નવસારી જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કુલ-૧૯ એનફોર્સમન્ટ અને કુલ-૧૦૬ સર્વેલન્સ નમૂનાઓ લેવામાં આવ્યાં :કુલ- ૯૭ હોટેલ/રેસ્ટોરેન્ટ/અન્ય પેઢીઓની તપાસ હાથ ધરાઇ : કુલ-૨૪ પેઢીઓને સુધારણા નોટીસ આપી

નવસારી જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કુલ-૧૯ એનફોર્સમન્ટ અને કુલ-૧૦૬ સર્વેલન્સ નમૂનાઓ લેવામાં આવ્યાં :કુલ- ૯૭ હોટેલ/રેસ્ટોરેન્ટ/અન્ય પેઢીઓની તપાસ હાથ ધરાઇ : કુલ-૨૪ પેઢીઓને સુધારણા નોટીસ આપી

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નવસારી દ્વારા ઓગષ્ટ-૨૦૨૪ માં જુદા-જુદા એકમોમાંથી કુલ-૧૯ એનફોર્સમન્ટ અને કુલ-૧૦૬ સર્વેલન્સ નમૂનાઓ લેવામાં આવ્યાં છે. જેમાં તહેવારો નિમિત્તે ફરાળી વાનગી બનાવવા માટેની પેકીંગ ખાદ્યચીજો ફરાળી, ફરાળી બિસ્કીટો, ફરાળી રાંધેલો ખોરાક-વડા-પેટીશ વિગેરે, મિઠાઇ, ફરસાણના નમૂનાઓનો સમાવેશ થાય છે. મધ્યાહન ભોજન અંતર્ગત બાળકોને પિરસવામાં આવતા રાંધેલ ખોરાક તેમજ તેના કાચા સામાનના નમૂનાઓ લેવામાં આવ્યા છે.

આ અગાઉ ધનહર મસાલા ભંડાર પ્રા.લી. માણેકપોર, જલાલપોર ખાતેથી ફરાળી શિંગોળાનો લોટ બનવવા માટે વપરાતા આખા શિંગોળા ખાદ્યચીજનો નમૂનો લેવામાં આવ્યા હતાં. જે અનસેફ જાહેર થતા આ પેઢી વિરૂધ્ધ નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. એલ.સી. નવસારી સાથે સંયુકત કામગીરીમાં કુલ-૦૮ નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને સ્થળ ઉપર નમૂના લીધા બાદ કુલ-૨૯૧૮ લી. નો જથ્થો જેની કિંમત કુલ-૧૩,૬૬,૯૯૮/- રૂપિયાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. જે પૈકી રીફાઇન્ડ પામઓઇલ તેલ (લીલી) બ્રાંડ એડલટ્રંટ (ઘી માં ભેળસેળ કરવા વાપરવા માટે સંગ્રહ કરેલ શંકાસ્પ્રદ જથ્થો) તરીકે લેવામાં આવેલ, ક્રિમ (લુઝ) તથા અન્ય કુલ-૬ નમૂના અલગ-અલગ બ્રાંડના ઘી ના હતા એ તમામ નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવેલું હોય શિવ ફૂડ પ્રોડક્ટ, ઓણચી, નવસારી વિરૂધ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ પેઢીનો પરવાનો ડેઝીગ્નેટેડ ઓફિસર, નવસારીનાઓએ કુલ-૬૦ દિવસ માટે સ્થગિત(સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે.

નવસારી જિલ્લા ખાતે આવેલ જુદા-જુદા એકમો મળી કુલ-૧૨૯ પેઢીઓની તપાસ કરવામાં આવેલ જે પૈકી કુલ-૯ પેઢીઓ વિરૂધ્ધ રજીસ્ટ્રેશન ન ધરાવતા હોય ફૂડ સેફટી ઓફિસરોએ કંમાઉન્ડીંગ સમાધનલક્ષી અરજીઓ દાખલ કરવામાં આવેલી જે પૈકી કુલ-૬ અરજીઓ સામે ડેઝીગ્નેટેડ ઓફિસર, નવસારી દ્વારા સમાધન હુકમથી નિકાલ કરી કુલ રૂ.૧૭,૫૦૦/-નો દંડ કરવામાં આવ્યો છે. એક અરજી સમાધાનલક્ષી કાર્યવાહી માટી પેન્ડીંગ છે તેમજ કુલ-૨ અરજીઓ શ્રધ્ધા મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ અને ઓરેંજ હોસ્પિટલ ખાતે આવેલ કેન્ટીંન વિરૂધ્ધ ફૂડ સેફટી ઓફિસરને એજ્યુડીકેશનની આગળની કાર્યવાહી કરવા જણાવેલ છે. તેમજ કુલ-૯૭ હોટેલ/રેસ્ટોરેન્ટ/અન્ય પેઢીઓની તપાસ કરવામાં આવી હતી જે પૈકી કુલ-૨૪ પેઢીઓને સુધારણા નોટીસ (Improvement Notice) પાઠવવામાં આવેલી છે. તેમ ખોરાક અને ડેઝીગ્નેટેડ ઓફીસરશ્રી ઔષધ નિયમન તંત્ર, નવસારી દ્વારા જણાવાયું છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *