ભારતીય જનતા પાર્ટી ના જન સંપર્ક અભિયાન અંતર્ગત માજી કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધનએ નવસારીની મુલાકાત લીધી

ભારતીય જનતા પાર્ટી ના જન સંપર્ક અભિયાન અંતર્ગત માજી કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધનએ નવસારીની મુલાકાત લીધી

હાલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થતા વિશેષ જન સંપર્ક અભિયાન નો આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે નવસારી ખાતે માજી કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનજી નવસારીની મુલાકાતે આવ્યા હતા નવસારી કમલમ ખાતે નવસારી જિલ્લા ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલી પાંખ ના સભ્યો સાથે બેઠક કરી હતી.

ત્યારબાદ તેઓએ પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્ર સરકારના છેલ્લા નવ વર્ષના વિવિધ ઉપયોગી કાર્યો ની માહિતી આપી હતી . કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન એ 2014 થી 2023 સુધી ભાજપ એ જનકલ્યાણમાં જે ભાગીદારી નોંધાવી છે તેના વિશે વાત કરી હતી. કોરોના કાળમાં દેશને આફતથી બચાવવા કયા કયા સકારાત્મક નિર્ણયો થયા નિશુલ્ક વેક્સિન ની વહેંચણી જેવા અલગ અલગ મુદ્દા ઉપર પત્રકાર પરિષદ માં વિકાસના મુદ્દાને કેન્દ્રમાં રાખ્યો હતો.

ડો.હર્ષવર્ધને જણાવ્યું હતું કે એક સમયે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ ઘોષણા કરી હતી કે દિલ્હીથી નીકળતો એક રૂપિયો સામાન્ય જનના હાથમાં પહોંચતા પૈસામાં પરિણામે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન ધન ખાતા દ્વારા લાભાર્થીઓના ખાતામાં સીધા જ પૈસા નાખી સાચા અર્થમાં સેવા કરી છે.

ત્યારબાદ તેમણે સુવર્ણાકાર આહીર સમાજ ની વાડી ખાતે લાભાર્થી સંમેલનમાં ભાગ લીધો હતો આ ઉપરાંત અગ્રવાલ કોલેજ અને દાંડી સ્મારકની પણ મુલાકાત લીધી હતી એમની સાથે બિહારના ધારાસભ્ય સંજય સારંગીજી પણ હાજર રહ્યા હતા આ ઉપરાંત નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાભાઈ શાહ પ્રદેશ મંત્રી શીતલબેન સોની,ધારાસભ્યો આર.સી પટેલ નરેશભાઈ પટેલ રાકેશભાઈ દેસાઈ સહિતના આગેવાનોને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *