મમતા મંદિર વિજલપોર નવસારી ખાતે દિવ્યાંગ બાળકોએ ૭૭માં સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

મમતા મંદિર વિજલપોર નવસારી ખાતે દિવ્યાંગ બાળકોએ ૭૭માં સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

માનવ કલ્યાણ ટ્રસ્ટ વિજલપોર નવસારી સંચાલિત દિવ્યાંગ બાળકો માટેની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આઝાદીના અમૃત મહોત્સવ પર્વે 15મી ઓગષ્ટ ૭૭માં સ્વાતંત્ર્ય દિન નિમિતે મહેશભાઇ બી.પટેલ (સમાજસેવી)ના વરદહસ્તે રાષ્ટ્રધ્વજ વંદના કાર્યકમ યોજવામાં આવ્યો.

મમતા મંદિરના ૬૦૦ જેટલા મૂક-બધિર તેમજ મનોદિવ્યાંગ બાળકો તેમજ શાળાના ભુતપૂર્વ મૂક-બધિર વિધાર્થીઓએ “Sing Language” માં ખૂબ ઉત્સાહ-ઉમંગથી રાષ્ટ્રગીત ગાઈ શહીદોના જયજયકાર કર્યા. ધ્વજ વંદના બાદ શાળાના મૂક-બધિર બાળકોએ રાષ્ટ્રભાવના વ્યક્ત કરતી સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી. મુખ્ય મહેમાન  મહેશભાઇએ શૌર્ય, બલિદાન અને રાષ્ટ્રપ્રેમની ગાથાના રાષ્ટ્રભક્તિ ના ગીતો ગાઈ પરિસરને રાષ્ટ્રભાવનાથી ગુંજતું કર્યું હતું.

યુ.કે ઇંગ્લેંડથી ખાસ પધારેલ અને આજ સંસ્થાના મૂક-બધિર ભૂતપૂર્વ વિધાર્થી અબ્દુલજીએ મુકબધિર દિવ્યાંગ બાળકોને રમત-ગમત કીટ તથા નોટબુકો ભેટ આપી હતી.આજના પર્વ નિમિતે મુક-બધિર ભૂતપૂર્વ વિધાર્થીઓનું એક સ્નેહ મિલન પણ શાળા
ખાતે થયું હતું.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *