ગાયત્રી શક્તિપીઠ નવસારી ખાતે ૨૦ ડીસેમ્બરને શુક્રવારે સાંજે  દીપ મહાયજ્ઞ કાર્યક્રમ યોજાશે

ગાયત્રી શક્તિપીઠ નવસારી ખાતે ૨૦ ડીસેમ્બરને શુક્રવારે સાંજે  દીપ મહાયજ્ઞ કાર્યક્રમ યોજાશે

મા ગાયત્રીના પરમ ઉપાસક શ્રી રામ શર્મા આચાર્યએ તેમના ગુરુની આજ્ઞાનુસાર હરીદ્વારમાં શાંતિકુંજ ખાતે ગાયત્રી શક્તિપીઠ ની સ્થાપના કરી અને સમગ્ર વિશ્વમાં ગાયત્રી શક્તિ પીઠોના માધ્યમથી વિશ્વક્રાંતિ અભિયાન ચલાવ્યું અને લોકોમાં સંસ્કારોનું સિંચન પ્રસ્થાપિત કરી લોકોને ગાયત્રીમંત્ર તથા ગાયત્રી અનુષ્ઠાન કરવા પ્રેરિત કરી દીધા છે.

આવુ જ એક મંદિર નવસારી શહેર ના બંદર રોડ આવેલ છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સંચાલિત ,સંસ્કારી નગરી નવસારી ગાયત્રી શક્તિ પીઠ નો 43 મો વાર્ષિક પાટોત્સવ આગામી 20 ડીસેમ્બરને શુક્રવારે યોજાનાર છે. ગાયત્રી મંદિર નવસારી તેમજ ઉપજોંન પ્રભારી હિતેશભાઈ દેસાઈ એ જણાવ્યું છે કે જ્યાં નિયમિત ગાયત્રી યજ્ઞ,ઋષિ પરંપરા પ્રમાણે સંસ્કાર સંપન્ન થાય છે.વિચાર ક્રાંતિ માટે સ્વાધ્યાય જેનાથી સન્માર્ગ તરફ આગળ વધવાનો માર્ગ મોકળો બને છે.ગાયત્રી મંત્ર મનુષ્ય ના જીવન નો કાયા કલ્પ કરે છે.પ્રાણવાન બનાવે છે.

ગાયત્રી યજ્ઞ દ્વારા પર્યાવરણ પરીશોધન પણ થાય છે. નવસારી ખાતે “જ્યોતિ કળશ રથ યાત્રા” જે શાંતિકુંજ હરિદ્વાર આવ્યો છે. તે જ્યોતિ કળશ યાત્રા આગામી 20 તારીખના રોજ સવારે ૮ વાગ્યા થી નવસારી શહેર ના ગ્રીડ થી ગાયત્રી શક્તિ પીઠ બંદર રોડ સુધી નગર ચર્યા કરશે. મા ગાયત્રી ભક્તો સહિત નવસારીના સૌ ભાઈઓ બહેનોના આ યાત્રામાં જોડાવા તેમજ દર્શન કરવા લાભ લેવા જાણાવ્યું છે.

નવસારી સહિત સમગ્ર દેશ અને દુનિયાભરમાં ઋષિ સંસ્કાર ની ગૌરવ,ગરીમા પુનઃ સ્થાપિત કરવાની પ્રેરણા લઈ આ રથ યાત્રા નગર ચર્યા કરશે. નવસારી ગાયત્રી શક્તિપીઠ નો 43 મા વાર્ષિક પાટોત્સવ માં પધારવા માટે સંસ્કારી નગરી નવસારી ના તમામ ધર્મ પ્રેમી ભાઈઓ,બહેનોને હાર્દિક આમંત્રણ પાાઠવવામાં આવ્યું છે. સૃષ્ટિ નું નિર્માણ અને તેને ટકાવી રાખવા ગાયત્રી મહામંત્ર ના પુરશ્ચરન તેમજ વિશ્વ માનવતા માટે આદર્શ રૂપ પરમ વંદનીય માતાજીની જન્મ શતાબ્દી વર્ષ 2026 માં મનાવવા જઈ રહ્યા છીએ.સંસ્કારી નગરી નવસારી ના તમામ ધર્મ પ્રેમી ભાઈઓ,બહેનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *