નવસારીની સર જે જે પ્રાયમરી શાળામાં ” રેઈનબો ડે” ની ઉજવણી કરાઈ

નવસારીની સર જે જે પ્રાયમરી શાળામાં ” રેઈનબો ડે” ની ઉજવણી કરાઈ

નવસારીની સર જે જે પ્રાયમરી સ્કૂલમાં નર્સરીના ભૂલકાંઓ માટે રંગની જાણકારી આપવાના ભાગરૂપે તથા ચોમાસાની ઋતુમાં આકાશમાં રચાતા સુંદર મેઘધનુષ ની જાણકારી આપવાના હેતુથી ” રેઈનબો ડે” નું આયોજન કરવામાં આવ્યું હતું. નાના ભૂલકાંઓનું જીવન મેઘધનુષના રંગોની જેમ સાતરંગી બની જાય તેમ આ થીમથી બાળકો સુંદર રાતા નારંગી, પીળા વાદળી, લીલા જાંબલી, નીલા રંગોના વસ્ત્રોમાં સજજ થઈ આવ્યા હતા અને શાળાના વાતાવરણને રંગીન બનાવી દીધું હતું.

કાર્યક્રમના ભાગરૂપે શાળાના નર્સરીના શિક્ષકો અમીષાબેન તથા દિક્ષિતાબેને સુંદર થીમ આધારે ડેકોરેશન કર્યું હતું. જે અંર્તગત છત્રી, મેધધુનુષના રંગોને પડદા પર કંડાર્યા હતા. આચાર્યા શ્રીમતી કડોદવાલા પણ ઉપસ્થિત રહયા હતા અને બાળકોને રંગો આધારિત સવાલો પૂછયા હતા અને બાળકોને પાંદડાંનો રંગ, લીલો કે દૂધનો રંગ સફેદ કે લોહીનો રંગ લાલ હોય એવા મુખ્ય રંગોની જાણકારી આપી હતી. કાર્યક્રમના નિર્ણાયક તરીકે શાળાના શિક્ષિકા યાસમીને સેવા પૂરી પાડી હતી. બાળકોએ વર્ષા આધારિત નાનાં જોડકણાં તથા બાળગીતો ગાઈને મનોરંજન પૂરું પાડયું હતું.

બાળકો વાદળ, આકાશ, મેઘધનુષના વેશમાં સજીને આવ્યા હતા અને બાળકોને તેમના વેશ, બાળગીતો ગાવાના આધારે તેમને પ્રથમ, દ્રિતીય, તૃતીય નંબર તેમજ સર્ટીફિકેટ આપી એનાયત કર્યા હતા.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…
કે. એન્ડ બી. સાર્વજનિક હાઈસ્કૂલ આલીપોરમા ત્રિદિવસીય આચાર્ય વ્યવસાયિક સજ્જતા તાલીમ યોજાઈ

કે. એન્ડ બી. સાર્વજનિક હાઈસ્કૂલ આલીપોરમા ત્રિદિવસીય આચાર્ય વ્યવસાયિક…

નવસારી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ), નવસારી દ્વારા આલીપોર સ્થિત કે. એન્ડ બી. સાર્વજનિક હાઈસ્કૂલમાં ત્રિદિવસીય આચાર્ય વ્યવસાયિક સજ્જતા તાલીમનું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *