ગુજરાતની શાળાઓમાં હવે દર બીજા-ચોથા શનિવારે પણ શું રજા મળશે? જુઓ કોણે સરકાર સામે માંગ ઉઠાવી દીધી 

ગુજરાતની શાળાઓમાં હવે દર બીજા-ચોથા શનિવારે પણ શું રજા મળશે? જુઓ કોણે સરકાર સામે માંગ ઉઠાવી દીધી 

મહિનાના બીજા અને ચોથા શનિવારે સરકારી ઓફિસોની માફક રાજ્યની શાળાઓમાં પણ રજાની માગ ઉઠી છે.ફરી એક વખત રાજ્યના શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેઓએ પત્રમાં જણાવ્યું કે મહિનામાં બે શનિવારે પણ સ્કૂલમાં રજા આપવામાં આવશે.જેમ બેંક અને અન્ય સરકારી કચેરીઓમાં બીજા અને ચોથા શનિવારે રજા હોય છે તેવી રીતે શાળાઓમાં પણ શનિવાર અને રવિવારે એમ બે દિવસ રજા રાખવામાં આવે.

રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને આ વાત કરી છે. આ માગણી કરવા પાછળનો ઉદ્દેશ્ય એવો છે કે વાલીઓ, વિદ્યાર્થીઓને સળંગ બે દિવસની રજા મળી શકે. તો શિક્ષકો પણ ઘર-પરિવારમાં સમય ફાળવી શકે તેવો હોવાનું જણાઈ રહ્યું છે.

 

પહેલા અને ત્રીજા શનિવારે 8 વિષયો રાખવામાં

મુખ્યમંત્રીને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું કે શનિવારે મહત્વના વિષયો પર શિક્ષણકાર્ય ઓછું થતું હોય છે. તો શનિવારે માત્ર પાંચ વિષયો જ ભણાવવામાં આવે છે. આમ પહેલા અને ત્રીજા શનિવારે સામાન્ય દિવસની જેમ શિક્ષણકાર્ય ચાલુ રહે અને બીજા અને ચોથા શનિવારે સંપૂર્ણ રજા જાહેર કરવામાં આવે. જો બે દિવસની રજા હોય તો સ્કૂલોમાં વીજળીનો વપરાશ ઓછો થશે અને સ્કૂલોમાં સમારકામ, સાફ-સફાઇ સહિતની અન્ય શાળા કામગીરી કરી શકાય અમે છે.

સળંગ બે દિવસ રજા મળવાથી વાલીઓ બાળકોને તેમજ પરિવારમાં સમય આપી શકશે

મુખ્યમંત્રીને લખવામાં આવેલા પત્રને લઇને હાલ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ આગામી દિવસોમાં આ બાબતે નિર્ણય લેવાઇ શકે છે. રાજ્ય શાળા સંચાલક મંડળે લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું કે કેન્દ્ર અને રાજ્યની અન્ય સરકારી કચેરીઓમાં બીજા અને ચોથા શનિવારે રજા હોય છે, તે રીતે શાળાઓને પણ રજા આપવા આ પત્રમાં જણાવ્યું છે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *