નવસારી જિલ્લા અને શહેર ભારતીય જનતા પાર્ટીની સંયુક્ત કારોબારી યોજાઈ

નવસારી જિલ્લા અને શહેર ભારતીય જનતા પાર્ટીની સંયુક્ત કારોબારી યોજાઈ

નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ ના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લા ભાજપ અને નવસારી શહેર ભાજપ ની સયુંકત કારોબારી બેઠક કમલમ ખાતે યોજાઇ હતી.જેમાં આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત કરવાની થતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બુથ સશક્તિકરણ,પાંચ એપ્લિકેશન ડાઉનલોડ કરવા તેમજ દરેક કાર્યકતા ઓને 50 સરલએપ ડાઉનલોડ કરવાનું લક્ષ અપાયું હતું.

આ કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને નવસારીમાં સાંસદ સીઆર પટેલ સાહેબે વિડિયો વક્તવ્યમાં કેન્દ્રની ભાજપ સરકારને નવ વર્ષ પૂર્ણ થતા હોઇ આ નવ વર્ષ દરમિયાન ભાજપ સરકાર દ્વારા સમગ્ર હિન્દૂ ધર્મના આસ્થા ભગવાન શ્રીરામના મંદિરનું ભવ્ય નિર્માણ,જમ્મુ કાશ્મીરમાંથી વિવાદિત કલમ 370 અને 35A એક જ ઝાટકે દૂર કરી દેશની અખંડિતા કાયમ રાખી છે.

ભારતીય જવાન અભિનંદનને પાકિસ્તાન થી માત્ર 24 કલાકમાં સુરક્ષિત ઘેર લાવી ભારતની શક્તિનો પરચો બતાવ્યો હતો.આત્મનિર્ભર ભારતને સાર્થક કરતું એક કામ દેશમાંજ વંદે ભારત ટ્રેનની તમામ સ્પેરપાર્ટ સ્વદેશમાં જ તૈયાર કરવામાં આવ્યા છે.સહિત 9 વર્ષમાં કરાયેલી અનેકવિધ ઉપલબ્ધિઓ જણાવી હતી.આ કારોબારીમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહે કાર્યકર્તાઓને દરેક મંડળના બુથ સુધી જઈને બુથ મજબૂત કરવા માટે જણાવ્યું હતું અને દરેક કાર્યકર્તાઓને પાંચ એપ્લિકેશન એપ બનાવવા માટે જરૂરી સૂચનો કર્યા હતા.

આ કારોબારીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, નરેશભાઈ પટેલ અને પ્રદેશ મંત્રી શીતલબેન સોનીએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહિર પ્રદેશ કારોબારી સભ્ય અને તાપી જિલ્લાના પ્રભારી માધુભાઈ કથીરિયા પ્રદેશ એસટી મોરચાના મહામંત્રી પિયુષ પટેલ મહામંત્રી ગણપતભાઈ મહાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રી જીગ્નેશભાઈ નાયક એ કર્યું હતું

Related post

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થતા લોકોએ હાલાકી, 7 જિલ્લા અને 23 શહેર અને 3461 ગ્રામ્ય વિસ્તારના 32 લાખ,37 હજારથી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક…

આજ રોજ વીજ ફોલ્ટ થવાને કારણે બપોરે  3.45 વાગ્યા આસ પાસના અરસામાં સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થઈ ગઈ છે.…
નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *