નવસારીની સર જે જે પ્રાયમરી શાળામાં ” રેઈનબો ડે” ની ઉજવણી કરાઈ

નવસારીની સર જે જે પ્રાયમરી શાળામાં ” રેઈનબો ડે” ની ઉજવણી કરાઈ

નવસારીની સર જે જે પ્રાયમરી સ્કૂલમાં નર્સરીના ભૂલકાંઓ માટે રંગની જાણકારી આપવાના ભાગરૂપે તથા ચોમાસાની ઋતુમાં આકાશમાં રચાતા સુંદર મેઘધનુષ ની જાણકારી આપવાના હેતુથી ” રેઈનબો ડે” નું આયોજન કરવામાં આવ્યું હતું. નાના ભૂલકાંઓનું જીવન મેઘધનુષના રંગોની જેમ સાતરંગી બની જાય તેમ આ થીમથી બાળકો સુંદર રાતા નારંગી, પીળા વાદળી, લીલા જાંબલી, નીલા રંગોના વસ્ત્રોમાં સજજ થઈ આવ્યા હતા અને શાળાના વાતાવરણને રંગીન બનાવી દીધું હતું.

કાર્યક્રમના ભાગરૂપે શાળાના નર્સરીના શિક્ષકો અમીષાબેન તથા દિક્ષિતાબેને સુંદર થીમ આધારે ડેકોરેશન કર્યું હતું. જે અંર્તગત છત્રી, મેધધુનુષના રંગોને પડદા પર કંડાર્યા હતા. આચાર્યા શ્રીમતી કડોદવાલા પણ ઉપસ્થિત રહયા હતા અને બાળકોને રંગો આધારિત સવાલો પૂછયા હતા અને બાળકોને પાંદડાંનો રંગ, લીલો કે દૂધનો રંગ સફેદ કે લોહીનો રંગ લાલ હોય એવા મુખ્ય રંગોની જાણકારી આપી હતી. કાર્યક્રમના નિર્ણાયક તરીકે શાળાના શિક્ષિકા યાસમીને સેવા પૂરી પાડી હતી. બાળકોએ વર્ષા આધારિત નાનાં જોડકણાં તથા બાળગીતો ગાઈને મનોરંજન પૂરું પાડયું હતું.

બાળકો વાદળ, આકાશ, મેઘધનુષના વેશમાં સજીને આવ્યા હતા અને બાળકોને તેમના વેશ, બાળગીતો ગાવાના આધારે તેમને પ્રથમ, દ્રિતીય, તૃતીય નંબર તેમજ સર્ટીફિકેટ આપી એનાયત કર્યા હતા.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *