૨૧મી ઓગસ્ટ ના દિવસે સરકારી આયુર્વેદ હોસ્પિટલ નવસારી ખાતે સિનિયર સિટીઝન માટે કેમ્પનું આયોજન કરાયું

૨૧મી ઓગસ્ટ ના દિવસે સરકારી આયુર્વેદ હોસ્પિટલ નવસારી ખાતે સિનિયર સિટીઝન માટે કેમ્પનું આયોજન કરાયું

સરકારી આયુર્વેદ હોસ્પિટલ,નવસારી દ્વારા સિનિયર સિટીઝન ડે નિમિત્તે વૃધ્ધ વ્યકિત માટે વિનામૂલ્યે જીરીયાટીક કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે. સિનિયર સિટીઝન વ્યકિતઓ માટે આ કેમ્પ તા.૨૧/૦૮/૨૦૨૪ ના રોજ સવારે ૯-૦૦ થી બપોરે ૧-૦૦ વાગ્યા સુધી સરકારી આયુર્વેદ હોસ્પિટલ,કાલિયાવાડી,નવસારી ખાતે વૈદ્ય પંચકર્મ ઉર્વિબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજાશે.

આ કેમ્પમાં ઉપલબ્ધ સેવાઓમાં ડાયાબીટીસ,બ્લડ પ્રેસરની તપાસ નિદાન સારવાર,કબજીયાત,કપવાત,વાયુના રોગો,સાંધાના રોગો,ચામડીના રોગો,અનિદ્રા,યાદશકિત ઘટવી,નબળાઇ વગેરેની તપાસ કરવામાં આવશે. નવસારી જિલ્લાના સિનિયર સિટીઝનને આ કેમ્પનો લાભ લેવા સરકારી આયુર્વેદ હોસ્પિટલ, નવસારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *