એકતાનગર ટેન્ટ સિટી-૧ ખાતે બે દિવસીય “ભારતીય ભાષા સંગમ” શિબિર યોજાશે

એકતાનગર ટેન્ટ સિટી-૧ ખાતે બે દિવસીય “ભારતીય ભાષા સંગમ” શિબિર યોજાશે

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ નવી દિલ્હી અને SOU ના સંયુક્ત ઉપક્રમે ૧૮-૧૯ ઓગષ્ટે ભાષા સંગમ યોજાશે

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે તા.૧૮ અને ૧૯ ઓગષ્ટ,૨૦૨૩ના રોજ ભારતીય ભાષા સંગમ શિબિર યોજાશે. ટેન્ટસિટી-૧ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ- નવી દિલ્હી તથા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે યોજાનારા બે દિવસીય ભારતીય ભાષા સંગમ શિબિરને આજે ખુલ્લી મૂકવામાં આવશે. બે દિવસ દરમિયાન વિવિધ વિષયોને કેન્દ્રમાં રાખીને ભાષા નિષ્ણાંતોની ઉપસ્થિતિમાં ગહન ચિંતન-ચર્ચાઓ વર્તમાન સમયની સ્થિતિ અને ચુનૌતી ભૂમિકા અંગે સત્ર દરમિયાન ભાષા અંગે આદાન પ્રદાન કરવામાં આવશે.

વિવિધતામાં એકતાના દર્શન કરાવતી પ્રાદેશિક અને માતૃભાષા જ્ઞાન વિજ્ઞાનને જોડવાનું કામ કરે છે. ભાષાના માધ્યમ થકી વહીવટમાં સરળતા અને લોકોને સમજણમાં ઉપયોગી બને છે. તે માટે ભારતના વિવિધ રાજ્યોની ભાષાનું એક પ્રદર્શન પણ આ કાર્યક્રમ સ્થળે રાખવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાં પણ પ્રાદેશિક ભાષાઓને મહત્વ આપીને મેડીકલ – એન્જિનિયરીંગ અભ્યાસમાં પણ માતૃભાષામાં અભ્યાસક્રમને પ્રાધાન્ય આપવાની વાત કહેવામાં આવી છે. એકતાનગર ખાતેના આ સેમિનારથી ભાષાને પ્રેરક બળ મળશે અને વિચાર- વિમર્શ- મંથન થકી ભાષાને અભ્યાસક્રમમાં મૂર્તિમંત થવાનો અવકાશ મોકળો બનશે. વિવિધ રાજ્યોમાંથી આવનારા મહાનુભાવો આ બે દિવસીય સેમિનારમાં ભાગ લેશે અને પોતાના વિચારો વ્યક્ત કરશે. જેમાં ગુજરાતી, સંસ્કૃત, મરાઠી, હિન્દી, કન્નડ જેવી મહત્વની ભાષાઓ થકી સાહિત્ય ક્ષેત્રે ખેડાણ કરવામાં આવ્યું છે તેની પણ ઝાંખી પ્રસ્તુત કરવામાં આવશે.

પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત સાહિત્યકારો અને પ્રખર વિદ્વાન આ સેમિનારમાં ભાગ લઈને ભાષા પ્રત્યેના પ્રેમને ઉજાગર કરશે, અંગ્રેજીનો વિરોધ નહીં પણ અવેજી ભાષા તરીકેના દ્વાર તરીકે જ્ઞાન મેળવવામાં ખુલ્લા રહેશે અને માતૃભાષા વહીવટમાં પત્રાચારમાં આમ જનતાને ઉપયોગી સાબિત થશે.

આ શિબિરમાં પ્રથમ દિવસે ભારતીય ભાષાઓની એકાત્મતા અને એક ભારત શ્રેષ્ઠ ભારતમાં ભાષાઓની ભૂમિકા, ભારતીય ભાષાઓની એકાત્મતાના આધારસ્રોત, શિક્ષણ સંશોધન અને ભારતીય ભાષાઓ, શાસન-પ્રશાસન અને ભારતીય ભાષાઓ, સ્પર્ધાત્મક પરીક્ષા-રોજગારમાં ભારતીય ભાષાઓ, વેપાર-વ્યવસાય અને નાણાકીય ક્ષેત્રમાં ભારતીય ભાષાઓ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ભારતીય ભાષાઓ, કાયદો અને ન્યાય ક્ષેત્રમાં ભારતીય ભાષાઓ બાબતોને કેન્દ્રમાં રાખીને ચર્ચાઓ કરવામાં આવશે.

તેના બીજા સત્રમાં ભારતીય ભાષાઓની વર્તમાન સ્થિતિ અને પડકારો તેમજ ભાષા સંસ્થાનો અને અકાદમીઓની ભૂમિકા અંગે પણ વિચારો પ્રસ્તુત કરવામાં આવશે. બીજા દિવસે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦માં ભાષા સંબંધી જોગવાઈઓ અને તેની અમલવારીના સંદર્ભમાં શિક્ષણ મંત્રીશ્રીઓ સાથે પરિસંવાદ યોજાશે.

એકતાનગર ખાતેની આ બે દિવસીય શિબિરમાં ગોવાના રાજ્યપાલ પી. એસ. શ્રીધરન પિલ્લઈ, રાજ્યસભાના સાંસદ ડો. અશોક બાજપેયી, ગુજરાતના યુવા,ખેલ અને સાંસ્કૃતિક મંત્રાલયના મુખ્ય સચિવ અશ્વિનીકુમાર(IAS), શિક્ષા-સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના રાષ્ટ્રીય સચિવ ડો. અતુલ કોઠારી, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્‍હા, ગુજરાત સાહિત્ય અકાદમીના મહાસચિવ ડો. જયેન્દ્રસિંહ જાદવ સહિત ભાષા-સાહિત્ય જગતની અનેક હસ્તીઓ ઉપસ્થિત રહેશે. મુખ્ય ભાષણ પદ્મભૂષણ પ્રો. કપિલ કપૂરજી આપશે અને ભાષા અંગે સમૂહ ચિંતન મનન કરશે. આ સંગમમાં ભારતની ૨૨ બંધારણીય ભારતીય ભાષાઓના સંરક્ષણ અને સંવર્ધનની આગામી સમયની રણનીતિ –રોડમેપ તૈયાર કરવામાં આવશે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *