શેરડીનાં પાકમાં સફેદમાખીનું નિયંત્રણ માટે ખેડૂતો કયો ઉપાઈ કરી તેના ઉપર નિયંત્રણ લાવી શકાય: કૃષિ યુનિવર્સિટી નવસારી 

શેરડીનાં પાકમાં સફેદમાખીનું નિયંત્રણ માટે ખેડૂતો કયો ઉપાઈ કરી તેના ઉપર નિયંત્રણ લાવી શકાય: કૃષિ યુનિવર્સિટી નવસારી 

ચાલુ વર્ષમાં દક્ષિણ ગુજરાતમાં સપ્ટેમ્બર માસમાં શેરડીના પાકમાં સફેદમાખીનો છૂટોછવાયો ઉપદ્રવ જણાયેલ છે. સફેદમાખીના બચ્ચા ફિક્કા પીળા રંગના લંબગોળ આકારના ચપટા હોય છે અને તેની ફરતે મીણ જેવા પદાર્થની સફેદ કિનારી જોવા મળે છે. પુખ્ત કિટક ખુબ જ ચપળ હોઈ સહેજ ખલેલ થતા ઉડી જાય છે. માદા કિટકને સોય જેવું પાતળું અંડનિક્ષેપક હોય છે તેના વડે તે શેરડીના ટોચનાં પાન પર હારબંધ મલાઈ રંગના ઈંડા મુકે છે. જે થોડા સમય પછી કાળાશ પડતો ચળકતો રંગ ધારણ કરે છે. નુકશાન પામેલા પાનો બચ્ચા તથા કોશેટાથી છવાયેલું જોવા મળે છે. વધુ ઉપદ્રવથી પાન પર પીળા અને આછ લીલા રંગની પટ્ટીઓ જોવા મળે છે. આ કિટકનાં શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરે છે જે પાન પર પડતા તેના પર કાળી ફૂગ વિકાસ પામે છે. જેથી વધુ ઉપદ્રવવાળા ખેતરમાં શેરડીના પાન કાળા પડી ગયેલા સ્પષ્ટ જોઈ શકાય છે. સફેદમાખીનો ઉપદ્રવ સામાન્ય રીતે વરસાદ ખેચાવાના કારણે પાણીની અછત સર્જાયેલ હોય તેમજ જે ખેતરમા પાણીની નીતાર શક્તિ ઓછી હોવાના કારણે પાણીનો ભરાવો રહેતો હોય ત્યાં વધુ જોવા મળે છે. આ પરિબળોને ધ્યાને લેતા માલુમ પડે છે કે આગામી માસ દરમ્યાન શેરડીના પાકમાં સફેદમાખીનો ઉપદ્રવ વધવાની શક્યતાઓ રહેલી છે.

ઓછા વિસ્તારમાં ઉપદ્રવ જણાય અને જૈવિક નિયંત્રક, એન્કાર્સિયા ઇસાકીની ગેરહાજરી હોય તેવા સંજોગોમાં શેરડીના ઉપદ્રવિત પાનોની કાપણી કરી નાશ કરવો. આ ઉપરાંત શેરડીના ખેતરોમાં સફેદમાખી ઉપર નભતા પરજીવી એન્કાર્સિયા ઇસાકીની હાજરી જણાય તો લીમડા આધારિત દવાઓ જેવી કે એઝાડીરેકટીન ૧૦૦૦૦ પીપીએમ, ૨૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જો આ દવાનો છંટકાવ કરવો ના હોય તો લીંબોળીનું તેલ ૫૦મી.લી. તથા ૫ ગ્રામ ડીટર્જન્ટ સાબુ પાવડર લઇ ૧૦ લીટર પાણીમાં ભેળવીને પણ છંટકાવ કરી શકાય.

આ ઉપરાંત ખેતરમાં પાણીની ખેંચ ન વર્તાય તેમજ પાણીનો ભરાવો પણ ન થાય તેની વ્યવસ્થા કરવા માટે કિટક્શાસ્ત્ર વિભાગ, નવસારી કૃષિ યુનિવર્સીટી, નવસારીની અખબારી યાદીમાં જણાવેલ છે .

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *