વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી એવા 365 પરિક્ષેત્ર વન અધિકારીઓ (Range Forest Officer – RFO) વર્ગ-2 ની સામુહિક બદલીના હુકમો 30મી માર્ચ, 2026ના રોજ જાહેર કરવામાં આવ્યા છે.

​આ બદલીઓમાં રાજ્યના વિવિધ વન્યજીવ વિભાગો, સામાજિક વનીકરણ તેમજ નોર્મલ અને વર્કિંગ પ્લાન સર્કલના અધિકારીઓનો સમાવેશ થાય છે. જેમાં નવસારી જિલ્લામાં પણ મોટાપાયે ફેરફારો જોવા મળ્યા છે.નવસારી સામાજિક વનીકરણ વિભાગ (ભરૂચ સર્કલ) હેઠળ કાર્યરત નીચેના અધિકારીઓની રાજ્યના અન્ય વિભાગોમાં બદલી કરવામાં આવી છે.

નવસારી જિલ્લામાં વન વિભાગના પરિક્ષેત્ર વન અધિકારીઓ (RFO) ની બદલી થનાર અંગેની વિગતો નીચે મુજબ છે:

ચંદ્રિકા ટી પટેલ:વાંસદા વિસ્તરણ રેન્જ, નવસારી સામાજિક વનવિભાગ,ભરૂચ,સામાજિક વનવિભાગ નવસારી વાંસદા રેન્જ થી નોર્મલ ચીખલી રેન્જ વલસાડ (ઉત્તર), વલસાડ બદલી

પ્રસાદકુમાર બી પાટીલ: સામાજિક વનવિભાગ, ભરૂચ, સામાજિક વનવિભાગ નવસારી ચીખલી વિસ્તરણ રેન્જ થી સડાડવેલ રેન્જ,વ્યારા,સુરત ખાતે બદલી

હિનાબેન પી પટેલ: સામાજિક વનવિભાગ,ભરૂચ, સામાજિક વનવિભાગ નવસારી સુપા વિસ્તરણ રેન્જ થી દલખણીયા રેન્જ, ગીર (પૂર્વ), જૂનાગઢ વન્યજીવ ખાતે બદલી

છાયાબેન એસ પટેલ: સામાજિક વનવિભાગ,ભરૂચ,સામાજિક વનવિભાગ નવસારી ગણદેવી વિસ્તરણ રેન્જ થી સંજાણ રેન્જ, વલસાડ (દક્ષિણ) વલસાડ બદલી

નવસારીમાં બદલી થઈને આવનારા અધિકારીઓ:

• ​વિનયકુમાર પાંડુરંગભાઈ પવાર: આહવા (પશ્ચિમ) રેંજ, ડાંગ થી ચીખલી વિસ્તરણ રેંજ,નવસારી ખાતે કરવામાં આવી છે.

દીપકભાઈ શાંતિલાલ હળપતિ: બરડીપાડા રેંજ, ડાંગથી વાંસદા વિસ્તરણ રેંજ,નવસારી ખાતે કરવામાં આવી છે.

• ​ચેતનભાઈ રવજીભાઈ પટેલ: વાંસદા (પશ્ચિમ) નોર્મલ રેંજ, વલસાડથી ગણદેવી વિસ્તરણ રેંજ,નવસારી ખાતે કરવામાં આવી છે.

• ​મિતુલકુમાર પ્રભુભાઈ પટેલ:વાપી રેંજ, વલસાડથી સુપા વિસ્તરણ રેંજ, વસારી ખાતે કરવામાં આવી છે.

• ​હિનાબેન સુમનભાઈ પટેલ: તેઓની બદલી પાનગરાબરી રેંજ, વલસાડ (ઉત્તર) થી વાંસદા નેશનલ પાર્ક ખાતે કરવામાં આવી છે.(નોંધ: વાંસદા નેશનલ પાર્ક નવસારી જિલ્લામાં સ્થિત છે, પરંતુ વહીવટી રીતે ડાંગ (દક્ષિણ) વિભાગ હેઠળ આવે છે).

અમિતકુમાર ઠાકોરભાઈ ટંડેલ: ઉમરગામ વિસ્તરણ રેંજ, વલસાડ સામાજિક વનીકરણ, ભરૂચ, સામાજિક વનીકરણ થી નોર્મલ વાંસદા (પશ્ચિમ) રેંજ, વલસાડ (ઉત્તર), વલસાડ

વન સંરક્ષણ અને વનીકરણની કામગીરીમાં નવી ઉર્જા અને પારદર્શિતા લાવી શકાય તેમજ નવા અધિકારીઓની નિમણૂંકથી વનીકરણ અને વન્યજીવ સંરક્ષણની કામગીરીમાં નવી ગતિ આવશે.

Related post

નવસારીમાં KKDF સંસ્થા દ્વારા આયોજિત કરાટે પરીક્ષામાં સત્યસાઈ વિદ્યાનિકેતનના ૩૩ વિદ્યાર્થીઓએ મેળવ્યો ‘બ્લેક બેલ્ટ’

નવસારીમાં KKDF સંસ્થા દ્વારા આયોજિત કરાટે પરીક્ષામાં સત્યસાઈ વિદ્યાનિકેતનના…

સત્યસાઈ વિદ્યાનિકેતનના 33 વિદ્યાર્થીઓએ બ્લેક બેલ્ટની સિદ્ધિ મેળવી શાળા અને શહેરનું ગૌરવ વધાર્યું: છેલ્લા 7 વર્ષની સઘન તાલીમ રંગ લાવી નવસારી…
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને નવસારી જિલ્લા ભાજપ સજ્જ માઇક્રો લેવલ પ્લાનિંગ સાથે બેઠકઓનો દોડ શરૂ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને નવસારી જિલ્લા ભાજપ સજ્જ માઇક્રો…

આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સંપૂર્ણ રીતે સજ્જ બની ગઈ છે. સંગઠનાત્મક મજબૂતી સાથે…
નવસારીના લોકલાડીલા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના જન્મદિન નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું

નવસારીના લોકલાડીલા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના જન્મદિન નિમિત્તે વિવિધ સેવાકીય…

175-નવસારી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈનો આગામી તારીખ 27 માર્ચ, 2026ના રોજ જન્મદિવસ છે. આ અવસરને ભવ્યતાને બદલે ‘સેવા પરમો ધર્મ’ના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *