નવસારીના વાંદરવેલા શાળાના શિક્ષક મિત્રના શંકાસ્પદ મોત: ચીખલીના રાનકુવામાં શિક્ષિકાના ઘરમાં બંનેની લાશ મળી, શિક્ષક દોરડે લટકતો હતો અને શિક્ષિકા જમીન પર પડી હતી

નવસારીના વાંદરવેલા શાળાના શિક્ષક મિત્રના શંકાસ્પદ મોત: ચીખલીના રાનકુવામાં શિક્ષિકાના ઘરમાં બંનેની લાશ મળી, શિક્ષક દોરડે લટકતો હતો અને શિક્ષિકા જમીન પર પડી હતી

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુવા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાંદરવેલા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા લતા પટેલ (ઉ.વ. 45) અને છોટુ પટેલ મૃત હાલતમાં મળી આવ્યા છે. આ ઘટના પગલે સમગ્ર ગામમાં ચકચારનો વિષય બન્યો છે.

બન્નેના મૃતદેહ લતા પટેલના નિવાસસ્થાને મળી આવ્યા હતા. ઘટનાની જાણ પાડોશીઓએ ચીખલી પોલીસને કરતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. મૃતદેહોને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

https://www.facebook.com/share/v/1G1znpEFc2/

શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત

સ્થાનિકોમાં ચર્ચા છે કે આ ઘટના હત્યા અને આત્મહત્યાનો હોવાની શંકા છે. સંદેહ વ્યક્ત કરાયો છે કે છોટુ પટેલે પહેલા લતા પટેલની હત્યા કરી બાદમાં પોતે દોરડા વડે લટકી આત્મહત્યા કરી લીધી હોય શકે આ માત્ર તર્ક હોય શકે  જોકે, હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને પોલીસ સમગ્ર મામલે જરૂરી પગલાઓ લઈ રહી છે.

પોલીસ તપાસ ચાલુ

ચીખલી પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી ત્વરિત તપાસ શરૂ કરી છે. બન્નેના પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યા છે, અને અંતિમ રિપોર્ટ મળ્યા બાદ જ મોતના સાચા કારણો સામે આવશે. હાલ ગામમાં શોક અને ચિંતાનો માહોલ છે. સ્થાનિક લોકો સત્ય જાણવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પોલીસ દ્વારા તમામ પાસાઓ, સ્થળ પુરાવાઓને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી કરી રહી છે. આ કેસના રહસ્ય પર પડદો ઉઠવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *