૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ સ્થાપત્યકલાને અક્ષરસઃ જાળવી રાખીને નવનિર્માણ કરવામાં આવ્યું છે.સર જમશેદજી જીજીભોયના સીધા વારસ અને ટોચના સખાવતી બેરોનેટ સર રૂસ્તમજી જીજીભોયના વરદ હસ્તે તથા નવસારીના વડા દસ્તુરજીની વિશેષ ઉપસ્થિતિમાં આ નૂતન ઇમારતનું લોકાર્પણ/નવનિર્માણ કાર્ય સંપન્ન થયું હતું.

સખાવત અને સેવાભાવી પરંપરાનો ઇતિહાસ

સમગ્ર દેશમાં નવસારીના આ સપૂતે અનેકવિધ તબીબી, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સખાવતો કરી છે, અને તેમના વારસદારો આજદિન સુધી આ સેવા અને સખાવતના વારસાને ઉત્સાહપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં આવેલી સર જે.જે. હાઇસ્કુલો, શેઠ આર.જી.જે. હાઈસ્કુલો અને મુંબઈની પ્રખ્યાત સર જે.જે. આર્ટસ ગેલેરી જેવી અનેક સંસ્થાઓ આ જ પારિવારિક સખાવતનું પરિણામ છે, જેનું જતન અને આધુનિકરણ પણ આજ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આ ધાર્મિક અને ભવ્ય પ્રસંગે જાણીતા નાટ્યકાર યઝદી કરંજીયા, સેવાભાવી યઝદી કાસદ તેમજ સંલગ્ન શાળાઓના આચાર્યો સહિત મોટી સંખ્યામાં પારસી સમુદાયના આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related post

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…
સરિસૃપોના નામ પાછળનો રસપ્રદ ઇતિહાસ: શિવજી થી લઈને જૈકી ચાનસુધીની કહાણીઓ

સરિસૃપોના નામ પાછળનો રસપ્રદ ઇતિહાસ: શિવજી થી લઈને જૈકી…

268 વર્ષનો ઇતિહાસ: ભારતીય સરિસૃપોના વૈજ્ઞાનિક નામોમાં છુપાયેલો છે સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો (વૈજ્ઞાનિક/સંશોધન આધારિત) ​ભારતમાં 1,047 સરિસૃપ ટેક્સા: 1758થી આજ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *