મોંઘવારી વચ્ચે જનતાને મોટી રાહત ના સમાચાર : સીએનજી તથા પીએનજી ગેસના ભાવમાં ઘટાડો, આજથી નવો ભાવ લાગુ

મોંઘવારી વચ્ચે જનતાને મોટી રાહત ના સમાચાર : સીએનજી તથા પીએનજી ગેસના ભાવમાં ઘટાડો, આજથી નવો ભાવ લાગુ

સીએનજી તથા પીએનજી ભાવને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. સીએનજી અને પીએનજીના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 8 રૂપિયા અને પીએનજીના ભાવમાં 5 રૂપિયા પ્રતિ ઘન સેન્ટીમીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે.

• ગુજરાતીઓ માટે આનંદના સમાચાર

• અદાણીએ કર્યો CNG અને PNGના ભાવોમાં ઘટાડો

• CNGમાં પ્રતિકિલોએ 8.13 રૂપિયાનો ઘટાડો

• PNGમાં પ્રતિકિલોએ 5.06 રૂપિયાનો ઘટાડો

• આજે મધરાતથી નવો ભાવ થશે અમલી

સીએનજી તથા પીએનજી અદાણી ગેસે રાહત આપી છે. અદાણીએ સીએનજી તથા પીએનજી ભાવમાં ઘટાડો કર્યો છે. 

અદાણી પીએનજી ભાવ રૂપિયા 49.83 થયો

અદાણી પીએનજીમાં રૂપિયા 4નો ઘટાડો કર્યો છે. હવે અદાણી પીએનજીનો ભાવ રૂપિયા 49.83 થયો છે. અમદાવાદમાં સીએનજીનો પ્રતિકિલોનો ભાવ ઘટીને 73.29 થયો છે. રાજ્યમાં અન્ય ગેસ એજન્સીએ સીએનજીનો ભાવ 5 થી 8 રૂપિયા ઘટાડ્યા છે.

કેન્દ્રની નવી ગેસનીતિને પગલે ભાવ ઘટ્યા

કુદરતી ગેસના ભાવમાં આ ઘટાડો એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે કેબિનેટે કુદરતી ગેસના ભાવ માટે નવી કિંમત નિર્ધારણ પદ્ધતિની જાહેરાત કરી છે. આ નવી સિસ્ટમની જાહેરાત બાદ જ સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો થયો છે. કેબિનેટનો આ નિર્ણય અર્થશાસ્ત્રી કિરીટ પરીખની આગેવાની હેઠળની નિષ્ણાત પેનલની ભલામણો પર આધારિત છે.

કેન્દ્રની નવી ગેસનીતિને પગલે સીએનજી ગેસના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સીએનજી ગેસના ભાવમાં 8.13 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જ્યારે પીએનજી ગેસના ભાવમાં 5.06 રૂપિયાનો ઘટાડો થયો છે.  સીએનજીનો નવો ભાવ 8.13 રૂપિયા ઘટીને 73.29 રૂપિયા થયો છે. પીએનજીનો નવો ભાવ 5.06 રૂપિયા ઘટીને 49.83 રૂપિયા થયો છે

ઘટાડા બાદ સીએનજી અને પીએનજીના ભાવ કેટલા છે

MGL તરફથી સીએનજીની સંશોધિત કિંમત 79 રૂપિયા પ્રતિ કિલો અને સ્થાનિક પીએનજીની કિંમત વધારીને 49 રૂપિયા પ્રતિ SCM કરવામાં આવી છે, જે 8 એપ્રિલની મધ્યરાત્રિથી લાગુ થશે. આ ઘટાડા સાથે સીએનજી પેટ્રોલ કરતાં 49 ટકા અને ડીઝલ કરતાં 16 ટકા સસ્તું થયું છે, જ્યારે સ્થાનિક પીએનજી LPG કરતાં 21 ટકા સસ્તું થયું છે.

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *