ભારતીય હવાઇદળમાં અગ્નીવીર તરીકે જોડાવા માટે અમૂલ્ય તક તા.૩૧ મી માર્ચ સુધી અરજી કરી શકાશે 

ભારતીય હવાઇદળમાં અગ્નીવીર તરીકે જોડાવા માટે અમૂલ્ય તક તા.૩૧ મી માર્ચ સુધી અરજી કરી શકાશે 

ભારતીય હવાઇદળ (ઇન્ડિયન એરફોર્સ)માં અગ્નીવીર તરીકે જોડાઇને ઉજજવળ કારિકર્દી ઘડવા ઇચ્છતા અવિવાહિત, શારીરિક સશકત પુરુષ/મહિલા ઉમેદવારો એરફોર્સની વિવિધ કેડરની ભરતી માટે આગામી તા.૩૧/૦૩/૨૦૨૩ સુધીમાં https://agnipathvayu.cdac.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે.

આ માટે ઉમેદવારની લાયકાત ઓછામાં ઓછુ ધોરણ-૧૨ પાસ તેમજ તા.૨૬/૧૨/૨૦૦૨ થી તા.૨૬/૦૬/૨૦૦૬ ની વચ્ચે જન્મેલા પુરુષ/મહિલા ઉમેદવારો અરજી કરી શકે. આ વિશે વધુ માહિતી માટે https://agnipathvayu.cdac.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે. લાયકાત ધરાવનાર ઉમેદવારોએ ઓનલાઇન અરજીમાં પૂરેપૂરી વિગતો ભરવાની રહેશે. આ માટે પરીક્ષા ફી રૂા.૨૫૦/- રાખવામાં આવી છે. આ અંગે વધુ વિગત માટે જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા સેવા સદન, ત્રીજોમાળ, જુનાથાણા, નવસારી ખાતે રૂબરૂ તથા હેલ્પલાઇન નંબર-૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક સાધવા જણાવાયું છે.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *