ગુજરાત દરિયા કિનારે બિપરજોય વાવાઝોડુ ત્રાટકવાની સંભાવનાઓ પગલે નવસારી જિલ્લા વહિવટીતંત્ર અગમચેતી ભાગરૂપે તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ

ગુજરાત દરિયા કિનારે બિપરજોય વાવાઝોડુ ત્રાટકવાની સંભાવનાઓ પગલે નવસારી જિલ્લા વહિવટીતંત્ર અગમચેતી ભાગરૂપે તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ

ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું સંકટ ઊભું થયું છે. હવામાન વિભાગે આગામી 12 કલાકમાં વાવાઝોડું સક્રિય બનવાની સંભાવના વ્યક્ત કરી છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડું સક્રિય થઈ ચૂક્યું છે. આજે બપોર બાદ વાવાઝોડું ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થશે. અત્યારે વાવાઝોડું પોરબંદરથી માત્ર 110 કિલોમીટર દૂર છે. સાવચેતીના ભાગરૂપે તમામ બંદર પર હાઈએલર્ટ જાહેર કરી દેવાયું છે.

ગુજરાતમાં આવશે ભારે વરસાદ

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની તાકાત હજુ ભુલાઈ નથી ત્યારે બિપરજોયથી લોકોમાં ફરી ભય પેદા થયો છે. ગુજરાતના દરિયાકાંઠાથી 1120 કિલોમીટર દૂર દરિયામાં લો પ્રેશર સિસ્ટમને કારણે વાવાઝોડાના સંજોગો સર્જાયા છે. આ વાવાઝોડાને બાંગ્લાદેશે ‘બિપરજોય’ નામ આપ્યું છે, જેનો અર્થ ‘આફત’ થાય છે. દરમિયાન વાવાઝોડાની શક્યતાને ધ્યાનમાં રાખીને ગુજરાતનાં તમામ બંદરને કાંઠે બે નંબરનું સિગ્નલ ફરકાવી દેવાયું છે. 9મી અને 10મી જૂને ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો આ વાવાઝોડું કાંઠે અથડાશે તો ભારે વરસાદ પડશે. વાવાઝોડું 12-13 જૂન સુધીમાં ઓમાન તરફ ફંટાય એવી પણ શક્યતા છે. વાવાઝોડાની અસર 15 જૂન સુધી રહેશે. જેના કારણે ચોમાસું મોડું પડશે.

નવસારી જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ :

હવામાન વિભાગ ની આગાહીના પગલે નવસારી જિલ્લાને બાવન કિલોમીટર દરિયા કિનારો આવેલ હોવા પગલે વહિવટીતંત્ર બિપરજોય વાવાઝોડા ત્રાટકવાની સંભાવના પગલે આગમચેતી ભાગરૂપે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. બાવન કિલોમીટર દરિયા કિનારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

દરિયા કિનારે ફરવા આવતા સહેલાણીઓ તેમજ દરિયા કિનારે રહેતા લોકોએ કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે. તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સુચના અપાઈ છે. આ બિપરજોય વાવાઝોડા ઉપર વહિવટીતંત્ર ટીમ ધ્વારા સતત મોનીટરીંગ પણ કરાઈ રહ્યું છે.

માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના:

 

 

આવતી કાલે વાવાઝોડું તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની શક્યતા હવામાન વિભાગે કરી છે. તેના પગલે ગુજરાતનાં પોરબંદર અને જાફરાબાદ સહિતનાં બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. નવસારી જિલ્લાના ઓજલ માછીવાડ,દાંડી, બીલીમોરા ના માછીવાડ,ધોલાઈ સહિત અન્ય દરિયા કિનારે ગામે થી   માછીમારો (ખલાસીઓ) ને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

માછીમારી કરવા ગયેલા તમામ લોકોને પરત બોલાવવાની પણ સુચના અપાઈ ગઈ છે. વાવાઝોડાને કારણે અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.

 

 

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *