નવસારીના ગણેશસિસોદ્રા ખાતે આવેલું ઐતિહાસિક ગણેશવડ મંદિર:સદીઓ જૂના વડના થડમાં શ્રી ગણેશજી પ્રતિકૃતિ રૂપે છે

નવસારીના ગણેશસિસોદ્રા ખાતે આવેલું ઐતિહાસિક ગણેશવડ મંદિર:સદીઓ જૂના વડના થડમાં શ્રી ગણેશજી પ્રતિકૃતિ રૂપે છે

  • Travel
  • September 20, 2023
  • No Comment

જયારે ગણપતિ બાપા મોરીયાના જય જયકાર વચ્ચે ગણેશ ઉત્સવની ઉમંગભેર ઉત્સાહથી ઉજવણી સમગ્ર ભારત દેશમાં થઇ રહી છે ત્યારે નવસારી જિલ્લાના ગણેશ સિસોદ્રા ગામે આવેલું ઐતિહાસિક ગણેશવડ મંદિર પણ ભાવિ ભકતો માટે ખૂબ જ મહાત્મ્ય અને શ્રધ્ધાનું કેન્દ્ર ગણાંય છે.

આ મંદિર આમ તો સદીઓ જૂના વડના થડમાં ગણેશજી પ્રતિકૃતિ રૂપે છે. આ પ્રતિકૃતિને લોકો ખૂબ જ શ્રધ્ધા અને વિશ્વાસથી પૂજા-અર્ચના કરે છે. વિશેષતઃ ગણેશ ઉત્સવ દરમિયાન આ ગણેશવડનું ધાર્મિક મહત્વ અનેકગણું વધી જાય છે.

આ ગણેશવડ નવસારીથી આશરે સાતેક કિલોમીટર દૂર મહુવા રોડ ઉપર આવેલું છે. ઇતિહાસના પાને અને લોકવાયકા પ્રમાણે, જયારે મોગલ સમ્રાટ ઔરંગઝેબે ગણેશવડ મંદિરનો નાશ કરવા માટે સિપાહીઓને મોકલ્યા હતાં, ત્યારે ગણેશવડમાંથી ઝેરી ભમરાઓ નીકળીને સિપાહીઓને કરડતાં ડરના માર્યા સિપાહીઓ ભાગી ગયા હતાં. આ વાતની જાણ મોગલ સમ્રાટને થતા તેણે મંદિરના નાશ કરવાનો વિચાર પડતો મૂકયો હતો.તેઓને ગણપતિજી સાક્ષાત બિરાજમાન છે તેવો અનુભવ પ્રાપ્ત થયો હતો.

 

ગણેશવડ ખાતે આજે પણ મંદિરની સ્થાપનામાં અને તેની તરફેણમાં રસ લઇ કરેલા હુકમોની બાદશાહની હસ્તલિખિત ઉર્દુ ફારસીની પ્રતો આજે પણ આ મંદિરમાં સચવાયેલી છે અને મંદિર સામે સદીઓ પુરાણો ગણેશવડ હજીપણ અડીખમ ઉભો છે. ગણેશવડની બાજુમાં શિવ-પાર્વતી અને ગણેશજી આધુનિક મંદિર પણ છે. ગણેશચતુર્થીના ઉત્સવ દરમિયાન નવસારી તેમજ આજુબાજુના ભાવિક ભકતો મોટી સંખ્યામાં દર્શાનાર્થે આવે છે. અહી આવતા શ્રધ્ધાળુઓની મનોકામના ગણેશજી પૂરી કરે છે.

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *