ગુજરાતની શાળાઓમાં હવે દર બીજા-ચોથા શનિવારે પણ શું રજા મળશે? જુઓ કોણે સરકાર સામે માંગ ઉઠાવી દીધી 

ગુજરાતની શાળાઓમાં હવે દર બીજા-ચોથા શનિવારે પણ શું રજા મળશે? જુઓ કોણે સરકાર સામે માંગ ઉઠાવી દીધી 

મહિનાના બીજા અને ચોથા શનિવારે સરકારી ઓફિસોની માફક રાજ્યની શાળાઓમાં પણ રજાની માગ ઉઠી છે.ફરી એક વખત રાજ્યના શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેઓએ પત્રમાં જણાવ્યું કે મહિનામાં બે શનિવારે પણ સ્કૂલમાં રજા આપવામાં આવશે.જેમ બેંક અને અન્ય સરકારી કચેરીઓમાં બીજા અને ચોથા શનિવારે રજા હોય છે તેવી રીતે શાળાઓમાં પણ શનિવાર અને રવિવારે એમ બે દિવસ રજા રાખવામાં આવે.

રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને આ વાત કરી છે. આ માગણી કરવા પાછળનો ઉદ્દેશ્ય એવો છે કે વાલીઓ, વિદ્યાર્થીઓને સળંગ બે દિવસની રજા મળી શકે. તો શિક્ષકો પણ ઘર-પરિવારમાં સમય ફાળવી શકે તેવો હોવાનું જણાઈ રહ્યું છે.

 

પહેલા અને ત્રીજા શનિવારે 8 વિષયો રાખવામાં

મુખ્યમંત્રીને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું કે શનિવારે મહત્વના વિષયો પર શિક્ષણકાર્ય ઓછું થતું હોય છે. તો શનિવારે માત્ર પાંચ વિષયો જ ભણાવવામાં આવે છે. આમ પહેલા અને ત્રીજા શનિવારે સામાન્ય દિવસની જેમ શિક્ષણકાર્ય ચાલુ રહે અને બીજા અને ચોથા શનિવારે સંપૂર્ણ રજા જાહેર કરવામાં આવે. જો બે દિવસની રજા હોય તો સ્કૂલોમાં વીજળીનો વપરાશ ઓછો થશે અને સ્કૂલોમાં સમારકામ, સાફ-સફાઇ સહિતની અન્ય શાળા કામગીરી કરી શકાય અમે છે.

સળંગ બે દિવસ રજા મળવાથી વાલીઓ બાળકોને તેમજ પરિવારમાં સમય આપી શકશે

મુખ્યમંત્રીને લખવામાં આવેલા પત્રને લઇને હાલ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ આગામી દિવસોમાં આ બાબતે નિર્ણય લેવાઇ શકે છે. રાજ્ય શાળા સંચાલક મંડળે લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું કે કેન્દ્ર અને રાજ્યની અન્ય સરકારી કચેરીઓમાં બીજા અને ચોથા શનિવારે રજા હોય છે, તે રીતે શાળાઓને પણ રજા આપવા આ પત્રમાં જણાવ્યું છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *