નવસારી જિલ્લાના ચીખલી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાને પોલીસ ક્વાર્ટસમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

નવસારી જિલ્લાના ચીખલી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાને પોલીસ ક્વાર્ટસમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

નવસારી જિલ્લાના ચીખલી પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાને પોતાના સરકારી ક્વોટર્સમાં આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. પોલીસકર્મી સંજય પટેલનો મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ચીખલી પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ સંજય પટેલ પીએસઓ તેમજ બીટ જમાદાર તરીકે ફરજ બજાવતો હતો. હેડ કોન્સ્ટેબલ સંજય પટેલ પાછલા કેટલાક સમયથી બીમાર હતો. જેથી કંટાળીને હેડ કોન્સ્ટેબલ સંજય પટેલ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સેવી રહ્યા છે. સુરત જિલ્લાના મહુવા પાસેના મૂળ રહેવાસી સંજય પટેલના પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે.

હેડ કોન્સ્ટેબલ સંજય પટેલ આપઘાતથી તેમના પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.પોલીસ હેડ કોન્સ્ટેબલના આત્મહત્યાથી ચીખલી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ અને જિલ્લાના પોલીસ બેડામાં પણ શોક વ્યાપી ગયો છે.ચીખલી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

Related post

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થતા લોકોએ હાલાકી, 7 જિલ્લા અને 23 શહેર અને 3461 ગ્રામ્ય વિસ્તારના 32 લાખ,37 હજારથી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક…

આજ રોજ વીજ ફોલ્ટ થવાને કારણે બપોરે  3.45 વાગ્યા આસ પાસના અરસામાં સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થઈ ગઈ છે.…
નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *