નવસારીના ગણેશસિસોદ્રા ખાતે આવેલું ઐતિહાસિક ગણેશવડ મંદિર:સદીઓ જૂના વડના થડમાં શ્રી ગણેશજી પ્રતિકૃતિ રૂપે છે

નવસારીના ગણેશસિસોદ્રા ખાતે આવેલું ઐતિહાસિક ગણેશવડ મંદિર:સદીઓ જૂના વડના થડમાં શ્રી ગણેશજી પ્રતિકૃતિ રૂપે છે

  • Travel
  • September 20, 2023
  • No Comment

જયારે ગણપતિ બાપા મોરીયાના જય જયકાર વચ્ચે ગણેશ ઉત્સવની ઉમંગભેર ઉત્સાહથી ઉજવણી સમગ્ર ભારત દેશમાં થઇ રહી છે ત્યારે નવસારી જિલ્લાના ગણેશ સિસોદ્રા ગામે આવેલું ઐતિહાસિક ગણેશવડ મંદિર પણ ભાવિ ભકતો માટે ખૂબ જ મહાત્મ્ય અને શ્રધ્ધાનું કેન્દ્ર ગણાંય છે.

આ મંદિર આમ તો સદીઓ જૂના વડના થડમાં ગણેશજી પ્રતિકૃતિ રૂપે છે. આ પ્રતિકૃતિને લોકો ખૂબ જ શ્રધ્ધા અને વિશ્વાસથી પૂજા-અર્ચના કરે છે. વિશેષતઃ ગણેશ ઉત્સવ દરમિયાન આ ગણેશવડનું ધાર્મિક મહત્વ અનેકગણું વધી જાય છે.

આ ગણેશવડ નવસારીથી આશરે સાતેક કિલોમીટર દૂર મહુવા રોડ ઉપર આવેલું છે. ઇતિહાસના પાને અને લોકવાયકા પ્રમાણે, જયારે મોગલ સમ્રાટ ઔરંગઝેબે ગણેશવડ મંદિરનો નાશ કરવા માટે સિપાહીઓને મોકલ્યા હતાં, ત્યારે ગણેશવડમાંથી ઝેરી ભમરાઓ નીકળીને સિપાહીઓને કરડતાં ડરના માર્યા સિપાહીઓ ભાગી ગયા હતાં. આ વાતની જાણ મોગલ સમ્રાટને થતા તેણે મંદિરના નાશ કરવાનો વિચાર પડતો મૂકયો હતો.તેઓને ગણપતિજી સાક્ષાત બિરાજમાન છે તેવો અનુભવ પ્રાપ્ત થયો હતો.

 

ગણેશવડ ખાતે આજે પણ મંદિરની સ્થાપનામાં અને તેની તરફેણમાં રસ લઇ કરેલા હુકમોની બાદશાહની હસ્તલિખિત ઉર્દુ ફારસીની પ્રતો આજે પણ આ મંદિરમાં સચવાયેલી છે અને મંદિર સામે સદીઓ પુરાણો ગણેશવડ હજીપણ અડીખમ ઉભો છે. ગણેશવડની બાજુમાં શિવ-પાર્વતી અને ગણેશજી આધુનિક મંદિર પણ છે. ગણેશચતુર્થીના ઉત્સવ દરમિયાન નવસારી તેમજ આજુબાજુના ભાવિક ભકતો મોટી સંખ્યામાં દર્શાનાર્થે આવે છે. અહી આવતા શ્રધ્ધાળુઓની મનોકામના ગણેશજી પૂરી કરે છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *