નવસારીની સર જે જે પ્રાયમરી શાળામાં ” રેઈનબો ડે” ની ઉજવણી કરાઈ

નવસારીની સર જે જે પ્રાયમરી શાળામાં ” રેઈનબો ડે” ની ઉજવણી કરાઈ

નવસારીની સર જે જે પ્રાયમરી સ્કૂલમાં નર્સરીના ભૂલકાંઓ માટે રંગની જાણકારી આપવાના ભાગરૂપે તથા ચોમાસાની ઋતુમાં આકાશમાં રચાતા સુંદર મેઘધનુષ ની જાણકારી આપવાના હેતુથી ” રેઈનબો ડે” નું આયોજન કરવામાં આવ્યું હતું. નાના ભૂલકાંઓનું જીવન મેઘધનુષના રંગોની જેમ સાતરંગી બની જાય તેમ આ થીમથી બાળકો સુંદર રાતા નારંગી, પીળા વાદળી, લીલા જાંબલી, નીલા રંગોના વસ્ત્રોમાં સજજ થઈ આવ્યા હતા અને શાળાના વાતાવરણને રંગીન બનાવી દીધું હતું.

કાર્યક્રમના ભાગરૂપે શાળાના નર્સરીના શિક્ષકો અમીષાબેન તથા દિક્ષિતાબેને સુંદર થીમ આધારે ડેકોરેશન કર્યું હતું. જે અંર્તગત છત્રી, મેધધુનુષના રંગોને પડદા પર કંડાર્યા હતા. આચાર્યા શ્રીમતી કડોદવાલા પણ ઉપસ્થિત રહયા હતા અને બાળકોને રંગો આધારિત સવાલો પૂછયા હતા અને બાળકોને પાંદડાંનો રંગ, લીલો કે દૂધનો રંગ સફેદ કે લોહીનો રંગ લાલ હોય એવા મુખ્ય રંગોની જાણકારી આપી હતી. કાર્યક્રમના નિર્ણાયક તરીકે શાળાના શિક્ષિકા યાસમીને સેવા પૂરી પાડી હતી. બાળકોએ વર્ષા આધારિત નાનાં જોડકણાં તથા બાળગીતો ગાઈને મનોરંજન પૂરું પાડયું હતું.

બાળકો વાદળ, આકાશ, મેઘધનુષના વેશમાં સજીને આવ્યા હતા અને બાળકોને તેમના વેશ, બાળગીતો ગાવાના આધારે તેમને પ્રથમ, દ્રિતીય, તૃતીય નંબર તેમજ સર્ટીફિકેટ આપી એનાયત કર્યા હતા.

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *