ડાંગ જિલ્લામાં રાજીનામાઓની વણઝાર લાગતા હડકંપ સાથે રાજકીય ગરમાટો જોવા મળી રહ્યો છે.

ડાંગ જિલ્લામાં રાજીનામાઓની વણઝાર લાગતા હડકંપ સાથે રાજકીય ગરમાટો જોવા મળી રહ્યો છે.

ડાંગ જિલ્લાનાં ભાજપ પ્રમુખ દશરથભાઈ પવારે શનિવારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને રાજીનામું આપ્યાં બાદ ગતરોજ આહવા મંડળ નાં પ્રમુખ સંજયભાઈ વ્યવહારે એ પણ ગતરોજ ગુજરાત પ્રદેશ રાજીનામું પાઠવી દીધુ છે.

આજે સવારે ડાંગ જિલ્લા લધુમતી મોરચાનાં મહામંત્રી આસીફ ચિરાગભાઈ શાહે પણ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને રાજીનામું પાઠવી દીધું છે તેમાં તેમને જણાવ્યું છે કે હું લધુમતી મોરચાનાં મહામત્રી પદેથી રાજીખુશી થી રાજીનામું આપું છુ તેમને વધુમાં જણાવ્યું છે કે ડાંગ જિલ્લામાં જે જુથવાદ ચાલે છે તેનાં લીધે હું રાજીનામું આપ્યું છે.

બીજી તરફ આજરોજ સી.આર.પાટીલ સંબોધન કરીને બાળુભાઈ એન. ગવળીડાંગ જિલ્લાના અનુસુચિત જાતિ મોરચાના મહામંત્રી પદેથી રાજીખુશીથી રાજીનામું આપુ છું. ડાંગ જિલ્લા સંગઠનમાં ચાલતો આંતરિક જુથવાદ ના લીધે હું રાજીખુશીથી રાજીનામું આપું છુ. જે સ્વીકારવા આપને વિનંતી કરતો પત્ર આપ્યો છે.

ભારતીય જનતા પાર્ટી ના ડાંગ જિલ્લાના અનુસુચિત મોરચાના પ્રમુખ પ્રવિણ આહિરે પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું છે. રાજીનામા પત્ર માં તેમણે જણાવ્યું છે કે ડાંગ જિલ્લામાં સંગઠનમાં ચાલતા આંતરિક જુથવાદ પગલે રાજીખુશીથી રાજીનામું આપું છું

આમ ડાંગ જિલ્લામાં ભાજપ પક્ષને મજબુત બનાવવા માટે જે ચુંટણીઓમાં આડેધડ નેતાઓની ભરતી થઈ છે તેવા નેતાઓ જુથવાદની રાજનીતી રમે છે તેનાં મૂળ હોદ્દેદારો તથા કાર્યકરો ભાજપને છોડી રહ્યા છે

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા રાજ્યના તમામ સંગઠનો પ્રદેશ પ્રમુખો આ રાજીનામાં આપવાની મુદ્દે ક્યાં પગલાંઓ લેશે.તેમજ ડાંગ જિલ્લામાં ચાલી રહેલ જુથવાદ પગલે રાજીનામાં પગલે રાજકીય ગરમાટો આવ્યો છે તેને કઈ રીતે શાંત કરશે તે જોવું રહ્યું તેમજ આવનારો સમય બતાવશે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *