શેરડીનાં પાકમાં સફેદમાખીનું નિયંત્રણ માટે ખેડૂતો કયો ઉપાઈ કરી તેના ઉપર નિયંત્રણ લાવી શકાય: કૃષિ યુનિવર્સિટી નવસારી 

શેરડીનાં પાકમાં સફેદમાખીનું નિયંત્રણ માટે ખેડૂતો કયો ઉપાઈ કરી તેના ઉપર નિયંત્રણ લાવી શકાય: કૃષિ યુનિવર્સિટી નવસારી 

ચાલુ વર્ષમાં દક્ષિણ ગુજરાતમાં સપ્ટેમ્બર માસમાં શેરડીના પાકમાં સફેદમાખીનો છૂટોછવાયો ઉપદ્રવ જણાયેલ છે. સફેદમાખીના બચ્ચા ફિક્કા પીળા રંગના લંબગોળ આકારના ચપટા હોય છે અને તેની ફરતે મીણ જેવા પદાર્થની સફેદ કિનારી જોવા મળે છે. પુખ્ત કિટક ખુબ જ ચપળ હોઈ સહેજ ખલેલ થતા ઉડી જાય છે. માદા કિટકને સોય જેવું પાતળું અંડનિક્ષેપક હોય છે તેના વડે તે શેરડીના ટોચનાં પાન પર હારબંધ મલાઈ રંગના ઈંડા મુકે છે. જે થોડા સમય પછી કાળાશ પડતો ચળકતો રંગ ધારણ કરે છે. નુકશાન પામેલા પાનો બચ્ચા તથા કોશેટાથી છવાયેલું જોવા મળે છે. વધુ ઉપદ્રવથી પાન પર પીળા અને આછ લીલા રંગની પટ્ટીઓ જોવા મળે છે. આ કિટકનાં શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરે છે જે પાન પર પડતા તેના પર કાળી ફૂગ વિકાસ પામે છે. જેથી વધુ ઉપદ્રવવાળા ખેતરમાં શેરડીના પાન કાળા પડી ગયેલા સ્પષ્ટ જોઈ શકાય છે. સફેદમાખીનો ઉપદ્રવ સામાન્ય રીતે વરસાદ ખેચાવાના કારણે પાણીની અછત સર્જાયેલ હોય તેમજ જે ખેતરમા પાણીની નીતાર શક્તિ ઓછી હોવાના કારણે પાણીનો ભરાવો રહેતો હોય ત્યાં વધુ જોવા મળે છે. આ પરિબળોને ધ્યાને લેતા માલુમ પડે છે કે આગામી માસ દરમ્યાન શેરડીના પાકમાં સફેદમાખીનો ઉપદ્રવ વધવાની શક્યતાઓ રહેલી છે.

ઓછા વિસ્તારમાં ઉપદ્રવ જણાય અને જૈવિક નિયંત્રક, એન્કાર્સિયા ઇસાકીની ગેરહાજરી હોય તેવા સંજોગોમાં શેરડીના ઉપદ્રવિત પાનોની કાપણી કરી નાશ કરવો. આ ઉપરાંત શેરડીના ખેતરોમાં સફેદમાખી ઉપર નભતા પરજીવી એન્કાર્સિયા ઇસાકીની હાજરી જણાય તો લીમડા આધારિત દવાઓ જેવી કે એઝાડીરેકટીન ૧૦૦૦૦ પીપીએમ, ૨૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જો આ દવાનો છંટકાવ કરવો ના હોય તો લીંબોળીનું તેલ ૫૦મી.લી. તથા ૫ ગ્રામ ડીટર્જન્ટ સાબુ પાવડર લઇ ૧૦ લીટર પાણીમાં ભેળવીને પણ છંટકાવ કરી શકાય.

આ ઉપરાંત ખેતરમાં પાણીની ખેંચ ન વર્તાય તેમજ પાણીનો ભરાવો પણ ન થાય તેની વ્યવસ્થા કરવા માટે કિટક્શાસ્ત્ર વિભાગ, નવસારી કૃષિ યુનિવર્સીટી, નવસારીની અખબારી યાદીમાં જણાવેલ છે .

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *