નવસારીના વાંદરવેલા શાળાના શિક્ષક મિત્રના શંકાસ્પદ મોત: ચીખલીના રાનકુવામાં શિક્ષિકાના ઘરમાં બંનેની લાશ મળી, શિક્ષક દોરડે લટકતો હતો અને શિક્ષિકા જમીન પર પડી હતી

નવસારીના વાંદરવેલા શાળાના શિક્ષક મિત્રના શંકાસ્પદ મોત: ચીખલીના રાનકુવામાં શિક્ષિકાના ઘરમાં બંનેની લાશ મળી, શિક્ષક દોરડે લટકતો હતો અને શિક્ષિકા જમીન પર પડી હતી

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુવા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાંદરવેલા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા લતા પટેલ (ઉ.વ. 45) અને છોટુ પટેલ મૃત હાલતમાં મળી આવ્યા છે. આ ઘટના પગલે સમગ્ર ગામમાં ચકચારનો વિષય બન્યો છે.

બન્નેના મૃતદેહ લતા પટેલના નિવાસસ્થાને મળી આવ્યા હતા. ઘટનાની જાણ પાડોશીઓએ ચીખલી પોલીસને કરતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. મૃતદેહોને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

https://www.facebook.com/share/v/1G1znpEFc2/

શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત

સ્થાનિકોમાં ચર્ચા છે કે આ ઘટના હત્યા અને આત્મહત્યાનો હોવાની શંકા છે. સંદેહ વ્યક્ત કરાયો છે કે છોટુ પટેલે પહેલા લતા પટેલની હત્યા કરી બાદમાં પોતે દોરડા વડે લટકી આત્મહત્યા કરી લીધી હોય શકે આ માત્ર તર્ક હોય શકે  જોકે, હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને પોલીસ સમગ્ર મામલે જરૂરી પગલાઓ લઈ રહી છે.

પોલીસ તપાસ ચાલુ

ચીખલી પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી ત્વરિત તપાસ શરૂ કરી છે. બન્નેના પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યા છે, અને અંતિમ રિપોર્ટ મળ્યા બાદ જ મોતના સાચા કારણો સામે આવશે. હાલ ગામમાં શોક અને ચિંતાનો માહોલ છે. સ્થાનિક લોકો સત્ય જાણવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પોલીસ દ્વારા તમામ પાસાઓ, સ્થળ પુરાવાઓને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી કરી રહી છે. આ કેસના રહસ્ય પર પડદો ઉઠવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *