ભારતીય જનતા પાર્ટી ના જન સંપર્ક અભિયાન અંતર્ગત માજી કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધનએ નવસારીની મુલાકાત લીધી

ભારતીય જનતા પાર્ટી ના જન સંપર્ક અભિયાન અંતર્ગત માજી કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધનએ નવસારીની મુલાકાત લીધી

હાલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થતા વિશેષ જન સંપર્ક અભિયાન નો આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે નવસારી ખાતે માજી કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનજી નવસારીની મુલાકાતે આવ્યા હતા નવસારી કમલમ ખાતે નવસારી જિલ્લા ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલી પાંખ ના સભ્યો સાથે બેઠક કરી હતી.

ત્યારબાદ તેઓએ પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્ર સરકારના છેલ્લા નવ વર્ષના વિવિધ ઉપયોગી કાર્યો ની માહિતી આપી હતી . કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન એ 2014 થી 2023 સુધી ભાજપ એ જનકલ્યાણમાં જે ભાગીદારી નોંધાવી છે તેના વિશે વાત કરી હતી. કોરોના કાળમાં દેશને આફતથી બચાવવા કયા કયા સકારાત્મક નિર્ણયો થયા નિશુલ્ક વેક્સિન ની વહેંચણી જેવા અલગ અલગ મુદ્દા ઉપર પત્રકાર પરિષદ માં વિકાસના મુદ્દાને કેન્દ્રમાં રાખ્યો હતો.

ડો.હર્ષવર્ધને જણાવ્યું હતું કે એક સમયે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ ઘોષણા કરી હતી કે દિલ્હીથી નીકળતો એક રૂપિયો સામાન્ય જનના હાથમાં પહોંચતા પૈસામાં પરિણામે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન ધન ખાતા દ્વારા લાભાર્થીઓના ખાતામાં સીધા જ પૈસા નાખી સાચા અર્થમાં સેવા કરી છે.

ત્યારબાદ તેમણે સુવર્ણાકાર આહીર સમાજ ની વાડી ખાતે લાભાર્થી સંમેલનમાં ભાગ લીધો હતો આ ઉપરાંત અગ્રવાલ કોલેજ અને દાંડી સ્મારકની પણ મુલાકાત લીધી હતી એમની સાથે બિહારના ધારાસભ્ય સંજય સારંગીજી પણ હાજર રહ્યા હતા આ ઉપરાંત નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાભાઈ શાહ પ્રદેશ મંત્રી શીતલબેન સોની,ધારાસભ્યો આર.સી પટેલ નરેશભાઈ પટેલ રાકેશભાઈ દેસાઈ સહિતના આગેવાનોને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *