ગાયત્રી શક્તિપીઠ નવસારી ખાતે ૨૦ ડીસેમ્બરને શુક્રવારે સાંજે  દીપ મહાયજ્ઞ કાર્યક્રમ યોજાશે

ગાયત્રી શક્તિપીઠ નવસારી ખાતે ૨૦ ડીસેમ્બરને શુક્રવારે સાંજે  દીપ મહાયજ્ઞ કાર્યક્રમ યોજાશે

મા ગાયત્રીના પરમ ઉપાસક શ્રી રામ શર્મા આચાર્યએ તેમના ગુરુની આજ્ઞાનુસાર હરીદ્વારમાં શાંતિકુંજ ખાતે ગાયત્રી શક્તિપીઠ ની સ્થાપના કરી અને સમગ્ર વિશ્વમાં ગાયત્રી શક્તિ પીઠોના માધ્યમથી વિશ્વક્રાંતિ અભિયાન ચલાવ્યું અને લોકોમાં સંસ્કારોનું સિંચન પ્રસ્થાપિત કરી લોકોને ગાયત્રીમંત્ર તથા ગાયત્રી અનુષ્ઠાન કરવા પ્રેરિત કરી દીધા છે.

આવુ જ એક મંદિર નવસારી શહેર ના બંદર રોડ આવેલ છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સંચાલિત ,સંસ્કારી નગરી નવસારી ગાયત્રી શક્તિ પીઠ નો 43 મો વાર્ષિક પાટોત્સવ આગામી 20 ડીસેમ્બરને શુક્રવારે યોજાનાર છે. ગાયત્રી મંદિર નવસારી તેમજ ઉપજોંન પ્રભારી હિતેશભાઈ દેસાઈ એ જણાવ્યું છે કે જ્યાં નિયમિત ગાયત્રી યજ્ઞ,ઋષિ પરંપરા પ્રમાણે સંસ્કાર સંપન્ન થાય છે.વિચાર ક્રાંતિ માટે સ્વાધ્યાય જેનાથી સન્માર્ગ તરફ આગળ વધવાનો માર્ગ મોકળો બને છે.ગાયત્રી મંત્ર મનુષ્ય ના જીવન નો કાયા કલ્પ કરે છે.પ્રાણવાન બનાવે છે.

ગાયત્રી યજ્ઞ દ્વારા પર્યાવરણ પરીશોધન પણ થાય છે. નવસારી ખાતે “જ્યોતિ કળશ રથ યાત્રા” જે શાંતિકુંજ હરિદ્વાર આવ્યો છે. તે જ્યોતિ કળશ યાત્રા આગામી 20 તારીખના રોજ સવારે ૮ વાગ્યા થી નવસારી શહેર ના ગ્રીડ થી ગાયત્રી શક્તિ પીઠ બંદર રોડ સુધી નગર ચર્યા કરશે. મા ગાયત્રી ભક્તો સહિત નવસારીના સૌ ભાઈઓ બહેનોના આ યાત્રામાં જોડાવા તેમજ દર્શન કરવા લાભ લેવા જાણાવ્યું છે.

નવસારી સહિત સમગ્ર દેશ અને દુનિયાભરમાં ઋષિ સંસ્કાર ની ગૌરવ,ગરીમા પુનઃ સ્થાપિત કરવાની પ્રેરણા લઈ આ રથ યાત્રા નગર ચર્યા કરશે. નવસારી ગાયત્રી શક્તિપીઠ નો 43 મા વાર્ષિક પાટોત્સવ માં પધારવા માટે સંસ્કારી નગરી નવસારી ના તમામ ધર્મ પ્રેમી ભાઈઓ,બહેનોને હાર્દિક આમંત્રણ પાાઠવવામાં આવ્યું છે. સૃષ્ટિ નું નિર્માણ અને તેને ટકાવી રાખવા ગાયત્રી મહામંત્ર ના પુરશ્ચરન તેમજ વિશ્વ માનવતા માટે આદર્શ રૂપ પરમ વંદનીય માતાજીની જન્મ શતાબ્દી વર્ષ 2026 માં મનાવવા જઈ રહ્યા છીએ.સંસ્કારી નગરી નવસારી ના તમામ ધર્મ પ્રેમી ભાઈઓ,બહેનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *