મોંઘવારી વચ્ચે જનતાને મોટી રાહત ના સમાચાર : સીએનજી તથા પીએનજી ગેસના ભાવમાં ઘટાડો, આજથી નવો ભાવ લાગુ

મોંઘવારી વચ્ચે જનતાને મોટી રાહત ના સમાચાર : સીએનજી તથા પીએનજી ગેસના ભાવમાં ઘટાડો, આજથી નવો ભાવ લાગુ

સીએનજી તથા પીએનજી ભાવને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. સીએનજી અને પીએનજીના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 8 રૂપિયા અને પીએનજીના ભાવમાં 5 રૂપિયા પ્રતિ ઘન સેન્ટીમીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે.

• ગુજરાતીઓ માટે આનંદના સમાચાર

• અદાણીએ કર્યો CNG અને PNGના ભાવોમાં ઘટાડો

• CNGમાં પ્રતિકિલોએ 8.13 રૂપિયાનો ઘટાડો

• PNGમાં પ્રતિકિલોએ 5.06 રૂપિયાનો ઘટાડો

• આજે મધરાતથી નવો ભાવ થશે અમલી

સીએનજી તથા પીએનજી અદાણી ગેસે રાહત આપી છે. અદાણીએ સીએનજી તથા પીએનજી ભાવમાં ઘટાડો કર્યો છે. 

અદાણી પીએનજી ભાવ રૂપિયા 49.83 થયો

અદાણી પીએનજીમાં રૂપિયા 4નો ઘટાડો કર્યો છે. હવે અદાણી પીએનજીનો ભાવ રૂપિયા 49.83 થયો છે. અમદાવાદમાં સીએનજીનો પ્રતિકિલોનો ભાવ ઘટીને 73.29 થયો છે. રાજ્યમાં અન્ય ગેસ એજન્સીએ સીએનજીનો ભાવ 5 થી 8 રૂપિયા ઘટાડ્યા છે.

કેન્દ્રની નવી ગેસનીતિને પગલે ભાવ ઘટ્યા

કુદરતી ગેસના ભાવમાં આ ઘટાડો એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે કેબિનેટે કુદરતી ગેસના ભાવ માટે નવી કિંમત નિર્ધારણ પદ્ધતિની જાહેરાત કરી છે. આ નવી સિસ્ટમની જાહેરાત બાદ જ સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો થયો છે. કેબિનેટનો આ નિર્ણય અર્થશાસ્ત્રી કિરીટ પરીખની આગેવાની હેઠળની નિષ્ણાત પેનલની ભલામણો પર આધારિત છે.

કેન્દ્રની નવી ગેસનીતિને પગલે સીએનજી ગેસના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સીએનજી ગેસના ભાવમાં 8.13 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જ્યારે પીએનજી ગેસના ભાવમાં 5.06 રૂપિયાનો ઘટાડો થયો છે.  સીએનજીનો નવો ભાવ 8.13 રૂપિયા ઘટીને 73.29 રૂપિયા થયો છે. પીએનજીનો નવો ભાવ 5.06 રૂપિયા ઘટીને 49.83 રૂપિયા થયો છે

ઘટાડા બાદ સીએનજી અને પીએનજીના ભાવ કેટલા છે

MGL તરફથી સીએનજીની સંશોધિત કિંમત 79 રૂપિયા પ્રતિ કિલો અને સ્થાનિક પીએનજીની કિંમત વધારીને 49 રૂપિયા પ્રતિ SCM કરવામાં આવી છે, જે 8 એપ્રિલની મધ્યરાત્રિથી લાગુ થશે. આ ઘટાડા સાથે સીએનજી પેટ્રોલ કરતાં 49 ટકા અને ડીઝલ કરતાં 16 ટકા સસ્તું થયું છે, જ્યારે સ્થાનિક પીએનજી LPG કરતાં 21 ટકા સસ્તું થયું છે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *