ગુજરાતની શાળાઓમાં હવે દર બીજા-ચોથા શનિવારે પણ શું રજા મળશે? જુઓ કોણે સરકાર સામે માંગ ઉઠાવી દીધી 

ગુજરાતની શાળાઓમાં હવે દર બીજા-ચોથા શનિવારે પણ શું રજા મળશે? જુઓ કોણે સરકાર સામે માંગ ઉઠાવી દીધી 

મહિનાના બીજા અને ચોથા શનિવારે સરકારી ઓફિસોની માફક રાજ્યની શાળાઓમાં પણ રજાની માગ ઉઠી છે.ફરી એક વખત રાજ્યના શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેઓએ પત્રમાં જણાવ્યું કે મહિનામાં બે શનિવારે પણ સ્કૂલમાં રજા આપવામાં આવશે.જેમ બેંક અને અન્ય સરકારી કચેરીઓમાં બીજા અને ચોથા શનિવારે રજા હોય છે તેવી રીતે શાળાઓમાં પણ શનિવાર અને રવિવારે એમ બે દિવસ રજા રાખવામાં આવે.

રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને આ વાત કરી છે. આ માગણી કરવા પાછળનો ઉદ્દેશ્ય એવો છે કે વાલીઓ, વિદ્યાર્થીઓને સળંગ બે દિવસની રજા મળી શકે. તો શિક્ષકો પણ ઘર-પરિવારમાં સમય ફાળવી શકે તેવો હોવાનું જણાઈ રહ્યું છે.

 

પહેલા અને ત્રીજા શનિવારે 8 વિષયો રાખવામાં

મુખ્યમંત્રીને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું કે શનિવારે મહત્વના વિષયો પર શિક્ષણકાર્ય ઓછું થતું હોય છે. તો શનિવારે માત્ર પાંચ વિષયો જ ભણાવવામાં આવે છે. આમ પહેલા અને ત્રીજા શનિવારે સામાન્ય દિવસની જેમ શિક્ષણકાર્ય ચાલુ રહે અને બીજા અને ચોથા શનિવારે સંપૂર્ણ રજા જાહેર કરવામાં આવે. જો બે દિવસની રજા હોય તો સ્કૂલોમાં વીજળીનો વપરાશ ઓછો થશે અને સ્કૂલોમાં સમારકામ, સાફ-સફાઇ સહિતની અન્ય શાળા કામગીરી કરી શકાય અમે છે.

સળંગ બે દિવસ રજા મળવાથી વાલીઓ બાળકોને તેમજ પરિવારમાં સમય આપી શકશે

મુખ્યમંત્રીને લખવામાં આવેલા પત્રને લઇને હાલ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ આગામી દિવસોમાં આ બાબતે નિર્ણય લેવાઇ શકે છે. રાજ્ય શાળા સંચાલક મંડળે લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું કે કેન્દ્ર અને રાજ્યની અન્ય સરકારી કચેરીઓમાં બીજા અને ચોથા શનિવારે રજા હોય છે, તે રીતે શાળાઓને પણ રજા આપવા આ પત્રમાં જણાવ્યું છે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *