NCC નેવલ યુનિટ નવસારી દ્વારા પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે “મિશન લાઈફ સ્ટાઈલ” ની ઉજવણી કરવામાં આવી

NCC નેવલ યુનિટ નવસારી દ્વારા પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે “મિશન લાઈફ સ્ટાઈલ” ની ઉજવણી કરવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26મી યુએન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ (COP26)માં મિશન લાઇફનો વિશ્વને પરિચય કરાવ્યો.”મિશન લાઇફ એ પર્યાવરણીય સભાન જીવનશૈલીનું સામૂહિક ચળવળ બની શકે છે. આજે જેની જરૂર છે તે માઇન્ડફુલ અને ડિસ્ટ્રેક્ટિવ કન્ઝમ્પશનને બદલે માઇન્ડફુલ અને ઇરાદાપૂર્વક ઉપયોગ કરવાની છે.”

મિશન લાઈફ સ્ટાઈલ ની ઉજવણીના ભાગરૂપે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ દમણ અને બી કે એમ સાયન્સ કોલેજ વલસાડ અને નવસારી જિલ્લાની સરકારી શાળા કોલેજો ના એનસીસી નેવી ક્રેડિટ દ્વારા દરિયા કિનારાની સફાઈ કરવામાં આવી પૃથ્વીને અનુકૂળ એવા જળાશયો સ્વચ્છ રાખવા માટે પ્રતિજ્ઞા કરવામાં આવી.એનસીસી ગ્રુપ હેડ કવોટર વડોદરાના નેજા હેઠળ 9 ગુજરાત એન સી સી નેવલ યુનિટ નવસારી દ્વારા મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જુદી જુદી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી સમગ્ર વિશ્વ જ્યારે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ ની ઉજવણી કરે છે ત્યારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન મુજબ પ્રત્યેક નાગરિક મિશન લાઇફની પ્રતિજ્ઞા લે અને પર્યાવરણને અનુકૂળ પોતાની જીવનશૈલી અપનાવે તે માટે શેરી નાટક ,ડિબેટ, જનજાગૃતિ રેલી,નિબંધ લેખન ,પોસ્ટર વગેરે દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

9 ગુજરાત એન સી સી નેવલ યુનિટ નવસારીના કમાન્ડિંગ ઓફિસર અમિત નૈન દ્વારા પીઆઇ સ્ટાફ મનીષકુમાર અને એનસીસી કેડેટને જનજાગૃતિ પ્રવૃત્તિ માટે અભિનંદન આપી આ પ્રવૃત્તિ પાંચમી જૂન સુધી સતત કાર્યરત રહેશે તેવું જણાવ્યું હતું. નવસારી ,દમણ અને આજુબાજુના સામાજિક કાર્યકરો અને પ્રકૃતિ પ્રેમીઓએ એનસીસીની આ સમગ્ર પ્રવૃત્તિને આવકારી હતી.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *