NCC નેવલ યુનિટ નવસારી દ્વારા પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે “મિશન લાઈફ સ્ટાઈલ” ની ઉજવણી કરવામાં આવી

NCC નેવલ યુનિટ નવસારી દ્વારા પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે “મિશન લાઈફ સ્ટાઈલ” ની ઉજવણી કરવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26મી યુએન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ (COP26)માં મિશન લાઇફનો વિશ્વને પરિચય કરાવ્યો.”મિશન લાઇફ એ પર્યાવરણીય સભાન જીવનશૈલીનું સામૂહિક ચળવળ બની શકે છે. આજે જેની જરૂર છે તે માઇન્ડફુલ અને ડિસ્ટ્રેક્ટિવ કન્ઝમ્પશનને બદલે માઇન્ડફુલ અને ઇરાદાપૂર્વક ઉપયોગ કરવાની છે.”

મિશન લાઈફ સ્ટાઈલ ની ઉજવણીના ભાગરૂપે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ દમણ અને બી કે એમ સાયન્સ કોલેજ વલસાડ અને નવસારી જિલ્લાની સરકારી શાળા કોલેજો ના એનસીસી નેવી ક્રેડિટ દ્વારા દરિયા કિનારાની સફાઈ કરવામાં આવી પૃથ્વીને અનુકૂળ એવા જળાશયો સ્વચ્છ રાખવા માટે પ્રતિજ્ઞા કરવામાં આવી.એનસીસી ગ્રુપ હેડ કવોટર વડોદરાના નેજા હેઠળ 9 ગુજરાત એન સી સી નેવલ યુનિટ નવસારી દ્વારા મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જુદી જુદી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી સમગ્ર વિશ્વ જ્યારે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ ની ઉજવણી કરે છે ત્યારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન મુજબ પ્રત્યેક નાગરિક મિશન લાઇફની પ્રતિજ્ઞા લે અને પર્યાવરણને અનુકૂળ પોતાની જીવનશૈલી અપનાવે તે માટે શેરી નાટક ,ડિબેટ, જનજાગૃતિ રેલી,નિબંધ લેખન ,પોસ્ટર વગેરે દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

9 ગુજરાત એન સી સી નેવલ યુનિટ નવસારીના કમાન્ડિંગ ઓફિસર અમિત નૈન દ્વારા પીઆઇ સ્ટાફ મનીષકુમાર અને એનસીસી કેડેટને જનજાગૃતિ પ્રવૃત્તિ માટે અભિનંદન આપી આ પ્રવૃત્તિ પાંચમી જૂન સુધી સતત કાર્યરત રહેશે તેવું જણાવ્યું હતું. નવસારી ,દમણ અને આજુબાજુના સામાજિક કાર્યકરો અને પ્રકૃતિ પ્રેમીઓએ એનસીસીની આ સમગ્ર પ્રવૃત્તિને આવકારી હતી.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *