મંદિર ગામ પાસે ગરનાળામાં કાર ડૂબી ચાર લોકોને બચાવાયા

મંદિર ગામ પાસે ગરનાળામાં કાર ડૂબી ચાર લોકોને બચાવાયા

ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જે પૈકી મંદિર ગામ પાસેનું ગરનાળું પણ પાણીથી ભરાઈ ગયું છે. જેમાં વહેલી સવારે એક કાર ડૂબી ગઈ હતી.જેમાં ફસાયેલા 4 જણનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.

નવસારી જિલ્લામાં અતિ ભારે વરસાદને પગલે તમામ લોકમાતા નદી ગાડીતુર બની છે ત્યારે નવસારી જિલ્લા સહિત તાલુકામાં ધોધમાર વરસાદને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે વહેલી સવારે મંદિર ખાતે એક ગરનાળામાં ભરાયેલા પાણીમાં એક કાર ડૂબવાની ઘટના પણ સામે આવી હતી. કારમાં સવાર તમામ લોકોને ફાયર બ્રિગેડ ધ્વારા બચાવકાર્ય હાથધરી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

ભારે વરસાદના કારણે નવસારી શહેરની નજીક આવેલ મંદિર ગામ પાસે આવેલા ગરનાળામાં પાણી ભરાઈ ગયું હતું.ત્યારે એક કાર આ ગરનાળામાં ડૂબી ગઈ હતી. જેને લઈને સવારે નવસારી વિજલપુર નગરપાલિકાની ફાયર વિભાગને આ બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. જેથી ઈમરજન્સી કોલ મળતાની સાથે જ નવસારી વિજલપુર નગરપાલિકાના ફાયર વિભાગના ફાયર ફાઈટર સાથે તાત્કાલિક ગરનાળા પાસે પહોંચી ગયા હતા અને તમામ ચાર લોકોનું બચાવકાર્ય શરૂ કર્યું હતું.

ફાયર વિભાગે ભારે જહેમત બાદ પાણીમાં ડૂબેલી કારમાં રહેલી બે મહિલા અને બે વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા. આ દિલધડક બચાવકાર્ય બાદ મહિલાઓ અને વિદ્યાર્થીઓએ ફાયર વિભાગની ટીમનો આભાર માન્યો હતો. આમ,નવસારી વિજલપુર નગરપાલિકાના ફાયર વિભાગના જવાનો હરહંમેશ કોઈપણ કુદરતી આપત્તિઓ સેવા બજાવવા તૈયાર રહે છે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *