નવસારી જિલ્લામાં મકાનો/બંગલાઓમાં કામ કરનારાઓની ફરજિયાત ઓનલાઈન નોંધણી કરાવવા અંગેનું જાહેરનામું બહાર પડાયુ

નવસારી જિલ્લામાં મકાનો/બંગલાઓમાં કામ કરનારાઓની ફરજિયાત ઓનલાઈન નોંધણી કરાવવા અંગેનું જાહેરનામું બહાર પડાયુ

તા.૧૧/૦૭/૨૦૨૫ સુધી શ્રમિકો/કામદારોની સાચી ઓળખ પ્રસ્થાપિત તથા ડોક્યુમેન્ટસ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે.

નવસારી જિલ્લાના ઓધોગિક અને ખાનગી એકમોમાં દ્વારા શ્રમિકો/કામદારોને રોજગારી આપવામાં આવે છે. રોજગારી આપતી વખતે રોજગારી આપનાર સંસ્થા/એકમો તરફથી શ્રમિકો/કામદારોના કોઇ પૂર્વ ઇતિહાસ અથવા ઓળખ પ્રસ્થાપિત કરવામાં માટેની પ્રક્રિયા અપનાવવામાં આવતી ન હોવાના કારણે અસામાજીક તત્વો તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યકિતઓ અને ભારતીય નાગરીકતા નહિ ધરાવતી વ્યકિતઓને રોજગારી આપી દેવામાં આવે છે. જે આપણા દેશ અને રાજયની આંતરીક સુરક્ષા માટે યોગ્ય અને ઇચ્છનીય નથી.

જે અન્વયે નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય બી ઝાલાને મળેલ સત્તાની રૂએ જીલ્લામાં કોઇપણ સંસ્થા/એકમો તરફથી શ્રમિકો/કામદારોને રોજગારી આપવામાં આવે ત્યારે દરેક શ્રમિકો/કામદારોના જરૂરી ડોક્યુમેન્ટો મેળવી જે તે સંસ્થા/એકમોએ શ્રમિકો/કામદારોના પૂર્વ ઇતિહાસ અથવા ઓળખ પ્રસ્થાપિત કરવા માટે સબંધિત પોલીસ સ્ટેશનોમાં વિગત આપી તેઓના પૂર્વ ઇતિહાસ અથવા ઓળખ પ્રસ્થાપિત કરવા જીલ્લામાં કોઇપણ સંસ્થા/એકમો તરફથી શ્રમિકો/કામદારોને રોજગારી આપવામાં આવે ત્યારે દરેક શ્રમિકો/કામદારોના પૂર્વ ઇતિહાસ, નાગરીકતા અને ઓળખ અંગે જરૂરી કાર્યવાહી કરવા અંગેનું જાહેરનામું બાહર પાડવામાં આવ્યું છે.

નવસારી જિલ્લામાં મકાનો/બંગલાઓ, કારખાનેદારો, મકાન બાંધકામ બિલ્ડર્સ, ટેક્ષ ટાઇલ્સ ઉધોગ, હિરા ઉધોગ, ઓફિસો, દુકાનો, હોટલો, નગર નિગમો માટે મજુરી કામ કરતા પર પ્રાંતિય કોન્ટ્રાકટરના કર્મચારી/કારીગરો/મજુરો, ખાનગી એકમો, ઇંટના ભઠ્ઠા તથા અન્ય ઉધોગો સાથે સંકળાયેલ તમામ પ્રાઇવેટ સેકટરના માલિકો/મેનેજમેન્ટ સ્ટાફ કે જેઓના યુનિટમાં ધરઘાટી નોકર, ડ્રાઇવર, રસોઇયા, વોચમેન, માળી કર્મચારી, કારીગરો, મજુરો જે હાલમાં કામ ઉપર છે તેવા તેમજ કામ ઉપર રાખવામાં આવનાર કાયમી, હંગામી રોજીંદા કે કોન્ટ્રાક્ટના કુર્મેચારી/કારીગરો/મજુરો/નોકરોની માહિતી/હકીકત અંગેની તમામ નોંધણી સીટીઝન પોર્ટલ વેબસાઇટ (www.gujhome.gujarat.gov.in) અથવા સીટીઝન ફ઼સ્ટ એન્ડ્રોઇડ એપ્લીકેશન મારફતે ફરજીયાત નોંધણી કરાવવાની રહેશે. જે તે સંસ્થા/એકમો/માલિકો દ્વારા નજીકના સબંધિત પોલીસ સ્ટેશનોમાં ફરજિયાત તા. ૧૧/૦૭/૨૦૨૫ સુધી પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે.

આ જાહેરનામાનો ભંગ/ઉલ્લઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *