખ 7થી 9 એપ્રિલ સુધી ભાજપના સક્રિય સભ્યોના સંમેલન યોજાશે. ત્યારબાદ તારીખ 10થી 12 એપ્રિલ દરમિયાન “ગાંવ-બસ્તી ચાલો” અભિયાન અંતર્ગત ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જનસંપર્ક કરવામાં આવશે.

નવસારી જિલ્લામાં પણ આ ઉજવણી ઉત્સાહભેર થઇ રહી છે. નવસારી કમલમ ખાતે ભાજપના જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહના હસ્તે ધ્વજ વંદના કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નવસારી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલ અને અન્ય જિલ્લાની આગેવાની સભ્યોએ હાજરી આપી હતી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને એકબીજાને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *